દેહરાદૂન: PM મોદીની 'મન કી બાત' સાંભળવા ન આવેલા વિદ્યાર્થીઓને રૂ.100નો દંડ, શિક્ષણ વિભાગે સ્કૂલને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-05-05 16:37:12

PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓને દંડ ફટકારવાનો મામલો સામે આવ્યો છે. ઉત્તરાખંડના દહેરાદુનની GRD નિરંજનપુર એકેડમીએ  PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. સ્કૂલ દ્વારા દંડ ફટકારવાના મામલે રાજકારણ ગરમાયું છે.


નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સે માગ્યો જવાબ 


GRD નિરંજનપુર એકેડમી પર PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવાનો આરોપ લાગ્યો છે. આ અંગે નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઈટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ આરીફ ખાને મુખ્ય શિક્ષણ અધિકારી, દેહરાદૂનને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે.


સ્કૂલ મેનેજમેન્ટએ કર્યો હતો આદેશ


આ મુદ્દે આરિફ ખાને જણાવ્યું કે, GRD એકેડમીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ માટે શાળાએ ન પહોંચેલા બાળકોને 100 રૂપિયાનો દંડ અથવા મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવવાનો આદેશ જારી કર્યો છે. આ અંગેના આદેશો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં જારી કરવામાં આવ્યા છે. માતાપિતાએ તેમને આ ઓર્ડરનો સ્ક્રીનશોટ પણ બતાવ્યો છે.


ચીફ એજ્યુકેશન ઓફિસરે સ્કૂલને ફટકારી નોટિસ 


આ મામલે વિવાદ વધતા ચીફ એજ્યુકેશન ઓફિસર પ્રદીપ કુમારે કહ્યું કે ફરિયાદની નોંધ લેતા એકેડમીને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. જો શાળા ત્રણ દિવસમાં પોતાનો પક્ષ રજૂ નહીં કરે તો સમજાશે કે શાળા વતી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. આ પછી વિભાગ કાર્યવાહી કરશે. ફરિયાદી એસોસિએશન પાસેથી પુરાવા પણ માંગવામાં આવ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.