રોડ અકસ્માતમાં થયું મીમ સ્ટાર દેવરાજ પટેલનું નિધન, છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરી શોક કર્યો વ્યક્ત


  • Published By :
  • Published Date : 2023-06-27 10:58:47

દિલ સે બુરા લગતા હેં આ લાઈન સાંભળતા જ આપણને સોશિયલ મીડિયા મીમ ફેમ દેવરાજ પટેલ યાદ આવે. આપણી આંખોની સામે એ ડાયલોગ તેમજ તેની છબી આવી જતી હોય છે. પરંતુ છત્તીસગઢના પ્રખ્તાત યુટ્યુબરનું નિધન રોડ અકસ્માતમાં થઈ ગયું છે. મીમ ફેમનું નિધન થવાથી સોશિયલ મીડિયા પર શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. રાયપુર નજીક નેશનલ હાઈવે પર દેવરાજની બાઈક પાછળથી આવી રહેલા એક ટ્રકે તેને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા તેમનું નિધન થયું છે. દેવરાજના નિધન પર છત્તીસગઢના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. 

દિલ સે બુરા લગતા હૈ

અકસ્માતમાં થયું મીમ સ્ટારનું નિધન

સોશિયલ મીડિયા પર અનેક એવા મીમ હોય છે જે લોકો સાથે જોડાયેલા હોય છે. જો તમે એ મીમનો ડાયલોગ બોલશો તો તેમનો ચહેરો આપણા દિમાગમાં આવી જતો હોય છે. ત્યારે આવો જ એક ડાયલોગ દેવરાજનો હતો કે દિલ સે બુરા લગતા. આ ડાયલોગને બોલતા જ આપણને આખો સીન યાદ આવી જાય છે. પરંતુ દેવરાજનું નિધન રોડ અકસ્માતમાં થયું છે. રાયપુર નજીક નેશનલ હાઈવે પર દેવરાજની બાઈકને ટ્રકે ટક્કર મારી હતી. જેને કારણે તેનું મોત થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે. ત્યારે તેમના અકસ્માતથી તેમના ફેન્સમાં દુખની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

છત્તીસગઢના મુખ્યમંત્રીએ ટ્વિટ કરી શોક કર્યો વ્યક્ત 

તેમના ફોલોવર્સમાં તો શોકની લાગણી જોવા મળી રહી છે પરંતુ છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ ભૂપેશ બાઘેલે એક જુનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે હાસ્ય કલાકાર સાથે દેખાઈ રહ્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે નાની ઉંમરે આ પ્રતિભાશાળીની ક્ષતિ થઈ છે. ઈશ્વર તેમના પરિવારને તેમજ તેમના ફેન્સને દુખ સહન કરવાની હિંમત આપે. મીમ સ્ટારના નિધનથી તેમના ફેન્સમાં શોકનો માહોલ  જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમને લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.           



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.