એમસી સ્ટેન બન્યા બિગ બોસ સિઝન 16ના વિનર, શિવ ઠાકરે રનર અપ


  • Published By :
  • Published Date : 2023-02-13 12:37:10

રવિવારના રોજ બિગબોસ 16ના વિજેતાનું નામ જાહેર થઈ ગયું છે. આ સિઝનના વીજેતા એમસી સ્ટેન બન્યા છે. ફિનાલેના એપિસોડમાં સ્ટેનના માતા-પિતા પણ હાજર રહ્યા હતા. ચાર મહિના પહેલા શરૂ થયેલા શોમાં 16 કન્ટેસ્ટન્સ હતા. બધાની પોતપોતાની ફેન્સ ફોલોઈિંગ હતી. પરંતુ જેમ જેમ શો આગળ વધતો ગયો તો તેમ તેમ પાંચ કન્ટેસ્ટન્સ વધ્યા હતા. બસ્તી કા હસ્તી તરીકે જાણીતા સ્ટેને બિગબોસની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.        

Bigg Boss 16 Winner MC Stan trolled to lift trophy of Salman Khan Show people said he is undeserving Bigg Boss 16 Winner: एमसी स्टेन के विनर बनते ही सोशल मीडिया पर शुरू हुई जंग, लोगों ने कहा- ‘क्या ये मजाक है’

મોટી મોટી હસ્તીઓએ લીધો હતો ભાગ  

બિગ બોસની અલગ જ ફેન ફોલોઈંગ છે. હાલ બિગ બોસની સિઝન 16 ચાલી રહી હતી. દરેકે પોત પોતાની રીતે આ ગેમને રમવાની કોશિશ કરી હતી. આ રિયાલિટી શોમાં ભાગ લેવા અનેક મોટી મોટી હસ્તીઓ સામેલ થયા હતા. ત્યારે આ શોનો અંત રવિવારે થયો હતો. જેમાં માન્યા સિંહ, ટીના દત્તા, નિમરીત કૌર, સુમબુલ, એમસી સ્ટેન, શિવ ઠાકરે, ગૌતમ વિગ, શાલિન ભાનોત, પ્રિયંકા ચૌધરી, અંકિત ગુપ્તા, સાજીદ ખાન જેવી હસ્તીઓએ ભાગ લીધો હતો.  

    સોશિયલ મીડિયા પર રિયાલિટી શોના ચાહકો અને સ્પર્ધકો પહેલાથી જ વિજેતાના નામની અટકળો લગાવી રહ્યા હતા. મોટાભાગના લોકોને લાગતુ હતુ કે, પ્રિયંકા ચહર ચૌધરી ટ્રોફી ઘરે લઈ જશે, જ્યારે શિવ ઠાકરે ફર્સ્ટ રનર અપ રહેશે. ઈન્ડિયન એક્સપ્રેસે પણ પોતાના પોલમાં આવો જ દાવો કર્યો હતો.

એમસી સ્ટેન બન્યા વિજેતા  

જેમ જેમ શો આગળ વધતો ગયો તેમ તેમ ટોપ ફાઈવ કન્ટેસ્ટન્સમાં શિવ ઠાકરે, પ્રિયંકા ચાહર ચૌદરી, શાલિન ભનોટ અને એમસી સ્ટેન પહોંચ્યા હતા. પરંતુ ફિનાલે આવતા આવતા શાલિન ભનોટ શોમાંથી બહાર નીકળ્યા તે બાદ અર્ચના ગોતમ બહાર આવ્યા. શિવ ઠાકરે અને સ્ટેન વચ્ચે ફિનાલેનો જંગ જામ્યો હતો. સલમાન ખાને આખરે વિજેતાનું નામ જાહેર કર્યું જેમાં એમસી સ્ટેનનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.


રૅપર છે એમસી સ્ટેન   

બિગ બોસ સિઝન 16ના વિજેતા બનેલા એમસી સ્ટેન 23 વર્ષીય સ્પર્ધક હતો જેનું સાચું નામ અલ્તાફ શેખ છે. બાળપણથી જ સંગીતમાં તેમને રૂચી હતી અને 12 વર્ષની ઉંમરે કવ્વાલી ગાવાનું શરૂ કર્યું હતું. રૅપ પ્રત્યે સ્ટેનનું આકર્ષણ વધતું ગયું અને ધીરે ધીરે રેપ ગાવાનું શરૂ કર્યું. સ્ટેન એક રૅપરની સાથે સોન્ગ રાઈટર અને કમ્પોઝર છે. એમસી સ્ટેને પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે હું સમજી નહોતો શક્તો કે સલમાન સર મસ્તી કરી રહ્યા છે કે હું ખરેખર જીતી ગયો છું. તેમણે મારું નામ લીધું ત્યારપછી પણ હું વિચારતો હતો કે શું ખરેખર તેમણે મારૂ નામ લીધું છે. પણ જ્યારે તે મને ભેટ્યા ત્યારે મને વિશ્વાસ થયો. તે અનુભવ અદ્ભૂત હતો અને તેનું વર્ણન શબ્દોમાં કરી શકું તેમ નથી.   






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.