આ મંદિરના ઉત્સવમાં સારી નોકરી અને સારી છોકરી મળે તે માટે પૂરૂષો કરે છે મહિલા જેવો શ્રૃંગાર, જાણો ક્યાં ઉજવાય છે આવો ઉત્સવ


  • Published By :
  • Published Date : 2023-03-29 15:28:13

ભારત દેશ વિવિધતાથી ભરેલો દેશ છે. દેશના અલગ અલગ રંગ  અલગ અલગ ભાષાઓ છે તેમજ અલગ અલગ ઉત્સવો છે. ભારતમાં અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે એવા ઉત્સવની વાત કરવી છે જેમાં પૂરૂષો મહિલાઓ બની મંદિરમાં સારી પત્ની અને સારી નોકરી મળી રહે તે માટે મહિલાઓની જેમ શ્રૃંગાર કરી મંદિરે જાય છે. જે મંદિરની વાત કરવામાં આવી રહી છે તે મંદિર કેરળના ચાવરા ગામમાં સ્થિત આદ્યશક્તિનું મંદિર છે.

 

પૂરૂષો મહિલાઓની જેમ તૈયાર થઈને આવે છે!   

કેરળના ચાવરા ગામમાં આદ્યશક્તિનું મંદિર આવેલું છે જેમાં 19 દિવસ સુધી ચમાયાવિલ્લાકુ નામના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ચમાયું એટલે તૈયાર થવું અને વિલ્લાકુ એટલે લેમ્પ. આ તહેવારની ઉજવણી દરમિયાન મહિલાઓ તૈયાર થઈને આવે એ સામાન્ય વાત છે પરંતુ આ તહેવારની ખાસિયત એ છે કે આ તહેવારમાં ભાગ લેવા પુરૂષો મહિલાઓની જેમ તૈયાર થઈને આવે છે. પૂરૂષોને સારી નોકરી અને સારી પત્ની મળે તે માટે આ ઉત્સવમાં પુરૂષો મહિલાની જેમ તૈયાર થઈને આવે છે. કોલ્લમના આ દેવી મંદિરમાં પરંપરા મુજબ પૂરુષો મહિલાઓનો પહેરવેશ પહેરી મંદિરે પૂજા કરવા આવે છે. 

ક્યારથી અને કોણે કરી આ ઉત્સવ ઉજવવાની શરૂઆત 

આ ઉત્સવ ઉજવવાની શરૂઆત કેવી રીતે થઈ તે અંગેની વાત કરીએ તો આ ઉત્સવની શરૂઆત ઘણા સમય પહેલા છોકરાઓના સમુહે આ ઉત્સવ મનાવવાની શરૂઆત કરી હતી. આ છોકરાઓ ગાયો પાળતા હતા. એકવાર તે રમી રહ્યા હતા ત્યારે તેને એક પથ્થર મળ્યો. તેણે પથ્થર તોડ્યો તો તેમાંથી લોહી નિકળ્યું..પછી આ ગામના પંડિતે કહ્યું કે આ પથ્થરમાં દેવીનો વાસ છે...તે સમયે ખાલી છોકરીઓ જ દેવીની પૂજા કરતી હતી.. તો ત્યારે છોકરાઓએ પોતાની લૂંગીને સાડીની જેમ પહેરી અને છોકરીની જેમ દેવીની પૂજા કરી... ત્યારથી આ પરંપરાની શરૂઆત થઈ.

At This Kerala Temple's Annual Festival, Men Dress Up As Women For A Day

19 દિવસો સુધી ચાલે છે આ ઉત્સવ 

દેવીની પૂજા કરવા માટે પુરુષો બની જાય છે મહિલા અને દેવીની પૂજા કરે છે. દિવસના તે માતાજીને તૈયાર કરે છે અને સાંજ થવાની સાથે જ પુરુષ મહિલાઓની જેમ શણગાર કરી લે છે.  અહીં પત્થરને દેવતા માનીને તેની વર્ષોથી પૂજા કરવામાં આવે છે.. આ પથ્થર આકારમાં વધી પણ રહ્યો છે.અહીં ધર્મ નામની કોઈ વસ્તુ નથી... બધા ધર્મના લોકો અહીં આવે છે. અનુષ્ઠાનમાં ભાગ લેવા માટે આવતા પુરુષો મહિલાઓના વેશમાં તૈયાર થઈને આવે છે... 


મહિલાઓને ટક્કર મારે તેવી રીતે પૂરૂષો તૈયાર થાય છે!

મંદિરે દીવડો લઈને જતા પુરુષો અહીં સ્ત્રીને ટક્કર મારે તેવી રીતે તૈયાર થઈને આવે છે. પુરુષો તૈયાર થાય છે ત્યારે લાગતું જ નથી કે આ પુરુષ છે. અહીં કોમ્પિટિશન પણ કરવામાં આવે છે.. આ ઉત્સવના અનેક ફોટા સામે આવ્યા છે જેમાં મહિલા બનીને તૈયાર થયેલા પૂરૂષને તમે ઓળખી પણ નહીં શકો. મંદિરમાં ચાલતા કુલ 19 દિવસના ઉત્સવમાં છેલ્લા બે દિવસોમાં પુરુષો મહિલા બનીને આવે છે... તે દેવતાને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરે છે. એવું માનવામાં આવે છે કે તેમની મનોકામના પૂરી પણ થાય છે... પહેલા 2 હજાર પુરુષો સ્ત્રી બનીને તૈયાર થઈને આવતા હતા પણ હવે આ આંકડો 10 હજારને પાર થઈ ગયો છે... 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.