Facebookના ભારતીય CEO અજિત મોહને રાજીનામું આપ્યું, હરીફ કંપની Snapમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-03 21:31:34

ફેશબુકના ભારતના સીઈઓ અજિત મોહને રાજીનામું આપી દીધું છે. ફેશબુકે પણ સમાચારને સમર્થન આપ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં કંપનીના ડાયરેક્ટર અને હેડ ઓફ પાર્ટનરશિપ્સ મનીષ ચોપડા હાલ તેમનું કામ કરશે. અજિત મોહન ફેશબુકની હરીફ કંપની Snap સાથે જોડાવાના છે. મોહન 2019માં Meta Platforms સાથે જોડાયા હતા.


માર્ક ઝકરબર્ગને ઝટકો


અજિત મોહને ફેશબુકના ભારતના સીઈઓ તરીકે રાજીનામું આપતા Meta Platforms અને ઝકરબર્ગને ઝટકો લાગ્યો છે. અજિત મોહનના નેતૃત્વમાં કંપનીએ 2015 માં, મેટાની એપ્સ ફેમીલીએ ભારતમાં 20 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ જોડ્યા હતા. ફેસબુકને હાલ ભારતમાં Snapની સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે