મનિષ સિસોદિયા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, આજે સાંજે 4 વાગ્યે સુનાવણી થશે


  • Published By :
  • Published Date : 2023-02-28 13:58:41

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ લિકર પોલીસી મામલે પોતાની ધરપકડ અને CBI તપાસની સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોંગ્રેસ નેતા અને સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અભિષેક મનુ સિંઘવીએ દાખલ કરેલી અરજીમાં ઝડપી સુનાવણીની માગ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે અભિષેક મનુ સંઘવીની રજૂઆત સાંભળ્યા બાદ પૂછ્યું કે, તેઓ સીધા સુપ્રીમ કોર્ટ જતા પહેલાં હાઈકોર્ટમાં કેમ ન ગયા. ત્યારે સિંઘવીએ વિનોદ દુઆ કેસનો સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનો હવાલો આપ્યો હતો. એ પછી ચીફ જસ્ટીસ ચંદ્રચુડે કહ્યું કે, તેઓ આ મામલે સુનાવણી સાંજે લગભગ 4 વાગે કરશે.


સિસોદિયા  4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં


મનિષ સિસોદિયાનો આરોપ છે કે, જ્યારે તેઓ CBIની તપાસમાં સહયોગ આપી રહ્યા હતા તો પછી ધરપકડ કેમ કરવામાં આવી. અત્રે ઉલ્લેખનિય છે કે, મનિષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ સોમવારે પાંચ દિવસ માટે CBIની કસ્ટડીમાં મોકલી દીધા છે. તપાસ એજન્સીએ આપના નેતાને વિશેષ કોર્ટમાં રજૂ કર્યા હતા અને પાંચ દિવસની કસ્ટડીની અપીલ કરી હતી. એ પછી વિશેષ જજ એમ.કે. નાગપુરે સિસોદિયાને ચાર માર્ચ સુધી CBIકસ્ટડીમાં મોકલ્યા હતા.


સિસોદિયા પર આરોપ શું છે?


લીકર પોલિસીમાં CBIની પૂછપરછ દરમિયાન એક્સાઈઝ વિભાગના એક IAS અધિકારી દ્વારા સિસોદિયાનું નામ લેવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું- સિસોદિયાએ એવી દારૂની નીતિ બનાવી હતી, જેનાથી સરકારને ફાયદો નથી થતો, પરંતુ વેપારીઓને મોટો ફાયદો થાય છે. CBI દ્વારા રવિવારે દિલ્હીના ડેપ્યુટી સીએમની ધરપકડ કરવામાં આવી હતી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.