Facebookના ભારતીય CEO અજિત મોહને રાજીનામું આપ્યું, હરીફ કંપની Snapમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-03 21:31:34

ફેશબુકના ભારતના સીઈઓ અજિત મોહને રાજીનામું આપી દીધું છે. ફેશબુકે પણ સમાચારને સમર્થન આપ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં કંપનીના ડાયરેક્ટર અને હેડ ઓફ પાર્ટનરશિપ્સ મનીષ ચોપડા હાલ તેમનું કામ કરશે. અજિત મોહન ફેશબુકની હરીફ કંપની Snap સાથે જોડાવાના છે. મોહન 2019માં Meta Platforms સાથે જોડાયા હતા.


માર્ક ઝકરબર્ગને ઝટકો


અજિત મોહને ફેશબુકના ભારતના સીઈઓ તરીકે રાજીનામું આપતા Meta Platforms અને ઝકરબર્ગને ઝટકો લાગ્યો છે. અજિત મોહનના નેતૃત્વમાં કંપનીએ 2015 માં, મેટાની એપ્સ ફેમીલીએ ભારતમાં 20 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ જોડ્યા હતા. ફેસબુકને હાલ ભારતમાં Snapની સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.