દેહરાદૂન: PM મોદીની 'મન કી બાત' સાંભળવા ન આવેલા વિદ્યાર્થીઓને રૂ.100નો દંડ, શિક્ષણ વિભાગે સ્કૂલને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-05-05 16:37:12

PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓને દંડ ફટકારવાનો મામલો સામે આવ્યો છે. ઉત્તરાખંડના દહેરાદુનની GRD નિરંજનપુર એકેડમીએ  PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. સ્કૂલ દ્વારા દંડ ફટકારવાના મામલે રાજકારણ ગરમાયું છે.


નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સે માગ્યો જવાબ 


GRD નિરંજનપુર એકેડમી પર PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવાનો આરોપ લાગ્યો છે. આ અંગે નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઈટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ આરીફ ખાને મુખ્ય શિક્ષણ અધિકારી, દેહરાદૂનને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે.


સ્કૂલ મેનેજમેન્ટએ કર્યો હતો આદેશ


આ મુદ્દે આરિફ ખાને જણાવ્યું કે, GRD એકેડમીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ માટે શાળાએ ન પહોંચેલા બાળકોને 100 રૂપિયાનો દંડ અથવા મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવવાનો આદેશ જારી કર્યો છે. આ અંગેના આદેશો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં જારી કરવામાં આવ્યા છે. માતાપિતાએ તેમને આ ઓર્ડરનો સ્ક્રીનશોટ પણ બતાવ્યો છે.


ચીફ એજ્યુકેશન ઓફિસરે સ્કૂલને ફટકારી નોટિસ 


આ મામલે વિવાદ વધતા ચીફ એજ્યુકેશન ઓફિસર પ્રદીપ કુમારે કહ્યું કે ફરિયાદની નોંધ લેતા એકેડમીને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. જો શાળા ત્રણ દિવસમાં પોતાનો પક્ષ રજૂ નહીં કરે તો સમજાશે કે શાળા વતી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. આ પછી વિભાગ કાર્યવાહી કરશે. ફરિયાદી એસોસિએશન પાસેથી પુરાવા પણ માંગવામાં આવ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.