જોશીમઠ મુદ્દે PMOમાં બેઠક, વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ધામી સાથે ફોન પર વાત કરી


  • Published By :
  • Published Date : 2023-01-08 17:03:35

ઉત્તરાખંડના જોશીમઠમાં થતું ભૂસ્ખલનની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે.  જોશીમઠના અનેક ઘરોમાં તિરાડો પડી રહી છે. જમીન ધીમે ધીમે ધસી રહી છે. જેને કારણે ભર શિયાળે રાત્રે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. સમસ્યા વિકટ બનતી ગઈ રહી છે. વડાપ્રધાન મોદીએ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે PMOએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે પીએમ મોદીએ ફોન પર વાત પણ કરી હતી.

  


મુખ્યમંત્રીએ લીધી સ્થળ મુલાકાત

જોશીમઠમાં આવેલા ધાર્મિક સ્થળોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ઘરોમાં તિરાડ પડી રહી છે. લોકો પોતાનો ઘર સંસાર બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડ પર જઈ લોકો સાથે મુલાકાત કરી હતી. લોકોનું જલ્દી રેસ્ક્યુ કરવા પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. 


PM Modi on Mann ki Baat: Put 'tiranga' as profile picture on social media  between August 2-15 | India News – India TV


વડાપ્રધાન મોદીએ સીએમ સાથે ફોન પર કરી વાત 

બગડતી સ્થિતિને લઈ વડાપ્રધાન મોદી કાર્યાલયએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વડાપ્રધાન મોદીના સેક્રેટરી જનરલ, પીએમમોમાં કેબિનેટ સેક્રેટરી અને સરકારના વરિષ્ઠ અધિકારી સહિત જોશીમઠના જિલ્લા પદાધિકારી હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર વાત કરી આ અંગે જાણકારી મેળવી હતી. સીએમએ કહ્યું કે પીએમએ અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા જેવા કે કેટલા લોકો આનાથી પ્રભાવિત થયા છે. કેટલું નુકસાન થયું છે વગેરે. અને જોઈતી તમામ સંભવીત મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.