મૌલાના અરશદ મદનીના આ નિવેદનથી ધર્મગુરુઓ ભડક્યા, જમીયતનું સ્ટેજ છોડીને ચાલી નિકળ્યા


  • Published By :
  • Published Date : 2023-02-12 16:54:34

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત જમીયત ઉલેમા-એ-હિન્દના 34માં અધિવેશનનો આજે અંતિમ દિવસ છે. આ પ્રસંગે જમીયત ઉલેમા-એ-હિન્દના મૌલાના અરશદ મદનીના નિવેદન પર ભારે હોબાળો થયો હતો. મદની RSS સુપ્રીમોના નિવેદનનો જવાબ આપી રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દુ અને મુસલમાનના પૂર્વજો એક સમાન જ છે. મદનીએ કહ્યું તમારા પૂર્વજો હિન્દુ ન હતા, તેઓ મનુ હતા, એટલે કે આદમ હતા. જો કે તેમના નિવેદનથી અધિવેશનમાં ઉપસ્થિત રહેલા વિવિધ ધર્મગુરુઓ ભડક્યા હતા, અને મદનીના વિરોધમાં સ્ટેજ છોડીને ચાલી નિકળ્યા હતા.


અરશદ મદનીએ શું બફાટ કર્યો?


જમીયત ઉલેમા-એ-હિંદના સત્રના છેલ્લા દિવસે મૌલાના અરશદ મદનીના નિવેદન પર હંગામો થયો હતો. જમીયત ઉલેમા-એ-હિંદના 34માં સત્રમાં મૌલાના અરશદ મદનીએ મોહન ભાગવતનાએ નિવેદનની ટીકા કરી હતી કે અલ્લાહ અને ઓમ એક છે. જેમના નિવેદનના વિરોધમાં અધિવેશનમાં પહોંચેલા વિવિધ ધર્મગુરુઓ સ્ટેજ છોડીને જતા રહ્યા હતા.


અરશદ મદનીએ કહ્યું કે "મેં મહાન ધર્મગુરુઓને પૂછ્યું કે, જ્યારે કોઈ નહોતું, ન તો શ્રી રામ, ન બ્રહ્મા, ન શિવ, ત્યારે પ્રશ્ન થાય? ત્યારે મનુ કોની પૂજા કરતા હતા? કેટલાક કહે છે કે તેઓ શિવની પૂજા કરતા હતા, પરંતુ તેમની પાસે ઇલમ નથી. બીજી તરફ બહુ ઓછા લોકો કહે છે કે દુનિયામાં મનુ નામની કોઈ વસ્તુ નહોતી, તેઓ ઓમની પૂજા કરતા હતા, તો મેં કહ્યું ઓમ કોણ છે? પછી ઘણા લોકોએ કહ્યું કે તે પવન છે, જેનું કોઈ સ્વરૂપ નથી, જેનો કોઈ રંગ નથી, તે વિશ્વમાં દરેક જગ્યાએ છે. જેણે આકાશ બનાવ્યું, ધરતી બનાવી, મેં કહ્યું, ઓ બાબા, અમે તેને અલ્લાહ કહીએ છીએ, તમે તેમને ભગવાન કહો છો, અમે તેમને અલ્લાહ કહીએ છીએ, પર્શિયન બોલનારા તેને ખુદા કહે છે અને અંગ્રેજી બોલનારા તેને ભગવાન કહે છે. મતલબ કે મનુ એક અલ્લાહ, એક ઓમની પૂજા કરતા હતા, આ આપણા દેશની તાકાત છે."


જૈન ધર્મગુરુ લોકેશ મુનીનો વિરોધ 


જૈન મુનિ લોકેશે મૌલાના મદનીના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોને જોડવા માટે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. એવામાં આવા નિવેદન યોગ્ય નથી. મુનિ લોકેશે મંચ પરથી આ વાત કહી હતી. આ પછી તેઓ કાર્યક્રમમાંથી ઉઠીને ચાલ્યા ગયા. તેમના પછી અન્ય ધર્મના સંતોએ પણ કાર્યક્રમ છોડી દીધો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.