દિલ્હી કંઝાવાલા કેસમાં થઈ રહ્યા છે અનેક ખુલાસા, અંજલીની મિત્રએ ઘટના અંગે આપ્યું નિવેદન, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-01-04 11:39:22

રાજધાની દિલ્હીમાં નવા વર્ષના દિવસે હચમચાવી દે તેવી ઘટના બની હતી. અકસ્માત બાદ અનેક કિલોમીટર સુધી અંજલી ઢસડાતી રહી. આ કેસમાં રોજ-રોજ નવા વળાંક આવી રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું કે આ ઘટના બની ત્યારે અંજલી એકલી જ હતી. પરંતુ ગઈ કાલે નવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો જેમાં તેની સાથે તેની મિત્ર પણ દેખાતી હતી. ત્યારે  મળતી માહિતી મુજબ અંજલીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે જેમાં રેપ નથી થયો તેવી પુષ્ટિ કરવામાં આવી છે.       


નવા સીસીટીવી ફૂટેજમાં થયા અનેક ખુલાસા 

દિલ્હીના કંજાવલા કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. નવા વર્ષ દરમિયાન આ ઘટના બની હતી જેમાં અનેક કિલોમીટર સુધી ગાડીની સાથે અંજલી ઠસડાતી હતી. આ ઘટના બાદએ લોકોને હલાવી દીધા છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આ બધા વચ્ચે એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં તેની સાથે તેની મિત્ર પણ દેખાય છે. 


અકસ્માત થયો તે દરમિયાન તેની મિત્ર પણ હતી સાથે  

સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ દ્વારા તેની મિત્રની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું કે અંજલી નશામાં હતી. નશામાં હોવાથી મેં સ્કુટી ચલાવવાની વાત કહી પરંતુ તેણે વાત ન માની. જેને કારણે કાર સાથે ટક્કર થઈ. ટક્કર થવાને કારણે તે નીચે પડી ગઈ પરંતુ અંજલી ગાડીની નીચે અટકી ગઈ. આ ઘટનાને કારણે તે ડરી ગઈ અને ત્યાંથી ભાગી અને આ અંગેની વાત કોઈને ન કરી. 


પુત્રીના મોત પર માતાએ લગાવ્યા હતા ગંભીર આરોપ  

આ ઘટનાને લઈ અંજલીના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેમની દિકરી સાથે દુષ્કર્મ થયો છે. અને તે બાદ તેની આવી હાલત કરી દેવામાં આવી છે. અંજલીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એવી માહિતી મળી રહી છે કે રિપોર્ટ આવી ગયો છે જેમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં નથી આવ્યો તેવો ખુલાસો થયો છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.