ગાંધી પરિવારના સભ્યો લેશે ભારત જોડો યાત્રામાં ભાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 15:51:56

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો આંદોલન કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોશ ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આ યાત્રા નિકળી રહી છે. છેલ્લા એક મહિનાથી રાહુલ ગાંધી પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ સામેલ થઈ શકે છે.
Sonia will contest from Rae Bareli in 2019 LS polls, says daughter Priyanka

સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી યાત્રામાં રહેશે ઉપસ્થિત

રાહુલ ગાંધી સતત પદયાત્રા કરી ભારત જોડો યાત્રાને આગળ વધારી રહ્યા છે. તેમની યાત્રા કર્ણાટક સુધી પહોંચી છે. ત્યારે સોનિયા ગાંધી 6 ઓક્ટોબરના રોજ આ યાત્રામાં સામેલ થવાના છે તેવી જાણકારી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી. પોતાની ખરાબ તબિયતને કારણે સોનિયા ગાંધી કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી શક્તા નથી. પરંતુ તેઓ આ સપ્તાહ દરમિયાન ભારત જોડો યાત્રામાં ભાગ લેવાના છે. તેમની સાથે સાથે તેમની પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં ભાગ લેવાના છે.       

વડાપ્રધાન પર કર્યા પ્રહાર

કોંગ્રેસની આ યાત્રાને સારો જન પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક લોકો કોંગ્રેસની આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. વધતા જનસમર્થનને કારણે રાહુલ ગાંધીના ઉત્સાહમાં પણ વધારો થયો છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક જગ્યાઓ પર વિવિધ લોકો સાથે મુલાકાત કરી હતી. ભારે વરસાદ દરમિયાન પણ રાહુલ ગાંધીએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું. આ વાતને લઈ કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નિશાન સાધ્યું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે