મૌલાના અરશદ મદનીના આ નિવેદનથી ધર્મગુરુઓ ભડક્યા, જમીયતનું સ્ટેજ છોડીને ચાલી નિકળ્યા


  • Published By :
  • Published Date : 2023-02-12 16:54:34

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત જમીયત ઉલેમા-એ-હિન્દના 34માં અધિવેશનનો આજે અંતિમ દિવસ છે. આ પ્રસંગે જમીયત ઉલેમા-એ-હિન્દના મૌલાના અરશદ મદનીના નિવેદન પર ભારે હોબાળો થયો હતો. મદની RSS સુપ્રીમોના નિવેદનનો જવાબ આપી રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દુ અને મુસલમાનના પૂર્વજો એક સમાન જ છે. મદનીએ કહ્યું તમારા પૂર્વજો હિન્દુ ન હતા, તેઓ મનુ હતા, એટલે કે આદમ હતા. જો કે તેમના નિવેદનથી અધિવેશનમાં ઉપસ્થિત રહેલા વિવિધ ધર્મગુરુઓ ભડક્યા હતા, અને મદનીના વિરોધમાં સ્ટેજ છોડીને ચાલી નિકળ્યા હતા.


અરશદ મદનીએ શું બફાટ કર્યો?


જમીયત ઉલેમા-એ-હિંદના સત્રના છેલ્લા દિવસે મૌલાના અરશદ મદનીના નિવેદન પર હંગામો થયો હતો. જમીયત ઉલેમા-એ-હિંદના 34માં સત્રમાં મૌલાના અરશદ મદનીએ મોહન ભાગવતનાએ નિવેદનની ટીકા કરી હતી કે અલ્લાહ અને ઓમ એક છે. જેમના નિવેદનના વિરોધમાં અધિવેશનમાં પહોંચેલા વિવિધ ધર્મગુરુઓ સ્ટેજ છોડીને જતા રહ્યા હતા.


અરશદ મદનીએ કહ્યું કે "મેં મહાન ધર્મગુરુઓને પૂછ્યું કે, જ્યારે કોઈ નહોતું, ન તો શ્રી રામ, ન બ્રહ્મા, ન શિવ, ત્યારે પ્રશ્ન થાય? ત્યારે મનુ કોની પૂજા કરતા હતા? કેટલાક કહે છે કે તેઓ શિવની પૂજા કરતા હતા, પરંતુ તેમની પાસે ઇલમ નથી. બીજી તરફ બહુ ઓછા લોકો કહે છે કે દુનિયામાં મનુ નામની કોઈ વસ્તુ નહોતી, તેઓ ઓમની પૂજા કરતા હતા, તો મેં કહ્યું ઓમ કોણ છે? પછી ઘણા લોકોએ કહ્યું કે તે પવન છે, જેનું કોઈ સ્વરૂપ નથી, જેનો કોઈ રંગ નથી, તે વિશ્વમાં દરેક જગ્યાએ છે. જેણે આકાશ બનાવ્યું, ધરતી બનાવી, મેં કહ્યું, ઓ બાબા, અમે તેને અલ્લાહ કહીએ છીએ, તમે તેમને ભગવાન કહો છો, અમે તેમને અલ્લાહ કહીએ છીએ, પર્શિયન બોલનારા તેને ખુદા કહે છે અને અંગ્રેજી બોલનારા તેને ભગવાન કહે છે. મતલબ કે મનુ એક અલ્લાહ, એક ઓમની પૂજા કરતા હતા, આ આપણા દેશની તાકાત છે."


જૈન ધર્મગુરુ લોકેશ મુનીનો વિરોધ 


જૈન મુનિ લોકેશે મૌલાના મદનીના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોને જોડવા માટે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. એવામાં આવા નિવેદન યોગ્ય નથી. મુનિ લોકેશે મંચ પરથી આ વાત કહી હતી. આ પછી તેઓ કાર્યક્રમમાંથી ઉઠીને ચાલ્યા ગયા. તેમના પછી અન્ય ધર્મના સંતોએ પણ કાર્યક્રમ છોડી દીધો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.