જોશીમઠ મુદ્દે PMOમાં બેઠક, વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ધામી સાથે ફોન પર વાત કરી


  • Published By :
  • Published Date : 2023-01-08 17:03:35

ઉત્તરાખંડના જોશીમઠમાં થતું ભૂસ્ખલનની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે.  જોશીમઠના અનેક ઘરોમાં તિરાડો પડી રહી છે. જમીન ધીમે ધીમે ધસી રહી છે. જેને કારણે ભર શિયાળે રાત્રે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. સમસ્યા વિકટ બનતી ગઈ રહી છે. વડાપ્રધાન મોદીએ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે PMOએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે પીએમ મોદીએ ફોન પર વાત પણ કરી હતી.

  


મુખ્યમંત્રીએ લીધી સ્થળ મુલાકાત

જોશીમઠમાં આવેલા ધાર્મિક સ્થળોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ઘરોમાં તિરાડ પડી રહી છે. લોકો પોતાનો ઘર સંસાર બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડ પર જઈ લોકો સાથે મુલાકાત કરી હતી. લોકોનું જલ્દી રેસ્ક્યુ કરવા પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. 


PM Modi on Mann ki Baat: Put 'tiranga' as profile picture on social media  between August 2-15 | India News – India TV


વડાપ્રધાન મોદીએ સીએમ સાથે ફોન પર કરી વાત 

બગડતી સ્થિતિને લઈ વડાપ્રધાન મોદી કાર્યાલયએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વડાપ્રધાન મોદીના સેક્રેટરી જનરલ, પીએમમોમાં કેબિનેટ સેક્રેટરી અને સરકારના વરિષ્ઠ અધિકારી સહિત જોશીમઠના જિલ્લા પદાધિકારી હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર વાત કરી આ અંગે જાણકારી મેળવી હતી. સીએમએ કહ્યું કે પીએમએ અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા જેવા કે કેટલા લોકો આનાથી પ્રભાવિત થયા છે. કેટલું નુકસાન થયું છે વગેરે. અને જોઈતી તમામ સંભવીત મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.