માર્ક ઝકરબર્ગે મેનેજરોને કહ્યું, છટણી માટે તૈયાર રહો, 10 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે


  • Published By :
  • Published Date : 2023-04-19 17:43:39

દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે, જેના કારણે વિશ્વની ટોચની મલ્ટીનેશનલ કંપનીઓ તેમનો વર્ક ફોર્સ ઘટાડી રહી છે. જેમ કે જાણીતી સોશિયલ મીડિયા નેટવર્કીંગ કંપની ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર તેના કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે. કંપની લગભગ 10 હજાર કર્મચારીઓની છટણી કરશે. 


માર્ક ઝકરબર્ગે માર્ચમાં કરી હતી જાહેરાત


Metaના CEO માર્ક ઝકરબર્ગે માર્ચ 2023માં 10 હજાર લોકોની છટણીની જાહેરાત કરી હતી. હવે કંપની એ જ પગલે આગળ વધી રહી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને રિયાલિટી લેબમાં કામ કરતા કર્મચારીઓને છટણીનો સામનો કરવો પડશે. એક અનુમાન છે કે આ છટણીમાં આ 10,000 લોકો તેમની નોકરી ગુમાવશે. મેટાએ પહેલાથી જ 11,000 લોકોની નોકરી સમાપ્ત કરી દીધી છે.


મેટા મેનેજમેન્ટે મેનેજરોને કર્યો આદેશ


અત્રે ઉલ્લેખનિય છે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મેટાની માલિકીની પેટા કંપનીઓ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ બુધવારે કંપનીએ મેનેજરોને જોબ કટ મેમો તૈયાર કરવા કહ્યું છે. આ ત્રણ સોશિયલ મીડિયા કંપનીઓ ઉપરાંત, રિયાલિટી લેબનો પણ સમાવેશ કરી શકાય છે જે વર્ચ્યુઅલ રિયાલિટી પર આધારિત એક ડિપાર્ટમેન્ટ છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.