વિશ્વના આ દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ધરતીકંપને કારણે થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 09:36:21

મંગળવાર રાત્રે વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. અફઘાનિસ્તાનમાં ધરતીકંપના તીવ્ર ભૂકંપનો અનુભવ થયો હતો. તે સિવાય પાકિસ્તાન, ચીનમાં તેમજ ભારતના અનેક રાજ્યોની ધરા પણ ભૂકંપને કારણે ધ્રુજી હતી. મળતી માહિતી અનુસાર ભૂકંપના આંચકાને કારણે પાકિસ્તાનમાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા છે.

 

પાકિસ્તાનમાં થયા અનેક લોકોના મોત 

મંગળવાર રાત્રે લગભગ 10.15 વાગ્યાની આસપાસ વિશ્વના અનેક દેશોમાં તીવ્ર ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફાયજાબાદથી 133 કિમી દક્ષિણ પૂર્વમાં જમીનની 156 કિમી અંદર નોંધાયું હતું. પાકિસ્તાનના ઈસ્લામાબાદ સહિત ભારતના અનેક રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાનના ફાયજાબાદમાં સૌથી વધુ ભૂકંપની તીવ્રતા નોંધાઈ હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ છે. પાકિસ્તાનના પેશાવર, કોહાટ, સ્વાબી,લાહોર, રાવલપિંડી સહિત અનેક વિસ્તારોમાં પણ ધરા ધ્રુજૂ હતી. 


ભારતના અનેક રાજ્યોની પણ ધરા ધ્રુજી 

તે સિવાય ભારતના પણ અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. મંગળવાર રાત્રે લગભગ 10.19 મિનિટ આસપાસ દિલ્હીમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. તે સિવાય અનેક મીડિયા રિપોર્ટના આધારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. ભૂકંપને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. એવી માહિતી પણ સામે આવી હતી કે ધરતીકંપને કારણે દિલ્હીમાં એક બિલ્ડિંગ નમી પડી છે.    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .