મનિષ સિસોદિયા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, આજે સાંજે 4 વાગ્યે સુનાવણી થશે


  • Published By :
  • Published Date : 2023-02-28 13:58:41

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ લિકર પોલીસી મામલે પોતાની ધરપકડ અને CBI તપાસની સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોંગ્રેસ નેતા અને સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અભિષેક મનુ સિંઘવીએ દાખલ કરેલી અરજીમાં ઝડપી સુનાવણીની માગ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે અભિષેક મનુ સંઘવીની રજૂઆત સાંભળ્યા બાદ પૂછ્યું કે, તેઓ સીધા સુપ્રીમ કોર્ટ જતા પહેલાં હાઈકોર્ટમાં કેમ ન ગયા. ત્યારે સિંઘવીએ વિનોદ દુઆ કેસનો સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનો હવાલો આપ્યો હતો. એ પછી ચીફ જસ્ટીસ ચંદ્રચુડે કહ્યું કે, તેઓ આ મામલે સુનાવણી સાંજે લગભગ 4 વાગે કરશે.


સિસોદિયા  4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં


મનિષ સિસોદિયાનો આરોપ છે કે, જ્યારે તેઓ CBIની તપાસમાં સહયોગ આપી રહ્યા હતા તો પછી ધરપકડ કેમ કરવામાં આવી. અત્રે ઉલ્લેખનિય છે કે, મનિષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ સોમવારે પાંચ દિવસ માટે CBIની કસ્ટડીમાં મોકલી દીધા છે. તપાસ એજન્સીએ આપના નેતાને વિશેષ કોર્ટમાં રજૂ કર્યા હતા અને પાંચ દિવસની કસ્ટડીની અપીલ કરી હતી. એ પછી વિશેષ જજ એમ.કે. નાગપુરે સિસોદિયાને ચાર માર્ચ સુધી CBIકસ્ટડીમાં મોકલ્યા હતા.


સિસોદિયા પર આરોપ શું છે?


લીકર પોલિસીમાં CBIની પૂછપરછ દરમિયાન એક્સાઈઝ વિભાગના એક IAS અધિકારી દ્વારા સિસોદિયાનું નામ લેવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું- સિસોદિયાએ એવી દારૂની નીતિ બનાવી હતી, જેનાથી સરકારને ફાયદો નથી થતો, પરંતુ વેપારીઓને મોટો ફાયદો થાય છે. CBI દ્વારા રવિવારે દિલ્હીના ડેપ્યુટી સીએમની ધરપકડ કરવામાં આવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.