જોશીમઠ મુદ્દે PMOમાં બેઠક, વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ધામી સાથે ફોન પર વાત કરી


  • Published By :
  • Published Date : 2023-01-08 17:03:35

ઉત્તરાખંડના જોશીમઠમાં થતું ભૂસ્ખલનની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે.  જોશીમઠના અનેક ઘરોમાં તિરાડો પડી રહી છે. જમીન ધીમે ધીમે ધસી રહી છે. જેને કારણે ભર શિયાળે રાત્રે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. સમસ્યા વિકટ બનતી ગઈ રહી છે. વડાપ્રધાન મોદીએ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે PMOએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે પીએમ મોદીએ ફોન પર વાત પણ કરી હતી.

  


મુખ્યમંત્રીએ લીધી સ્થળ મુલાકાત

જોશીમઠમાં આવેલા ધાર્મિક સ્થળોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ઘરોમાં તિરાડ પડી રહી છે. લોકો પોતાનો ઘર સંસાર બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડ પર જઈ લોકો સાથે મુલાકાત કરી હતી. લોકોનું જલ્દી રેસ્ક્યુ કરવા પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. 


PM Modi on Mann ki Baat: Put 'tiranga' as profile picture on social media  between August 2-15 | India News – India TV


વડાપ્રધાન મોદીએ સીએમ સાથે ફોન પર કરી વાત 

બગડતી સ્થિતિને લઈ વડાપ્રધાન મોદી કાર્યાલયએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વડાપ્રધાન મોદીના સેક્રેટરી જનરલ, પીએમમોમાં કેબિનેટ સેક્રેટરી અને સરકારના વરિષ્ઠ અધિકારી સહિત જોશીમઠના જિલ્લા પદાધિકારી હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર વાત કરી આ અંગે જાણકારી મેળવી હતી. સીએમએ કહ્યું કે પીએમએ અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા જેવા કે કેટલા લોકો આનાથી પ્રભાવિત થયા છે. કેટલું નુકસાન થયું છે વગેરે. અને જોઈતી તમામ સંભવીત મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.