દિલ્હી કંઝાવાલા કેસમાં થઈ રહ્યા છે અનેક ખુલાસા, અંજલીની મિત્રએ ઘટના અંગે આપ્યું નિવેદન, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-01-04 11:39:22

રાજધાની દિલ્હીમાં નવા વર્ષના દિવસે હચમચાવી દે તેવી ઘટના બની હતી. અકસ્માત બાદ અનેક કિલોમીટર સુધી અંજલી ઢસડાતી રહી. આ કેસમાં રોજ-રોજ નવા વળાંક આવી રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું કે આ ઘટના બની ત્યારે અંજલી એકલી જ હતી. પરંતુ ગઈ કાલે નવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો જેમાં તેની સાથે તેની મિત્ર પણ દેખાતી હતી. ત્યારે  મળતી માહિતી મુજબ અંજલીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે જેમાં રેપ નથી થયો તેવી પુષ્ટિ કરવામાં આવી છે.       


નવા સીસીટીવી ફૂટેજમાં થયા અનેક ખુલાસા 

દિલ્હીના કંજાવલા કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. નવા વર્ષ દરમિયાન આ ઘટના બની હતી જેમાં અનેક કિલોમીટર સુધી ગાડીની સાથે અંજલી ઠસડાતી હતી. આ ઘટના બાદએ લોકોને હલાવી દીધા છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આ બધા વચ્ચે એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં તેની સાથે તેની મિત્ર પણ દેખાય છે. 


અકસ્માત થયો તે દરમિયાન તેની મિત્ર પણ હતી સાથે  

સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ દ્વારા તેની મિત્રની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું કે અંજલી નશામાં હતી. નશામાં હોવાથી મેં સ્કુટી ચલાવવાની વાત કહી પરંતુ તેણે વાત ન માની. જેને કારણે કાર સાથે ટક્કર થઈ. ટક્કર થવાને કારણે તે નીચે પડી ગઈ પરંતુ અંજલી ગાડીની નીચે અટકી ગઈ. આ ઘટનાને કારણે તે ડરી ગઈ અને ત્યાંથી ભાગી અને આ અંગેની વાત કોઈને ન કરી. 


પુત્રીના મોત પર માતાએ લગાવ્યા હતા ગંભીર આરોપ  

આ ઘટનાને લઈ અંજલીના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેમની દિકરી સાથે દુષ્કર્મ થયો છે. અને તે બાદ તેની આવી હાલત કરી દેવામાં આવી છે. અંજલીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એવી માહિતી મળી રહી છે કે રિપોર્ટ આવી ગયો છે જેમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં નથી આવ્યો તેવો ખુલાસો થયો છે. 




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.