દિલ્હી કંઝાવાલા કેસમાં થઈ રહ્યા છે અનેક ખુલાસા, અંજલીની મિત્રએ ઘટના અંગે આપ્યું નિવેદન, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-01-04 11:39:22

રાજધાની દિલ્હીમાં નવા વર્ષના દિવસે હચમચાવી દે તેવી ઘટના બની હતી. અકસ્માત બાદ અનેક કિલોમીટર સુધી અંજલી ઢસડાતી રહી. આ કેસમાં રોજ-રોજ નવા વળાંક આવી રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું કે આ ઘટના બની ત્યારે અંજલી એકલી જ હતી. પરંતુ ગઈ કાલે નવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો જેમાં તેની સાથે તેની મિત્ર પણ દેખાતી હતી. ત્યારે  મળતી માહિતી મુજબ અંજલીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે જેમાં રેપ નથી થયો તેવી પુષ્ટિ કરવામાં આવી છે.       


નવા સીસીટીવી ફૂટેજમાં થયા અનેક ખુલાસા 

દિલ્હીના કંજાવલા કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. નવા વર્ષ દરમિયાન આ ઘટના બની હતી જેમાં અનેક કિલોમીટર સુધી ગાડીની સાથે અંજલી ઠસડાતી હતી. આ ઘટના બાદએ લોકોને હલાવી દીધા છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આ બધા વચ્ચે એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં તેની સાથે તેની મિત્ર પણ દેખાય છે. 


અકસ્માત થયો તે દરમિયાન તેની મિત્ર પણ હતી સાથે  

સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ દ્વારા તેની મિત્રની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું કે અંજલી નશામાં હતી. નશામાં હોવાથી મેં સ્કુટી ચલાવવાની વાત કહી પરંતુ તેણે વાત ન માની. જેને કારણે કાર સાથે ટક્કર થઈ. ટક્કર થવાને કારણે તે નીચે પડી ગઈ પરંતુ અંજલી ગાડીની નીચે અટકી ગઈ. આ ઘટનાને કારણે તે ડરી ગઈ અને ત્યાંથી ભાગી અને આ અંગેની વાત કોઈને ન કરી. 


પુત્રીના મોત પર માતાએ લગાવ્યા હતા ગંભીર આરોપ  

આ ઘટનાને લઈ અંજલીના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેમની દિકરી સાથે દુષ્કર્મ થયો છે. અને તે બાદ તેની આવી હાલત કરી દેવામાં આવી છે. અંજલીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એવી માહિતી મળી રહી છે કે રિપોર્ટ આવી ગયો છે જેમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં નથી આવ્યો તેવો ખુલાસો થયો છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.