PM મોદીની મેઘાલયમાં ચૂંટણી રેલી, કોંગ્રેસને નિશાન બનાવી પરિવારવાદ પર કર્યા હાર


  • Published By :
  • Published Date : 2023-02-24 16:02:53

મેઘાલય વિધાનસભાનીને લઈ પીએમ મોદી રાજ્યનો પ્રવાસ કરી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયમાં રોડ શો પણ કર્યો હતો. શિલોંગમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા. મેઘાલયની તમામ 60 વિધાનસભા બેઠકો પર ભાજપે પ્રથમ વખત ઉમેદવારો ઉભા રાખ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડમાં મતદાન યોજાશે.  


PM મોદીના ભાષણમાં શું હતું ખાસ, વાંચો 10 મુદ્દાઓમાં


1-વડાપ્રધાન મોદીએ શિલોંગમાં એક રેલીને સંબોધતા કહ્યું, “મેઘાલયના હિતોને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. તમને નાના મુદ્દાઓ પર વિભાજિત કરવામાં આવ્યા. આ રાજકારણે તમારું ઘણું નુકસાન કર્યું છે, અહીંના યુવાનોનું ઘણું નુકસાન કર્યું છે.


2-વડાપ્રધાન મોદીએ વંશવાદની રાજનીતિ પર પણ પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેઘાલય વંશવાદી રાજકારણથી મુક્ત હોવું જોઈએ. માત્ર દિલ્હીમાં જ નહીં, મેઘાલયમાં પણ પરિવારની પાર્ટીઓએ પોતાની તિજોરી ભરવા માટે જ મેઘાલયને એટીએમમાં ​​ફેરવી દીધું છે.


3-વડાપ્રધાને કહ્યું કે મને એ કહેતા આનંદ થાય છે કે મેઘાલય અને ઉત્તર પૂર્વના લોકો કમળ અને ભાજપની સાથે છે. મેઘાલયને 'પરિવાર-પ્રથમ' સરકારને બદલે 'લોકો-પ્રથમ' સરકારની જરૂર છે.


4-વડાપ્રધાને કહ્યું કે યુવાનો હોય, મહિલાઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, સરકારી કર્મચારીઓ હોય, દરેક જણ ભાજપ સરકારની માંગ કરી રહ્યા છે. મેઘાલયની સાથે-સાથે  ઉત્તર પૂર્વમાં ભાજપને સમર્થનની લાગણી કેટલાક પરિવારોના સ્વાર્થી કામનું પરિણામ છે.


5-PM મોદીએ કહ્યું કે કેટલાક લોકોને દેશે નકારી કાઢ્યા છે, જેઓ નિરાશાના ખાડામાં ડૂબી ગયા છે. તેઓ આજકાલ માળા જપે છે અને કહે છે કે મોદી, તારી કબર ખોદાશે, પરંતુ દેશ કહી રહ્યો છે, દેશનો ખૂણો-ખૂણો કહી રહ્યો છે- મોદી તારું કમળ ખીલશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.