એમસી સ્ટેન બન્યા બિગ બોસ સિઝન 16ના વિનર, શિવ ઠાકરે રનર અપ


  • Published By :
  • Published Date : 2023-02-13 12:37:10

રવિવારના રોજ બિગબોસ 16ના વિજેતાનું નામ જાહેર થઈ ગયું છે. આ સિઝનના વીજેતા એમસી સ્ટેન બન્યા છે. ફિનાલેના એપિસોડમાં સ્ટેનના માતા-પિતા પણ હાજર રહ્યા હતા. ચાર મહિના પહેલા શરૂ થયેલા શોમાં 16 કન્ટેસ્ટન્સ હતા. બધાની પોતપોતાની ફેન્સ ફોલોઈિંગ હતી. પરંતુ જેમ જેમ શો આગળ વધતો ગયો તો તેમ તેમ પાંચ કન્ટેસ્ટન્સ વધ્યા હતા. બસ્તી કા હસ્તી તરીકે જાણીતા સ્ટેને બિગબોસની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.        

Bigg Boss 16 Winner MC Stan trolled to lift trophy of Salman Khan Show people said he is undeserving Bigg Boss 16 Winner: एमसी स्टेन के विनर बनते ही सोशल मीडिया पर शुरू हुई जंग, लोगों ने कहा- ‘क्या ये मजाक है’

મોટી મોટી હસ્તીઓએ લીધો હતો ભાગ  

બિગ બોસની અલગ જ ફેન ફોલોઈંગ છે. હાલ બિગ બોસની સિઝન 16 ચાલી રહી હતી. દરેકે પોત પોતાની રીતે આ ગેમને રમવાની કોશિશ કરી હતી. આ રિયાલિટી શોમાં ભાગ લેવા અનેક મોટી મોટી હસ્તીઓ સામેલ થયા હતા. ત્યારે આ શોનો અંત રવિવારે થયો હતો. જેમાં માન્યા સિંહ, ટીના દત્તા, નિમરીત કૌર, સુમબુલ, એમસી સ્ટેન, શિવ ઠાકરે, ગૌતમ વિગ, શાલિન ભાનોત, પ્રિયંકા ચૌધરી, અંકિત ગુપ્તા, સાજીદ ખાન જેવી હસ્તીઓએ ભાગ લીધો હતો.  

    સોશિયલ મીડિયા પર રિયાલિટી શોના ચાહકો અને સ્પર્ધકો પહેલાથી જ વિજેતાના નામની અટકળો લગાવી રહ્યા હતા. મોટાભાગના લોકોને લાગતુ હતુ કે, પ્રિયંકા ચહર ચૌધરી ટ્રોફી ઘરે લઈ જશે, જ્યારે શિવ ઠાકરે ફર્સ્ટ રનર અપ રહેશે. ઈન્ડિયન એક્સપ્રેસે પણ પોતાના પોલમાં આવો જ દાવો કર્યો હતો.

એમસી સ્ટેન બન્યા વિજેતા  

જેમ જેમ શો આગળ વધતો ગયો તેમ તેમ ટોપ ફાઈવ કન્ટેસ્ટન્સમાં શિવ ઠાકરે, પ્રિયંકા ચાહર ચૌદરી, શાલિન ભનોટ અને એમસી સ્ટેન પહોંચ્યા હતા. પરંતુ ફિનાલે આવતા આવતા શાલિન ભનોટ શોમાંથી બહાર નીકળ્યા તે બાદ અર્ચના ગોતમ બહાર આવ્યા. શિવ ઠાકરે અને સ્ટેન વચ્ચે ફિનાલેનો જંગ જામ્યો હતો. સલમાન ખાને આખરે વિજેતાનું નામ જાહેર કર્યું જેમાં એમસી સ્ટેનનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.


રૅપર છે એમસી સ્ટેન   

બિગ બોસ સિઝન 16ના વિજેતા બનેલા એમસી સ્ટેન 23 વર્ષીય સ્પર્ધક હતો જેનું સાચું નામ અલ્તાફ શેખ છે. બાળપણથી જ સંગીતમાં તેમને રૂચી હતી અને 12 વર્ષની ઉંમરે કવ્વાલી ગાવાનું શરૂ કર્યું હતું. રૅપ પ્રત્યે સ્ટેનનું આકર્ષણ વધતું ગયું અને ધીરે ધીરે રેપ ગાવાનું શરૂ કર્યું. સ્ટેન એક રૅપરની સાથે સોન્ગ રાઈટર અને કમ્પોઝર છે. એમસી સ્ટેને પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે હું સમજી નહોતો શક્તો કે સલમાન સર મસ્તી કરી રહ્યા છે કે હું ખરેખર જીતી ગયો છું. તેમણે મારું નામ લીધું ત્યારપછી પણ હું વિચારતો હતો કે શું ખરેખર તેમણે મારૂ નામ લીધું છે. પણ જ્યારે તે મને ભેટ્યા ત્યારે મને વિશ્વાસ થયો. તે અનુભવ અદ્ભૂત હતો અને તેનું વર્ણન શબ્દોમાં કરી શકું તેમ નથી.   






રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.