Mayur Tadvi part 2 ! Yuvrajsinhએ નવા કૌભાંડનો કર્યો ઘટસ્ફોટ, સરકારી નોકરીમાં પણ નકલી ભરતી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-29 15:20:24

નકલીની ભરમાર ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ઘણા સમય પહેલા મયૂર તડવી નામનો વ્યક્તિ પોલીસ એકેડેમીમાં ઘૂસી ગયો હતો. તે બાદ તો આવા અનેક નકલી અધિકારીઓ, નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી કચેરી, નકલી ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે. પૈસા આપી નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે છે અને સરકારી નોકરી મેળવી લેવામાં આવે છે. હજી સુધી નકલીનો ખેલ જોવા મળતો હતો પરંતુ આ વખતે જે કૌભાંડ સામે આવ્યું છે તે કૌભાંડનો બાપ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. આ કૌભાંડમાં નકલી ડોક્યુમેન્ટ છે, નકલી સંબંધો છે. યુવરાજસિંહના કહેવા અનુસાર પોલીસ, સબઓડિટર, જીપીએસસી, રેલવે, આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. કેતન શાહ અને રણજીત ઓડે રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે.

ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે 

આપણે ત્યારે કહેવાય છે કે પૈસાથી બધુ ખરીદી શકાય છે. પૈસા ફેંકો અને ડિગ્રી લઈ જાવ. પૈસા આપો અને નોકરી લઈ જાવ વગેરે વગેરે... અનેક વખત સરકારી ભરતીમાં કૌભાંડ થતા હોવાની વાત કરવામાં આવી છે. મયૂર તડવી પોલીસની ટ્રેનિંગ લેવા એકેડમીમાં ઘૂસી ગયો હતો. તે બાદ તો અનેક એવા નકલી અધિકારીઓના કિસ્સાઓ આપણી સામે છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી ઝડપાય છે તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારી ઝડપાય છે.


કૌભાંડનો પર્દાફાશ કરવા માટે યુવરાજસિંહે કરી પ્રેસ કોન્ફરન્સ 

ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો છે. પૈસા આપી સરકારી નોકરી લોકો મેળવી રહ્યા છે. કૌભાંડનો પર્દાફાશ કરવા માટે યુવરાજસિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે બે લોકોના નામ લીધા છે. એ લોકોએ એવી રીતે ઉમેદવારોને દર્શાવતા હતા કે તેમના સંબંધો અમિત શાહ અને હર્ષ સંઘવી સાથે હોય. કૌભાંડ અંગે ફરિયાદ કરવા જ્યારે યુવરાજસિંહ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અનેક ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા.              


નકલી સંબંધોના આધારે આ લોકો કરાવતા હતા સેટિંગ 

ત્યારે યુવરાજસિંહ ફરી એક વખત કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહ દ્વારા એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે જેમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોકોના નામની ચર્ચા થઈ રહી છે તેમનું એવું કહેવું છે કે તેઓ દેશના ગૃહમંત્રી અમિત શાહના સગા છે ઉપરાંત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમનો ઘરોબો છે. જે લોકો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે તમામ સરકારી ભરતીમાં તેમનું સીધું સેટિંગ છે!



AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે..

આગામી દિવસો માટે પણ અનેક જગ્યાઓ પર હિટવેવની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે અનેક જગ્યાઓ માટે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.... રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 12મી અને 13મી તારીખ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠું આવી શકે છે...

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો હતો. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં સરેરાશ 59.49 ટકા મતદાન થયું છે.. મહત્વનું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના સિટીંગ ધારાસભ્યને ટિકીટ આપી હતી. એ બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો.