બદલવામાં આવશે 'આદિપુરુષ'ના 'ટપોરી' ડાયલોગ! લોકોની ભાવનાને જોતા મેકર્સનો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-06-18 18:35:44

ઓમ રાઉતની 'આદિપુરુષ'ને બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ મળી હતું, પરંતુ પ્રભાસ સ્ટારર ફિલ્મ અનેક કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. 500 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મના મેકર્સ ફિલ્મના ડાયલોગ્સ અને VFX માટે ટીકાનો સામનો કરી રહ્યા છે. 'આદિપુરુષ'ને સમગ્ર વિશ્વમાં અસાધારણ પ્રતિસાદ મળી રહ્યો છે અને તે તમામ વય જૂથોના પ્રેક્ષકોના દિલ જીતી રહી છે. ફિલ્મને એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવવા માટે, ટીમે લોકો અને પ્રેક્ષકોના ઇનપુટ્સને ધ્યાનમાં લઈને, ફિલ્મના ડાયલોગને બદલવાનો નિર્ણય કર્યો છે.


ફરીથી લખાશે ડાયલોગ્સ


ફિલ્મ મેકર્સ આદિપુરુષના તમામ સંવાદો પર ફરીથી વિચાર કરી રહ્યા છે. તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે ફરીથી લખવામાં આવે અને તે આગામી થોડા દિવસોમાં થિયેટરોમાં બતાવવામાં આવશે. આ નિર્ણય એ હકીકતની સાક્ષી છે કે બોક્સ ઓફિસ પર ફિલ્મએ જંગી કલેક્શન કર્યું હોવા છતાં, ટીમ તેમના પ્રેક્ષકોની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 151 કરોડની કમાણી કરી છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' સામે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. 


ફિલ્મના લેખકે શું કહ્યું?


ફિલ્મ આદિપુરુષના લેખક મનોજ મુન્તાશીરે ટ્વિટર પર એક લાંબી પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી શેર કરી છે. મનોજ મુન્તાશીરે ખાતરી આપી છે કે, ફિલ્મના કેટલાક ડાયલોગ્સ હટાવવામાં આવશે. ફિલ્મની ટીમે લોકોના રિએક્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મનોજે કહ્યું કે, ટૂંક સમયમાં જ ફિલ્મના ડાયલોગમાં સુધારો કરવામાં આવશે. મનોજ મુન્તાશીર લખ્યું કે, 'મારા માટે તમારી લાગણીથી વધુ મહત્વનું કંઈ નથી. હું મારા ડાયલોગ્સના પક્ષમાં અગણિત દલીલો આપી શકું છું, પરંતુ તેનાથી તમારી પીડા ઓછી થશે નહીં. તેણે વધુમાં લખ્યું કે, 'મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે, જે ડાયલોગ્સ તમારી ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યા છે, અમે તેને સંશોધિત કરીશું.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .