કર્ણાટકના અત્યારના પરિણામ અંગે અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા! જાણો કમલનાથને શેનો સતાવી રહ્યો છે ડર, તો ભાજપ માટે સંજય રાઉતે કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-13 12:42:13

કર્ણાટકમાં હાલ મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે. કોંગ્રેસ કરતા ભાજપને ઓછી સીટ હાલ મળતી દેખાઈ રહી છે. ભાજપને ઓછી સીટ મળતા અનેક નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલના પરિણામ જોતા શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બજરંગબલીની ગદા ભાજપના માથે પડી છે. તે સિવાય મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નિશ્ચિત રૂપથી સરકાર બનાવી રહી છે પરંતુ ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરશે. શરુઆત મધ્યપ્રદેશથી થઈ હતી.

       


ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરશે! 

ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટીઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવતી હોય છે. અનેક વખત એવું પણ થાય છે કે પરિણામ કોઈ પાર્ટીના તરફેણમાં આવતા હોય છે પરંતુ સરકાર ગઠબંધન કરી સરકાર કોઈ બીજી પાર્ટી બનાવતી હોય. અનેક વખત એવું પણ થયું છે કે ધારાસભ્યો બીજી પાર્ટીમાં જતા રહેતા હોય છે જેને કારણે સરકાર પડી જતી હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સરકાર તૂટી પડી છે અને ભાજપ દ્વારા સરકાર બનાવામાં આવતી હોય છે. ત્યારે આ અંગેની ચિંતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે  કોંગ્રેસ નિશ્ચિત રૂપથી સરકાર બનાવી રહી છે પરંતુ ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરશે. શરુઆત મધ્યપ્રદેશથી થઈ હતી.            

સંજય રાઉતે મનીષ સિસોદિયાને આપ્યું સમર્થન, કહ્યું ભાજપમાં શું હિમાલયના સંતો  બેઠા છે

સંજય રાઉતે આપી પ્રતિક્રિયા!

કમલનાથ સિવાય સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બજરંગબલીની ગદા ભાજપના માથા પર પડી છે. કર્ણાટકમાં કોંગ્રેસ જીતી રહી છે જ્યારે મોદી અને અમિત શાહની હાર થઈ રહી છે.જયારે લાગ્યું કે તે લોકો હારી રહ્યા છે તો તેમણે હનુમાનજીને આગળ કરી દીધા.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.