બદલવામાં આવશે 'આદિપુરુષ'ના 'ટપોરી' ડાયલોગ! લોકોની ભાવનાને જોતા મેકર્સનો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-06-18 18:35:44

ઓમ રાઉતની 'આદિપુરુષ'ને બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ મળી હતું, પરંતુ પ્રભાસ સ્ટારર ફિલ્મ અનેક કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. 500 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મના મેકર્સ ફિલ્મના ડાયલોગ્સ અને VFX માટે ટીકાનો સામનો કરી રહ્યા છે. 'આદિપુરુષ'ને સમગ્ર વિશ્વમાં અસાધારણ પ્રતિસાદ મળી રહ્યો છે અને તે તમામ વય જૂથોના પ્રેક્ષકોના દિલ જીતી રહી છે. ફિલ્મને એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવવા માટે, ટીમે લોકો અને પ્રેક્ષકોના ઇનપુટ્સને ધ્યાનમાં લઈને, ફિલ્મના ડાયલોગને બદલવાનો નિર્ણય કર્યો છે.


ફરીથી લખાશે ડાયલોગ્સ


ફિલ્મ મેકર્સ આદિપુરુષના તમામ સંવાદો પર ફરીથી વિચાર કરી રહ્યા છે. તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે ફરીથી લખવામાં આવે અને તે આગામી થોડા દિવસોમાં થિયેટરોમાં બતાવવામાં આવશે. આ નિર્ણય એ હકીકતની સાક્ષી છે કે બોક્સ ઓફિસ પર ફિલ્મએ જંગી કલેક્શન કર્યું હોવા છતાં, ટીમ તેમના પ્રેક્ષકોની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 151 કરોડની કમાણી કરી છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' સામે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. 


ફિલ્મના લેખકે શું કહ્યું?


ફિલ્મ આદિપુરુષના લેખક મનોજ મુન્તાશીરે ટ્વિટર પર એક લાંબી પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી શેર કરી છે. મનોજ મુન્તાશીરે ખાતરી આપી છે કે, ફિલ્મના કેટલાક ડાયલોગ્સ હટાવવામાં આવશે. ફિલ્મની ટીમે લોકોના રિએક્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મનોજે કહ્યું કે, ટૂંક સમયમાં જ ફિલ્મના ડાયલોગમાં સુધારો કરવામાં આવશે. મનોજ મુન્તાશીર લખ્યું કે, 'મારા માટે તમારી લાગણીથી વધુ મહત્વનું કંઈ નથી. હું મારા ડાયલોગ્સના પક્ષમાં અગણિત દલીલો આપી શકું છું, પરંતુ તેનાથી તમારી પીડા ઓછી થશે નહીં. તેણે વધુમાં લખ્યું કે, 'મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે, જે ડાયલોગ્સ તમારી ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યા છે, અમે તેને સંશોધિત કરીશું.



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.