PM મોદીની મેઘાલયમાં ચૂંટણી રેલી, કોંગ્રેસને નિશાન બનાવી પરિવારવાદ પર કર્યા હાર


  • Published By :
  • Published Date : 2023-02-24 16:02:53

મેઘાલય વિધાનસભાનીને લઈ પીએમ મોદી રાજ્યનો પ્રવાસ કરી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયમાં રોડ શો પણ કર્યો હતો. શિલોંગમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા. મેઘાલયની તમામ 60 વિધાનસભા બેઠકો પર ભાજપે પ્રથમ વખત ઉમેદવારો ઉભા રાખ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડમાં મતદાન યોજાશે.  


PM મોદીના ભાષણમાં શું હતું ખાસ, વાંચો 10 મુદ્દાઓમાં


1-વડાપ્રધાન મોદીએ શિલોંગમાં એક રેલીને સંબોધતા કહ્યું, “મેઘાલયના હિતોને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. તમને નાના મુદ્દાઓ પર વિભાજિત કરવામાં આવ્યા. આ રાજકારણે તમારું ઘણું નુકસાન કર્યું છે, અહીંના યુવાનોનું ઘણું નુકસાન કર્યું છે.


2-વડાપ્રધાન મોદીએ વંશવાદની રાજનીતિ પર પણ પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેઘાલય વંશવાદી રાજકારણથી મુક્ત હોવું જોઈએ. માત્ર દિલ્હીમાં જ નહીં, મેઘાલયમાં પણ પરિવારની પાર્ટીઓએ પોતાની તિજોરી ભરવા માટે જ મેઘાલયને એટીએમમાં ​​ફેરવી દીધું છે.


3-વડાપ્રધાને કહ્યું કે મને એ કહેતા આનંદ થાય છે કે મેઘાલય અને ઉત્તર પૂર્વના લોકો કમળ અને ભાજપની સાથે છે. મેઘાલયને 'પરિવાર-પ્રથમ' સરકારને બદલે 'લોકો-પ્રથમ' સરકારની જરૂર છે.


4-વડાપ્રધાને કહ્યું કે યુવાનો હોય, મહિલાઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, સરકારી કર્મચારીઓ હોય, દરેક જણ ભાજપ સરકારની માંગ કરી રહ્યા છે. મેઘાલયની સાથે-સાથે  ઉત્તર પૂર્વમાં ભાજપને સમર્થનની લાગણી કેટલાક પરિવારોના સ્વાર્થી કામનું પરિણામ છે.


5-PM મોદીએ કહ્યું કે કેટલાક લોકોને દેશે નકારી કાઢ્યા છે, જેઓ નિરાશાના ખાડામાં ડૂબી ગયા છે. તેઓ આજકાલ માળા જપે છે અને કહે છે કે મોદી, તારી કબર ખોદાશે, પરંતુ દેશ કહી રહ્યો છે, દેશનો ખૂણો-ખૂણો કહી રહ્યો છે- મોદી તારું કમળ ખીલશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.