બદલવામાં આવશે 'આદિપુરુષ'ના 'ટપોરી' ડાયલોગ! લોકોની ભાવનાને જોતા મેકર્સનો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-06-18 18:35:44

ઓમ રાઉતની 'આદિપુરુષ'ને બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ મળી હતું, પરંતુ પ્રભાસ સ્ટારર ફિલ્મ અનેક કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. 500 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મના મેકર્સ ફિલ્મના ડાયલોગ્સ અને VFX માટે ટીકાનો સામનો કરી રહ્યા છે. 'આદિપુરુષ'ને સમગ્ર વિશ્વમાં અસાધારણ પ્રતિસાદ મળી રહ્યો છે અને તે તમામ વય જૂથોના પ્રેક્ષકોના દિલ જીતી રહી છે. ફિલ્મને એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવવા માટે, ટીમે લોકો અને પ્રેક્ષકોના ઇનપુટ્સને ધ્યાનમાં લઈને, ફિલ્મના ડાયલોગને બદલવાનો નિર્ણય કર્યો છે.


ફરીથી લખાશે ડાયલોગ્સ


ફિલ્મ મેકર્સ આદિપુરુષના તમામ સંવાદો પર ફરીથી વિચાર કરી રહ્યા છે. તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે ફરીથી લખવામાં આવે અને તે આગામી થોડા દિવસોમાં થિયેટરોમાં બતાવવામાં આવશે. આ નિર્ણય એ હકીકતની સાક્ષી છે કે બોક્સ ઓફિસ પર ફિલ્મએ જંગી કલેક્શન કર્યું હોવા છતાં, ટીમ તેમના પ્રેક્ષકોની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 151 કરોડની કમાણી કરી છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' સામે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. 


ફિલ્મના લેખકે શું કહ્યું?


ફિલ્મ આદિપુરુષના લેખક મનોજ મુન્તાશીરે ટ્વિટર પર એક લાંબી પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી શેર કરી છે. મનોજ મુન્તાશીરે ખાતરી આપી છે કે, ફિલ્મના કેટલાક ડાયલોગ્સ હટાવવામાં આવશે. ફિલ્મની ટીમે લોકોના રિએક્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મનોજે કહ્યું કે, ટૂંક સમયમાં જ ફિલ્મના ડાયલોગમાં સુધારો કરવામાં આવશે. મનોજ મુન્તાશીર લખ્યું કે, 'મારા માટે તમારી લાગણીથી વધુ મહત્વનું કંઈ નથી. હું મારા ડાયલોગ્સના પક્ષમાં અગણિત દલીલો આપી શકું છું, પરંતુ તેનાથી તમારી પીડા ઓછી થશે નહીં. તેણે વધુમાં લખ્યું કે, 'મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે, જે ડાયલોગ્સ તમારી ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યા છે, અમે તેને સંશોધિત કરીશું.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .