દેહરાદૂન: PM મોદીની 'મન કી બાત' સાંભળવા ન આવેલા વિદ્યાર્થીઓને રૂ.100નો દંડ, શિક્ષણ વિભાગે સ્કૂલને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-05-05 16:37:12

PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓને દંડ ફટકારવાનો મામલો સામે આવ્યો છે. ઉત્તરાખંડના દહેરાદુનની GRD નિરંજનપુર એકેડમીએ  PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. સ્કૂલ દ્વારા દંડ ફટકારવાના મામલે રાજકારણ ગરમાયું છે.


નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સે માગ્યો જવાબ 


GRD નિરંજનપુર એકેડમી પર PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવાનો આરોપ લાગ્યો છે. આ અંગે નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઈટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ આરીફ ખાને મુખ્ય શિક્ષણ અધિકારી, દેહરાદૂનને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે.


સ્કૂલ મેનેજમેન્ટએ કર્યો હતો આદેશ


આ મુદ્દે આરિફ ખાને જણાવ્યું કે, GRD એકેડમીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ માટે શાળાએ ન પહોંચેલા બાળકોને 100 રૂપિયાનો દંડ અથવા મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવવાનો આદેશ જારી કર્યો છે. આ અંગેના આદેશો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં જારી કરવામાં આવ્યા છે. માતાપિતાએ તેમને આ ઓર્ડરનો સ્ક્રીનશોટ પણ બતાવ્યો છે.


ચીફ એજ્યુકેશન ઓફિસરે સ્કૂલને ફટકારી નોટિસ 


આ મામલે વિવાદ વધતા ચીફ એજ્યુકેશન ઓફિસર પ્રદીપ કુમારે કહ્યું કે ફરિયાદની નોંધ લેતા એકેડમીને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. જો શાળા ત્રણ દિવસમાં પોતાનો પક્ષ રજૂ નહીં કરે તો સમજાશે કે શાળા વતી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. આ પછી વિભાગ કાર્યવાહી કરશે. ફરિયાદી એસોસિએશન પાસેથી પુરાવા પણ માંગવામાં આવ્યા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.