અરવિંદ કેજરીવાલના નિવેદન પર મનોજ તિવારી વરસી પડ્યા


  • Published By :
  • Published Date : 2022-10-26 15:08:06

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી રૂપિયાની નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી અને ગણેશજીનો પણ ફોટો હોવો જોઈએ. આ નિવેદન પર ભાજપના નેતા મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ લગાવ્યા હતા કે અરવિંદ કેજરીવાલ વોટ માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યા છે. 


કેજરીવાલે કેન્દ્ર સરકારને અજીબ અપીલ કરી 

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી અને ગણેશજીનો પણ ફોટો હોવો જોઈએ. તેમનો તર્ક હતો કે આનાથી દેશમાં સમૃદ્ધિ આવશે અને સમગ્ર ભારતને આશિર્વાદ મળશે. અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાણ કરવાની પણ વાત કરી હતી. 


મનોજ તિવારીના અરવિંદ કેજરીવાલ પર પ્રહારો 

દિલ્લી ભાજપના પૂર્વ પ્રમુખ અને લોકસભા સાંસદ મનોજ તિવારીએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય નોટ પર લક્ષ્મી અને ગણેશજીના ફોટોની માગ પૂરી રીતે લોકોને ભટકાવવાનો પ્રયાસ છે. અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે ગુજરાત ચૂંટણીમાં તેમને લાભ મળે માટે તે આવા નિવેદનો આપી રહ્યા છે. ગુજરાત ચૂંટણીમાં પોતાને ફાયદો થાય તેના માટે આ બધુ કરી રહ્યા છે. 


આની પાછળ અરવિંદ કેજરીવાલનો શું તર્ક હતો?

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દેશન અર્થવ્યવસ્થા ખરાબ સમયથી પસાર થઈ રહી છે. ડોલરની તુલનામાં રૂપિયો તૂટતો જઈ રહ્યો છે. આના કારણે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. અમે(આમ આદમી પાર્ટી) ઈચ્છીએ છીએ કે દેશ અમીર બને, લોકો અમીર બને. દેશને અમીર બનાવવા માટે અમુક પગલાઓ ઉપાડવા પડી રહ્યા છે. આપણે મોટી સંખ્યામાં હોસ્પિટલ, સ્કૂલ વગેરે ઉભું કરવાનું છે. 

 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .