ગાંધી પરિવારના સભ્યો લેશે ભારત જોડો યાત્રામાં ભાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 15:51:56

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો આંદોલન કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોશ ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આ યાત્રા નિકળી રહી છે. છેલ્લા એક મહિનાથી રાહુલ ગાંધી પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ સામેલ થઈ શકે છે.
Sonia will contest from Rae Bareli in 2019 LS polls, says daughter Priyanka

સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી યાત્રામાં રહેશે ઉપસ્થિત

રાહુલ ગાંધી સતત પદયાત્રા કરી ભારત જોડો યાત્રાને આગળ વધારી રહ્યા છે. તેમની યાત્રા કર્ણાટક સુધી પહોંચી છે. ત્યારે સોનિયા ગાંધી 6 ઓક્ટોબરના રોજ આ યાત્રામાં સામેલ થવાના છે તેવી જાણકારી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી. પોતાની ખરાબ તબિયતને કારણે સોનિયા ગાંધી કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી શક્તા નથી. પરંતુ તેઓ આ સપ્તાહ દરમિયાન ભારત જોડો યાત્રામાં ભાગ લેવાના છે. તેમની સાથે સાથે તેમની પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં ભાગ લેવાના છે.       

વડાપ્રધાન પર કર્યા પ્રહાર

કોંગ્રેસની આ યાત્રાને સારો જન પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક લોકો કોંગ્રેસની આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. વધતા જનસમર્થનને કારણે રાહુલ ગાંધીના ઉત્સાહમાં પણ વધારો થયો છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક જગ્યાઓ પર વિવિધ લોકો સાથે મુલાકાત કરી હતી. ભારે વરસાદ દરમિયાન પણ રાહુલ ગાંધીએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું. આ વાતને લઈ કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નિશાન સાધ્યું હતું.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .