રોડ અકસ્માતમાં થયું મીમ સ્ટાર દેવરાજ પટેલનું નિધન, છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરી શોક કર્યો વ્યક્ત


  • Published By :
  • Published Date : 2023-06-27 10:58:47

દિલ સે બુરા લગતા હેં આ લાઈન સાંભળતા જ આપણને સોશિયલ મીડિયા મીમ ફેમ દેવરાજ પટેલ યાદ આવે. આપણી આંખોની સામે એ ડાયલોગ તેમજ તેની છબી આવી જતી હોય છે. પરંતુ છત્તીસગઢના પ્રખ્તાત યુટ્યુબરનું નિધન રોડ અકસ્માતમાં થઈ ગયું છે. મીમ ફેમનું નિધન થવાથી સોશિયલ મીડિયા પર શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. રાયપુર નજીક નેશનલ હાઈવે પર દેવરાજની બાઈક પાછળથી આવી રહેલા એક ટ્રકે તેને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા તેમનું નિધન થયું છે. દેવરાજના નિધન પર છત્તીસગઢના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. 

દિલ સે બુરા લગતા હૈ

અકસ્માતમાં થયું મીમ સ્ટારનું નિધન

સોશિયલ મીડિયા પર અનેક એવા મીમ હોય છે જે લોકો સાથે જોડાયેલા હોય છે. જો તમે એ મીમનો ડાયલોગ બોલશો તો તેમનો ચહેરો આપણા દિમાગમાં આવી જતો હોય છે. ત્યારે આવો જ એક ડાયલોગ દેવરાજનો હતો કે દિલ સે બુરા લગતા. આ ડાયલોગને બોલતા જ આપણને આખો સીન યાદ આવી જાય છે. પરંતુ દેવરાજનું નિધન રોડ અકસ્માતમાં થયું છે. રાયપુર નજીક નેશનલ હાઈવે પર દેવરાજની બાઈકને ટ્રકે ટક્કર મારી હતી. જેને કારણે તેનું મોત થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે. ત્યારે તેમના અકસ્માતથી તેમના ફેન્સમાં દુખની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

છત્તીસગઢના મુખ્યમંત્રીએ ટ્વિટ કરી શોક કર્યો વ્યક્ત 

તેમના ફોલોવર્સમાં તો શોકની લાગણી જોવા મળી રહી છે પરંતુ છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ ભૂપેશ બાઘેલે એક જુનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે હાસ્ય કલાકાર સાથે દેખાઈ રહ્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે નાની ઉંમરે આ પ્રતિભાશાળીની ક્ષતિ થઈ છે. ઈશ્વર તેમના પરિવારને તેમજ તેમના ફેન્સને દુખ સહન કરવાની હિંમત આપે. મીમ સ્ટારના નિધનથી તેમના ફેન્સમાં શોકનો માહોલ  જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમને લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.           



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.