ગાંધી પરિવારના સભ્યો લેશે ભારત જોડો યાત્રામાં ભાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 15:51:56

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો આંદોલન કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોશ ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આ યાત્રા નિકળી રહી છે. છેલ્લા એક મહિનાથી રાહુલ ગાંધી પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ સામેલ થઈ શકે છે.
Sonia will contest from Rae Bareli in 2019 LS polls, says daughter Priyanka

સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી યાત્રામાં રહેશે ઉપસ્થિત

રાહુલ ગાંધી સતત પદયાત્રા કરી ભારત જોડો યાત્રાને આગળ વધારી રહ્યા છે. તેમની યાત્રા કર્ણાટક સુધી પહોંચી છે. ત્યારે સોનિયા ગાંધી 6 ઓક્ટોબરના રોજ આ યાત્રામાં સામેલ થવાના છે તેવી જાણકારી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી. પોતાની ખરાબ તબિયતને કારણે સોનિયા ગાંધી કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી શક્તા નથી. પરંતુ તેઓ આ સપ્તાહ દરમિયાન ભારત જોડો યાત્રામાં ભાગ લેવાના છે. તેમની સાથે સાથે તેમની પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં ભાગ લેવાના છે.       

વડાપ્રધાન પર કર્યા પ્રહાર

કોંગ્રેસની આ યાત્રાને સારો જન પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક લોકો કોંગ્રેસની આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. વધતા જનસમર્થનને કારણે રાહુલ ગાંધીના ઉત્સાહમાં પણ વધારો થયો છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક જગ્યાઓ પર વિવિધ લોકો સાથે મુલાકાત કરી હતી. ભારે વરસાદ દરમિયાન પણ રાહુલ ગાંધીએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું. આ વાતને લઈ કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નિશાન સાધ્યું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.