અરવિંદ કેજરીવાલના નિવેદન પર મનોજ તિવારી વરસી પડ્યા


  • Published By :
  • Published Date : 2022-10-26 15:08:06

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી રૂપિયાની નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી અને ગણેશજીનો પણ ફોટો હોવો જોઈએ. આ નિવેદન પર ભાજપના નેતા મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ લગાવ્યા હતા કે અરવિંદ કેજરીવાલ વોટ માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યા છે. 


કેજરીવાલે કેન્દ્ર સરકારને અજીબ અપીલ કરી 

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી અને ગણેશજીનો પણ ફોટો હોવો જોઈએ. તેમનો તર્ક હતો કે આનાથી દેશમાં સમૃદ્ધિ આવશે અને સમગ્ર ભારતને આશિર્વાદ મળશે. અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાણ કરવાની પણ વાત કરી હતી. 


મનોજ તિવારીના અરવિંદ કેજરીવાલ પર પ્રહારો 

દિલ્લી ભાજપના પૂર્વ પ્રમુખ અને લોકસભા સાંસદ મનોજ તિવારીએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય નોટ પર લક્ષ્મી અને ગણેશજીના ફોટોની માગ પૂરી રીતે લોકોને ભટકાવવાનો પ્રયાસ છે. અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે ગુજરાત ચૂંટણીમાં તેમને લાભ મળે માટે તે આવા નિવેદનો આપી રહ્યા છે. ગુજરાત ચૂંટણીમાં પોતાને ફાયદો થાય તેના માટે આ બધુ કરી રહ્યા છે. 


આની પાછળ અરવિંદ કેજરીવાલનો શું તર્ક હતો?

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દેશન અર્થવ્યવસ્થા ખરાબ સમયથી પસાર થઈ રહી છે. ડોલરની તુલનામાં રૂપિયો તૂટતો જઈ રહ્યો છે. આના કારણે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. અમે(આમ આદમી પાર્ટી) ઈચ્છીએ છીએ કે દેશ અમીર બને, લોકો અમીર બને. દેશને અમીર બનાવવા માટે અમુક પગલાઓ ઉપાડવા પડી રહ્યા છે. આપણે મોટી સંખ્યામાં હોસ્પિટલ, સ્કૂલ વગેરે ઉભું કરવાનું છે. 

 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.