કર્ણાટકના અત્યારના પરિણામ અંગે અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા! જાણો કમલનાથને શેનો સતાવી રહ્યો છે ડર, તો ભાજપ માટે સંજય રાઉતે કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-13 12:42:13

કર્ણાટકમાં હાલ મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે. કોંગ્રેસ કરતા ભાજપને ઓછી સીટ હાલ મળતી દેખાઈ રહી છે. ભાજપને ઓછી સીટ મળતા અનેક નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલના પરિણામ જોતા શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બજરંગબલીની ગદા ભાજપના માથે પડી છે. તે સિવાય મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નિશ્ચિત રૂપથી સરકાર બનાવી રહી છે પરંતુ ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરશે. શરુઆત મધ્યપ્રદેશથી થઈ હતી.

       


ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરશે! 

ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટીઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવતી હોય છે. અનેક વખત એવું પણ થાય છે કે પરિણામ કોઈ પાર્ટીના તરફેણમાં આવતા હોય છે પરંતુ સરકાર ગઠબંધન કરી સરકાર કોઈ બીજી પાર્ટી બનાવતી હોય. અનેક વખત એવું પણ થયું છે કે ધારાસભ્યો બીજી પાર્ટીમાં જતા રહેતા હોય છે જેને કારણે સરકાર પડી જતી હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સરકાર તૂટી પડી છે અને ભાજપ દ્વારા સરકાર બનાવામાં આવતી હોય છે. ત્યારે આ અંગેની ચિંતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે  કોંગ્રેસ નિશ્ચિત રૂપથી સરકાર બનાવી રહી છે પરંતુ ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરશે. શરુઆત મધ્યપ્રદેશથી થઈ હતી.            

સંજય રાઉતે મનીષ સિસોદિયાને આપ્યું સમર્થન, કહ્યું ભાજપમાં શું હિમાલયના સંતો  બેઠા છે

સંજય રાઉતે આપી પ્રતિક્રિયા!

કમલનાથ સિવાય સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બજરંગબલીની ગદા ભાજપના માથા પર પડી છે. કર્ણાટકમાં કોંગ્રેસ જીતી રહી છે જ્યારે મોદી અને અમિત શાહની હાર થઈ રહી છે.જયારે લાગ્યું કે તે લોકો હારી રહ્યા છે તો તેમણે હનુમાનજીને આગળ કરી દીધા.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.