મનિષ સિસોદિયા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, આજે સાંજે 4 વાગ્યે સુનાવણી થશે


  • Published By :
  • Published Date : 2023-02-28 13:58:41

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ લિકર પોલીસી મામલે પોતાની ધરપકડ અને CBI તપાસની સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોંગ્રેસ નેતા અને સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અભિષેક મનુ સિંઘવીએ દાખલ કરેલી અરજીમાં ઝડપી સુનાવણીની માગ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે અભિષેક મનુ સંઘવીની રજૂઆત સાંભળ્યા બાદ પૂછ્યું કે, તેઓ સીધા સુપ્રીમ કોર્ટ જતા પહેલાં હાઈકોર્ટમાં કેમ ન ગયા. ત્યારે સિંઘવીએ વિનોદ દુઆ કેસનો સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનો હવાલો આપ્યો હતો. એ પછી ચીફ જસ્ટીસ ચંદ્રચુડે કહ્યું કે, તેઓ આ મામલે સુનાવણી સાંજે લગભગ 4 વાગે કરશે.


સિસોદિયા  4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં


મનિષ સિસોદિયાનો આરોપ છે કે, જ્યારે તેઓ CBIની તપાસમાં સહયોગ આપી રહ્યા હતા તો પછી ધરપકડ કેમ કરવામાં આવી. અત્રે ઉલ્લેખનિય છે કે, મનિષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ સોમવારે પાંચ દિવસ માટે CBIની કસ્ટડીમાં મોકલી દીધા છે. તપાસ એજન્સીએ આપના નેતાને વિશેષ કોર્ટમાં રજૂ કર્યા હતા અને પાંચ દિવસની કસ્ટડીની અપીલ કરી હતી. એ પછી વિશેષ જજ એમ.કે. નાગપુરે સિસોદિયાને ચાર માર્ચ સુધી CBIકસ્ટડીમાં મોકલ્યા હતા.


સિસોદિયા પર આરોપ શું છે?


લીકર પોલિસીમાં CBIની પૂછપરછ દરમિયાન એક્સાઈઝ વિભાગના એક IAS અધિકારી દ્વારા સિસોદિયાનું નામ લેવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું- સિસોદિયાએ એવી દારૂની નીતિ બનાવી હતી, જેનાથી સરકારને ફાયદો નથી થતો, પરંતુ વેપારીઓને મોટો ફાયદો થાય છે. CBI દ્વારા રવિવારે દિલ્હીના ડેપ્યુટી સીએમની ધરપકડ કરવામાં આવી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.