ફેશબુક ફરી એક વખત કાતર ચલાવશે, એક હજાર કર્મચારીઓની થશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-03-09 14:32:38

વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે છટણીનો સીલસીલો હજુ ચાલુ જ છે. દુનિયાની મોટી-મોટી ટેક કંપનીઓએ તેમના હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. 


ફેસબુક ફરી કાતર ચલાવશે


મેટાના એક્ઝિક્યુટીવ બોર્ડના આ નિર્ણયથી હજારો કાયમી કર્મચારીઓને અસર થઈ શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ અઠવાડિયે જ છટણીનો નવો રાઉન્ડ ફરી શરૂ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત નવેમ્બરમાં આ કંપનીએ પોતાના 13 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. તેની પ્રથમ મોટી છટણી દરમિયાન, કંપનીમાંથી 11000 કર્મચારીઓને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


1000 લોકો પર લટકી રહી છે તલવાર


મેટાના ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે જે કર્મચારીઓની છટણી થવાની છે તેમનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વખતે લગભગ એક હજાર લોકોની હકાલપટ્ટી થઈ શકે છે. કંપની બિનકાર્યક્ષમ કર્મચારીઓની જ છટણી કરશે. કંપનીને જે ટીમોની જરૂર નથી તેમને સંપુર્ણપણે બહારનો દરવાજો બતાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાની મલ્ટી નેશનલ કંપનીઓ જેવી કે માઈક્રોસોફ્ટ, મેટા, અમેઝોન અને ટ્વીટરે અત્યાર સુધીમાં લગભગ 70 હજાર ભારતીય ટેકનોક્રેટ્સની છટણી કરી છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.