અનેક અભિનેતાઓએ પીએમ મોદીના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો


  • Published By :
  • Published Date : 2022-12-30 14:02:11

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું નિધન વહેલી સવારે થયું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગેની માહિતી આપી હતી. ગાંધીનગર ખાતે હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ માંને કાંધ આપી હતી. અને તેમને મુખાગ્નિ પણ આપી હતી. પીએમ મોદીના માતાના નિધનથી શોક છવાઈ ગયો હતો. નેતાઓએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. ઉપરાંત અનેક અભિનેતાઓએ પણ દુખ વ્યક્ત કર્યો હતો. 



કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યું દુખ   

કંગના રણાવટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. દુખ વ્યક્ત કરતા કંગનાએ લખ્યું કે ઈશ્વર પ્રધાનમંત્રીને આ કઠિન સમયમાં ધૈર્ય અને શાંતિ આપે. કેપ્શનની સાથે કંગનાએ પીએમ મોદી અને હીરાબાની એક તસ્વીર શેર કરી હતી.


અક્ષયકુમારે પણ પાઠવી શ્રદ્ધાંજલિ

કંગના સિવાય અક્ષયકુમારે પણ આ ઘટનાને લઈ દુખની લાગણી વ્યક્ત કરી હતી. અક્ષયકુમારે પોસ્ટ કરતા લખ્યું કે માંને ખોવાનું દુખ એક મોટુ દુખ હોય છે. પીએમ મોદીને આ દુખ સહન કરવાની શક્તિ આપે. 


અનુપમ ખેરે પણ પીએમ મોદીને સાંત્વના પાઠવી 

અક્ષયકુમાર સિવાય અનુપમ ખેરે પણ દુખની લાગણી વ્યક્ત કરી હતી. અનુપમ ખેરે પોસ્ટ કરતા લખ્યું કે વડાપ્રધાન મોદીની માતાના નિધનના સમાચાર સાંભળી દુખ થયું. પીએમનો તેમની માતા પ્રત્યે તમારો પ્રેમ જગ જાહેર છે. તેમનું સ્થાન જીવનમાં કોઈ નહીં ભરી શકે. તમે ભારત માંના સપૂત છે. અજય દેવગણે પણ આ વાતને લઈ દુખ વ્યક્ત કર્યુ છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી