બદલવામાં આવશે 'આદિપુરુષ'ના 'ટપોરી' ડાયલોગ! લોકોની ભાવનાને જોતા મેકર્સનો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-06-18 18:35:44

ઓમ રાઉતની 'આદિપુરુષ'ને બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ મળી હતું, પરંતુ પ્રભાસ સ્ટારર ફિલ્મ અનેક કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. 500 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મના મેકર્સ ફિલ્મના ડાયલોગ્સ અને VFX માટે ટીકાનો સામનો કરી રહ્યા છે. 'આદિપુરુષ'ને સમગ્ર વિશ્વમાં અસાધારણ પ્રતિસાદ મળી રહ્યો છે અને તે તમામ વય જૂથોના પ્રેક્ષકોના દિલ જીતી રહી છે. ફિલ્મને એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવવા માટે, ટીમે લોકો અને પ્રેક્ષકોના ઇનપુટ્સને ધ્યાનમાં લઈને, ફિલ્મના ડાયલોગને બદલવાનો નિર્ણય કર્યો છે.


ફરીથી લખાશે ડાયલોગ્સ


ફિલ્મ મેકર્સ આદિપુરુષના તમામ સંવાદો પર ફરીથી વિચાર કરી રહ્યા છે. તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે ફરીથી લખવામાં આવે અને તે આગામી થોડા દિવસોમાં થિયેટરોમાં બતાવવામાં આવશે. આ નિર્ણય એ હકીકતની સાક્ષી છે કે બોક્સ ઓફિસ પર ફિલ્મએ જંગી કલેક્શન કર્યું હોવા છતાં, ટીમ તેમના પ્રેક્ષકોની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 151 કરોડની કમાણી કરી છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' સામે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. 


ફિલ્મના લેખકે શું કહ્યું?


ફિલ્મ આદિપુરુષના લેખક મનોજ મુન્તાશીરે ટ્વિટર પર એક લાંબી પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી શેર કરી છે. મનોજ મુન્તાશીરે ખાતરી આપી છે કે, ફિલ્મના કેટલાક ડાયલોગ્સ હટાવવામાં આવશે. ફિલ્મની ટીમે લોકોના રિએક્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મનોજે કહ્યું કે, ટૂંક સમયમાં જ ફિલ્મના ડાયલોગમાં સુધારો કરવામાં આવશે. મનોજ મુન્તાશીર લખ્યું કે, 'મારા માટે તમારી લાગણીથી વધુ મહત્વનું કંઈ નથી. હું મારા ડાયલોગ્સના પક્ષમાં અગણિત દલીલો આપી શકું છું, પરંતુ તેનાથી તમારી પીડા ઓછી થશે નહીં. તેણે વધુમાં લખ્યું કે, 'મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે, જે ડાયલોગ્સ તમારી ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યા છે, અમે તેને સંશોધિત કરીશું.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.