રોડ અકસ્માતમાં થયું મીમ સ્ટાર દેવરાજ પટેલનું નિધન, છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરી શોક કર્યો વ્યક્ત


  • Published By :
  • Published Date : 2023-06-27 10:58:47

દિલ સે બુરા લગતા હેં આ લાઈન સાંભળતા જ આપણને સોશિયલ મીડિયા મીમ ફેમ દેવરાજ પટેલ યાદ આવે. આપણી આંખોની સામે એ ડાયલોગ તેમજ તેની છબી આવી જતી હોય છે. પરંતુ છત્તીસગઢના પ્રખ્તાત યુટ્યુબરનું નિધન રોડ અકસ્માતમાં થઈ ગયું છે. મીમ ફેમનું નિધન થવાથી સોશિયલ મીડિયા પર શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. રાયપુર નજીક નેશનલ હાઈવે પર દેવરાજની બાઈક પાછળથી આવી રહેલા એક ટ્રકે તેને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા તેમનું નિધન થયું છે. દેવરાજના નિધન પર છત્તીસગઢના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. 

દિલ સે બુરા લગતા હૈ

અકસ્માતમાં થયું મીમ સ્ટારનું નિધન

સોશિયલ મીડિયા પર અનેક એવા મીમ હોય છે જે લોકો સાથે જોડાયેલા હોય છે. જો તમે એ મીમનો ડાયલોગ બોલશો તો તેમનો ચહેરો આપણા દિમાગમાં આવી જતો હોય છે. ત્યારે આવો જ એક ડાયલોગ દેવરાજનો હતો કે દિલ સે બુરા લગતા. આ ડાયલોગને બોલતા જ આપણને આખો સીન યાદ આવી જાય છે. પરંતુ દેવરાજનું નિધન રોડ અકસ્માતમાં થયું છે. રાયપુર નજીક નેશનલ હાઈવે પર દેવરાજની બાઈકને ટ્રકે ટક્કર મારી હતી. જેને કારણે તેનું મોત થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે. ત્યારે તેમના અકસ્માતથી તેમના ફેન્સમાં દુખની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

છત્તીસગઢના મુખ્યમંત્રીએ ટ્વિટ કરી શોક કર્યો વ્યક્ત 

તેમના ફોલોવર્સમાં તો શોકની લાગણી જોવા મળી રહી છે પરંતુ છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ ભૂપેશ બાઘેલે એક જુનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે હાસ્ય કલાકાર સાથે દેખાઈ રહ્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે નાની ઉંમરે આ પ્રતિભાશાળીની ક્ષતિ થઈ છે. ઈશ્વર તેમના પરિવારને તેમજ તેમના ફેન્સને દુખ સહન કરવાની હિંમત આપે. મીમ સ્ટારના નિધનથી તેમના ફેન્સમાં શોકનો માહોલ  જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમને લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.           



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.