અનેક અભિનેતાઓએ પીએમ મોદીના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો


  • Published By :
  • Published Date : 2022-12-30 14:02:11

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું નિધન વહેલી સવારે થયું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગેની માહિતી આપી હતી. ગાંધીનગર ખાતે હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ માંને કાંધ આપી હતી. અને તેમને મુખાગ્નિ પણ આપી હતી. પીએમ મોદીના માતાના નિધનથી શોક છવાઈ ગયો હતો. નેતાઓએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. ઉપરાંત અનેક અભિનેતાઓએ પણ દુખ વ્યક્ત કર્યો હતો. 



કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યું દુખ   

કંગના રણાવટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. દુખ વ્યક્ત કરતા કંગનાએ લખ્યું કે ઈશ્વર પ્રધાનમંત્રીને આ કઠિન સમયમાં ધૈર્ય અને શાંતિ આપે. કેપ્શનની સાથે કંગનાએ પીએમ મોદી અને હીરાબાની એક તસ્વીર શેર કરી હતી.


અક્ષયકુમારે પણ પાઠવી શ્રદ્ધાંજલિ

કંગના સિવાય અક્ષયકુમારે પણ આ ઘટનાને લઈ દુખની લાગણી વ્યક્ત કરી હતી. અક્ષયકુમારે પોસ્ટ કરતા લખ્યું કે માંને ખોવાનું દુખ એક મોટુ દુખ હોય છે. પીએમ મોદીને આ દુખ સહન કરવાની શક્તિ આપે. 


અનુપમ ખેરે પણ પીએમ મોદીને સાંત્વના પાઠવી 

અક્ષયકુમાર સિવાય અનુપમ ખેરે પણ દુખની લાગણી વ્યક્ત કરી હતી. અનુપમ ખેરે પોસ્ટ કરતા લખ્યું કે વડાપ્રધાન મોદીની માતાના નિધનના સમાચાર સાંભળી દુખ થયું. પીએમનો તેમની માતા પ્રત્યે તમારો પ્રેમ જગ જાહેર છે. તેમનું સ્થાન જીવનમાં કોઈ નહીં ભરી શકે. તમે ભારત માંના સપૂત છે. અજય દેવગણે પણ આ વાતને લઈ દુખ વ્યક્ત કર્યુ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.