વિશ્વના આ દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ધરતીકંપને કારણે થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 09:36:21

મંગળવાર રાત્રે વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. અફઘાનિસ્તાનમાં ધરતીકંપના તીવ્ર ભૂકંપનો અનુભવ થયો હતો. તે સિવાય પાકિસ્તાન, ચીનમાં તેમજ ભારતના અનેક રાજ્યોની ધરા પણ ભૂકંપને કારણે ધ્રુજી હતી. મળતી માહિતી અનુસાર ભૂકંપના આંચકાને કારણે પાકિસ્તાનમાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા છે.

 

પાકિસ્તાનમાં થયા અનેક લોકોના મોત 

મંગળવાર રાત્રે લગભગ 10.15 વાગ્યાની આસપાસ વિશ્વના અનેક દેશોમાં તીવ્ર ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફાયજાબાદથી 133 કિમી દક્ષિણ પૂર્વમાં જમીનની 156 કિમી અંદર નોંધાયું હતું. પાકિસ્તાનના ઈસ્લામાબાદ સહિત ભારતના અનેક રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાનના ફાયજાબાદમાં સૌથી વધુ ભૂકંપની તીવ્રતા નોંધાઈ હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ છે. પાકિસ્તાનના પેશાવર, કોહાટ, સ્વાબી,લાહોર, રાવલપિંડી સહિત અનેક વિસ્તારોમાં પણ ધરા ધ્રુજૂ હતી. 


ભારતના અનેક રાજ્યોની પણ ધરા ધ્રુજી 

તે સિવાય ભારતના પણ અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. મંગળવાર રાત્રે લગભગ 10.19 મિનિટ આસપાસ દિલ્હીમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. તે સિવાય અનેક મીડિયા રિપોર્ટના આધારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. ભૂકંપને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. એવી માહિતી પણ સામે આવી હતી કે ધરતીકંપને કારણે દિલ્હીમાં એક બિલ્ડિંગ નમી પડી છે.    



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.