Mayur Tadvi part 2 ! Yuvrajsinhએ નવા કૌભાંડનો કર્યો ઘટસ્ફોટ, સરકારી નોકરીમાં પણ નકલી ભરતી!


  • Published By :
  • Published Date : 2023-12-29 15:20:24

નકલીની ભરમાર ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ઘણા સમય પહેલા મયૂર તડવી નામનો વ્યક્તિ પોલીસ એકેડેમીમાં ઘૂસી ગયો હતો. તે બાદ તો આવા અનેક નકલી અધિકારીઓ, નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી કચેરી, નકલી ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે. પૈસા આપી નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે છે અને સરકારી નોકરી મેળવી લેવામાં આવે છે. હજી સુધી નકલીનો ખેલ જોવા મળતો હતો પરંતુ આ વખતે જે કૌભાંડ સામે આવ્યું છે તે કૌભાંડનો બાપ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. આ કૌભાંડમાં નકલી ડોક્યુમેન્ટ છે, નકલી સંબંધો છે. યુવરાજસિંહના કહેવા અનુસાર પોલીસ, સબઓડિટર, જીપીએસસી, રેલવે, આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. કેતન શાહ અને રણજીત ઓડે રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે.

ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે 

આપણે ત્યારે કહેવાય છે કે પૈસાથી બધુ ખરીદી શકાય છે. પૈસા ફેંકો અને ડિગ્રી લઈ જાવ. પૈસા આપો અને નોકરી લઈ જાવ વગેરે વગેરે... અનેક વખત સરકારી ભરતીમાં કૌભાંડ થતા હોવાની વાત કરવામાં આવી છે. મયૂર તડવી પોલીસની ટ્રેનિંગ લેવા એકેડમીમાં ઘૂસી ગયો હતો. તે બાદ તો અનેક એવા નકલી અધિકારીઓના કિસ્સાઓ આપણી સામે છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી ઝડપાય છે તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારી ઝડપાય છે.


કૌભાંડનો પર્દાફાશ કરવા માટે યુવરાજસિંહે કરી પ્રેસ કોન્ફરન્સ 

ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો છે. પૈસા આપી સરકારી નોકરી લોકો મેળવી રહ્યા છે. કૌભાંડનો પર્દાફાશ કરવા માટે યુવરાજસિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે બે લોકોના નામ લીધા છે. એ લોકોએ એવી રીતે ઉમેદવારોને દર્શાવતા હતા કે તેમના સંબંધો અમિત શાહ અને હર્ષ સંઘવી સાથે હોય. કૌભાંડ અંગે ફરિયાદ કરવા જ્યારે યુવરાજસિંહ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અનેક ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા.              


નકલી સંબંધોના આધારે આ લોકો કરાવતા હતા સેટિંગ 

ત્યારે યુવરાજસિંહ ફરી એક વખત કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહ દ્વારા એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે જેમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોકોના નામની ચર્ચા થઈ રહી છે તેમનું એવું કહેવું છે કે તેઓ દેશના ગૃહમંત્રી અમિત શાહના સગા છે ઉપરાંત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમનો ઘરોબો છે. જે લોકો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે તમામ સરકારી ભરતીમાં તેમનું સીધું સેટિંગ છે!



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.