અનેક અભિનેતાઓએ પીએમ મોદીના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો


  • Published By :
  • Published Date : 2022-12-30 14:02:11

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું નિધન વહેલી સવારે થયું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગેની માહિતી આપી હતી. ગાંધીનગર ખાતે હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ માંને કાંધ આપી હતી. અને તેમને મુખાગ્નિ પણ આપી હતી. પીએમ મોદીના માતાના નિધનથી શોક છવાઈ ગયો હતો. નેતાઓએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. ઉપરાંત અનેક અભિનેતાઓએ પણ દુખ વ્યક્ત કર્યો હતો. 



કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યું દુખ   

કંગના રણાવટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. દુખ વ્યક્ત કરતા કંગનાએ લખ્યું કે ઈશ્વર પ્રધાનમંત્રીને આ કઠિન સમયમાં ધૈર્ય અને શાંતિ આપે. કેપ્શનની સાથે કંગનાએ પીએમ મોદી અને હીરાબાની એક તસ્વીર શેર કરી હતી.


અક્ષયકુમારે પણ પાઠવી શ્રદ્ધાંજલિ

કંગના સિવાય અક્ષયકુમારે પણ આ ઘટનાને લઈ દુખની લાગણી વ્યક્ત કરી હતી. અક્ષયકુમારે પોસ્ટ કરતા લખ્યું કે માંને ખોવાનું દુખ એક મોટુ દુખ હોય છે. પીએમ મોદીને આ દુખ સહન કરવાની શક્તિ આપે. 


અનુપમ ખેરે પણ પીએમ મોદીને સાંત્વના પાઠવી 

અક્ષયકુમાર સિવાય અનુપમ ખેરે પણ દુખની લાગણી વ્યક્ત કરી હતી. અનુપમ ખેરે પોસ્ટ કરતા લખ્યું કે વડાપ્રધાન મોદીની માતાના નિધનના સમાચાર સાંભળી દુખ થયું. પીએમનો તેમની માતા પ્રત્યે તમારો પ્રેમ જગ જાહેર છે. તેમનું સ્થાન જીવનમાં કોઈ નહીં ભરી શકે. તમે ભારત માંના સપૂત છે. અજય દેવગણે પણ આ વાતને લઈ દુખ વ્યક્ત કર્યુ છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .