વિશ્વના આ દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ધરતીકંપને કારણે થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 09:36:21

મંગળવાર રાત્રે વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. અફઘાનિસ્તાનમાં ધરતીકંપના તીવ્ર ભૂકંપનો અનુભવ થયો હતો. તે સિવાય પાકિસ્તાન, ચીનમાં તેમજ ભારતના અનેક રાજ્યોની ધરા પણ ભૂકંપને કારણે ધ્રુજી હતી. મળતી માહિતી અનુસાર ભૂકંપના આંચકાને કારણે પાકિસ્તાનમાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા છે.

 

પાકિસ્તાનમાં થયા અનેક લોકોના મોત 

મંગળવાર રાત્રે લગભગ 10.15 વાગ્યાની આસપાસ વિશ્વના અનેક દેશોમાં તીવ્ર ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફાયજાબાદથી 133 કિમી દક્ષિણ પૂર્વમાં જમીનની 156 કિમી અંદર નોંધાયું હતું. પાકિસ્તાનના ઈસ્લામાબાદ સહિત ભારતના અનેક રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાનના ફાયજાબાદમાં સૌથી વધુ ભૂકંપની તીવ્રતા નોંધાઈ હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ છે. પાકિસ્તાનના પેશાવર, કોહાટ, સ્વાબી,લાહોર, રાવલપિંડી સહિત અનેક વિસ્તારોમાં પણ ધરા ધ્રુજૂ હતી. 


ભારતના અનેક રાજ્યોની પણ ધરા ધ્રુજી 

તે સિવાય ભારતના પણ અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. મંગળવાર રાત્રે લગભગ 10.19 મિનિટ આસપાસ દિલ્હીમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. તે સિવાય અનેક મીડિયા રિપોર્ટના આધારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. ભૂકંપને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. એવી માહિતી પણ સામે આવી હતી કે ધરતીકંપને કારણે દિલ્હીમાં એક બિલ્ડિંગ નમી પડી છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.