દિલ્હી કંઝાવાલા કેસમાં થઈ રહ્યા છે અનેક ખુલાસા, અંજલીની મિત્રએ ઘટના અંગે આપ્યું નિવેદન, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-01-04 11:39:22

રાજધાની દિલ્હીમાં નવા વર્ષના દિવસે હચમચાવી દે તેવી ઘટના બની હતી. અકસ્માત બાદ અનેક કિલોમીટર સુધી અંજલી ઢસડાતી રહી. આ કેસમાં રોજ-રોજ નવા વળાંક આવી રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું કે આ ઘટના બની ત્યારે અંજલી એકલી જ હતી. પરંતુ ગઈ કાલે નવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો જેમાં તેની સાથે તેની મિત્ર પણ દેખાતી હતી. ત્યારે  મળતી માહિતી મુજબ અંજલીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે જેમાં રેપ નથી થયો તેવી પુષ્ટિ કરવામાં આવી છે.       


નવા સીસીટીવી ફૂટેજમાં થયા અનેક ખુલાસા 

દિલ્હીના કંજાવલા કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. નવા વર્ષ દરમિયાન આ ઘટના બની હતી જેમાં અનેક કિલોમીટર સુધી ગાડીની સાથે અંજલી ઠસડાતી હતી. આ ઘટના બાદએ લોકોને હલાવી દીધા છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આ બધા વચ્ચે એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં તેની સાથે તેની મિત્ર પણ દેખાય છે. 


અકસ્માત થયો તે દરમિયાન તેની મિત્ર પણ હતી સાથે  

સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ દ્વારા તેની મિત્રની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું કે અંજલી નશામાં હતી. નશામાં હોવાથી મેં સ્કુટી ચલાવવાની વાત કહી પરંતુ તેણે વાત ન માની. જેને કારણે કાર સાથે ટક્કર થઈ. ટક્કર થવાને કારણે તે નીચે પડી ગઈ પરંતુ અંજલી ગાડીની નીચે અટકી ગઈ. આ ઘટનાને કારણે તે ડરી ગઈ અને ત્યાંથી ભાગી અને આ અંગેની વાત કોઈને ન કરી. 


પુત્રીના મોત પર માતાએ લગાવ્યા હતા ગંભીર આરોપ  

આ ઘટનાને લઈ અંજલીના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેમની દિકરી સાથે દુષ્કર્મ થયો છે. અને તે બાદ તેની આવી હાલત કરી દેવામાં આવી છે. અંજલીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એવી માહિતી મળી રહી છે કે રિપોર્ટ આવી ગયો છે જેમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં નથી આવ્યો તેવો ખુલાસો થયો છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.