વિશ્વના અગ્રણી ઈન્વેસ્ટર માર્ક મોબિયસે અદાણી ગ્રુપ અને અમેરિકાના અર્થતંત્ર અંગે કહીં આ ચોંકાવનારી વાત


  • Published By :
  • Published Date : 2023-05-15 21:19:54

અદાણી ગ્રુપ પર સવાલ ઉભા કરનારા હિંડનબર્ગ રિપોર્ટ બાદ રોકાણકારોનો ભરોસો અદાણી ગ્રુપની કંપનીઓ પરથી ઉઠી ગયો છે. જો કે અદાણી ગ્રુપ પર ભારે ભરખમ દેવાને લઈ વિશ્વના અગ્રણી ઈન્વેસ્ટર અને અને મોબિયસ કેપિટલ પાર્ટનર્સના ફાઉન્ડર માર્ક મોબિયસે અદાણીના દેવાને લઈ સવાલો ઉઠાવતા અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.


અદાણીના દેવા પર સવાલ


માર્ક મોબિયસે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે બજારના રોકાણકારોને ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે. મોબિયસ કેપિટલ માટે ભારત એક મોટું બજાર છે. તેમની ફર્મ ભારતમાં તેનું રોકાણ વધારવાની યોજના બનાવી રહી છે, પરંતુ તે અત્યારે અદાણી ગ્રુપમાં રોકાણ કરશે નહીં. માર્કે કહ્યું કે ભારત તેમના રોકાણ પોર્ટફોલિયોમાં બે સૌથી મોટા બજારોમાંનું એક છે. જ્યાં સુધી અદાણી ગ્રૂપમાં રોકાણનો સવાલ છે, તે હાલ પૂરતું તેનાથી અંતર રાખશે. તેમણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં રોકાણ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે દેવાના કારણે અમે અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરવાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અદાણી જૂથ પર ઘણું દેવું છે અને અમે વધુ દેવું ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવા માંગતા નથી. આ કારણથી તેમણે અદાણીની કંપનીઓથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ તેમણે આવી જ વાત કહી હતી.


અમેરિકાનું અર્થતંત્ર મંદી તરફ


તેમણે અમેરિકાના બેંકિંગ સંકટ પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે અમેરિકાની અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે. પ્રાઇમ લેન્ડિંગ રેટ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે હાલના દિવસોમાં ઉભરતા બજારોએ અમેરિકાના બજાર કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ચીન ઉપરાંત ભારતીય બજારોએ અસાધારણ પ્રદર્શન કર્યું છે. ભારત સરકાર સતત સુધારાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે રોકાણકારોને ભારત તરફ આકર્ષવા માટેનું મહત્વનું પરિબળ બન્યું છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.