અરવિંદ કેજરીવાલના નિવેદન પર મનોજ તિવારી વરસી પડ્યા


  • Published By :
  • Published Date : 2022-10-26 15:08:06

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી રૂપિયાની નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી અને ગણેશજીનો પણ ફોટો હોવો જોઈએ. આ નિવેદન પર ભાજપના નેતા મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ લગાવ્યા હતા કે અરવિંદ કેજરીવાલ વોટ માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યા છે. 


કેજરીવાલે કેન્દ્ર સરકારને અજીબ અપીલ કરી 

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી અને ગણેશજીનો પણ ફોટો હોવો જોઈએ. તેમનો તર્ક હતો કે આનાથી દેશમાં સમૃદ્ધિ આવશે અને સમગ્ર ભારતને આશિર્વાદ મળશે. અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાણ કરવાની પણ વાત કરી હતી. 


મનોજ તિવારીના અરવિંદ કેજરીવાલ પર પ્રહારો 

દિલ્લી ભાજપના પૂર્વ પ્રમુખ અને લોકસભા સાંસદ મનોજ તિવારીએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય નોટ પર લક્ષ્મી અને ગણેશજીના ફોટોની માગ પૂરી રીતે લોકોને ભટકાવવાનો પ્રયાસ છે. અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે ગુજરાત ચૂંટણીમાં તેમને લાભ મળે માટે તે આવા નિવેદનો આપી રહ્યા છે. ગુજરાત ચૂંટણીમાં પોતાને ફાયદો થાય તેના માટે આ બધુ કરી રહ્યા છે. 


આની પાછળ અરવિંદ કેજરીવાલનો શું તર્ક હતો?

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દેશન અર્થવ્યવસ્થા ખરાબ સમયથી પસાર થઈ રહી છે. ડોલરની તુલનામાં રૂપિયો તૂટતો જઈ રહ્યો છે. આના કારણે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. અમે(આમ આદમી પાર્ટી) ઈચ્છીએ છીએ કે દેશ અમીર બને, લોકો અમીર બને. દેશને અમીર બનાવવા માટે અમુક પગલાઓ ઉપાડવા પડી રહ્યા છે. આપણે મોટી સંખ્યામાં હોસ્પિટલ, સ્કૂલ વગેરે ઉભું કરવાનું છે. 

 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.