મહિષાસુરનો વધ કરવા અનેક દેવતાઓ શક્તિને આપ્યા પોતાના શસ્ત્ર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 18:06:28

નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રી આદ્યશક્તિની આરાધનાનો મહા પર્વ છે. અનેક વખત દૈત્યોનો સંહાર કરવા માતાજીએ રૂપ ધારણ કર્યા છે. દૈત્ય મહિષાસુરના સંહાર માટે માતાજીએ રણસંગ્રામમાં ભાગ લીધો હતો. કહેવાય છે કે માતાજીએ દૈત્યના સંહાર કર્યો હતો તે બાદ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે.


મહિષાસુરનો વધ કરવા માતાજીની થઈ ઉત્પત્તિ 

મહિષાસુરનો વધ કરવા માટે દેવતાઓએ માતાજીને પોત-પોતાની શક્તિ આપી હતી. તેમજ પોતાના અસ્ત્ર-શસ્ત્ર માતાજીને અર્પણ કર્યા હતા. દાનવોનું સામરાજ્ય વધી રહ્યું હતું અને દેવતાનું સામરાજ્ય ઘટી રહ્યું હતું જેથી ચિંતિંત થઈ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા. જે બાદ તમામ દેવતાઓએ પોતાની શક્તિ આપી એક શક્તિની રચના કરી. માતાજીની ઉત્પત્તિ થતા દૈત્યો ખડખડાટ હસવા લાગ્યા હતા. માતાજીને નબળા સમજી તેઓ હાસ્ય કરવા લાગ્યા. ત્યારે માતાજીએ ક્રોધિત થઈ તમામ દૈત્યોનો સંહાર કર્યો હતો. 

Weapons of Maa Durga - Story Behind The 10 Weapons of Maa Durga

માતાજીને અલગ અલગ દેવતાઓએ આપ્યા છે શસ્ત્ર

મહિષાસુરનો વધ કરવા માટે દેવી જ્યારે રણસંગ્રામમાં આવ્યા ત્યારે દેવતાઓએ પોતાની શક્તિઓ તેમજ શસ્ત્રો આપ્યા હતા. સુદર્શન ચક્ર, શંખ, અંકુશ, દંડ, સિંહ તેમજ બીજા અનેક શસ્ત્રો લઈ માતાજી યુદ્ધ કરવા મેદાનમાં ઉતર્યા હતા.

શંખ -

કોઈ પણ યુદ્ધ શરૂ થતા પહેલા શંખનાદ કરવામાં આવે છે. મહાભારતના યુદ્ધ પહેલા પણ અનેક મહારથીઓએ શંખનાદ કર્યો હતો. ત્યારે વરૂણ દેવે માતાજીને શંખ આપ્યો હતો. શંખની ધ્વનિ માત્રથી જ અનેક દૈત્યોનો નાશ થઈ જાય છે. કોઈ પ્રકારની નકારાત્મક્તા ટકી શક્તી નથી. 

સુદર્શન ચક્ર - 

વિષ્ણુ ભગવાનનું શસ્ત્ર છે સુદર્શન ચક્ર. વિષ્ણપ ભગવાને પોતાની સુદર્શન ચક્રથી અનેક દૈત્યોનો સંહાર કર્યો હતો. ત્યારે માતાજીને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર અર્પિત કર્યું હતું. 

In pics: 10 weapons of Goddess Durga and its significance - Oneindia News

દંડ  -

દંડને યમરાજનું શસ્ત્ર માનવામાં આવે છે. યમરાજાએ માતાજીને દંડ અર્પણ કર્યો હતો. જીવાત્મા જ્યારે પણ ખોટુ કામ કરે છે ત્યારે માતાજી તેને દંડ આપી શકે. 

ત્રિશુળ  -

ભગવાન શંકરે માતાજીને ત્રિશુળ અર્પણ કર્યું હતું. જેના ઉપયોગથી માતાજીએ અનેક દૈત્યોનો સંહાર કર્યો છે.

અંકુશ, અગ્નિ -

 માતાજી જીવાત્માઓ પર અંકુશ મેળવે તે માટે ઈન્દ્ર દેવે માતાજીને અંકુશ અર્પણ કર્યું હતું. તેમજ અગ્નિથી અનેક દૈત્યોનો સંહાર થઈ શકે તે માટે અગ્નિએ પોતાની શક્તિ માતાજીને અર્પણ કરી હતી.

સિંહ-

પર્વતરાજ હિમાલયે માતાજીને સિંહ અર્પણ કર્યો હતો. સિંહ પર બિરાજમાન થઈ માતાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. જે બાદ તેઓ મહિષાસુર મર્દિની કહેવાયા. 

MAHISHASURA MARDINI STOTRAM -BY NAVADURGA'S | MAHISHASURAMARDINI STOTRAM  HISTORY & SIGNIFICANCE ~ Mahishasuramardini stotram is based on Devi  mahatmyam (the holy text of the shakta's) in which Devi... | By The Ancient  Hinduism | Facebook






નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે