ફેશબુક ફરી એક વખત કાતર ચલાવશે, એક હજાર કર્મચારીઓની થશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-03-09 14:32:38

વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે છટણીનો સીલસીલો હજુ ચાલુ જ છે. દુનિયાની મોટી-મોટી ટેક કંપનીઓએ તેમના હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. 


ફેસબુક ફરી કાતર ચલાવશે


મેટાના એક્ઝિક્યુટીવ બોર્ડના આ નિર્ણયથી હજારો કાયમી કર્મચારીઓને અસર થઈ શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ અઠવાડિયે જ છટણીનો નવો રાઉન્ડ ફરી શરૂ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત નવેમ્બરમાં આ કંપનીએ પોતાના 13 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. તેની પ્રથમ મોટી છટણી દરમિયાન, કંપનીમાંથી 11000 કર્મચારીઓને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


1000 લોકો પર લટકી રહી છે તલવાર


મેટાના ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે જે કર્મચારીઓની છટણી થવાની છે તેમનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વખતે લગભગ એક હજાર લોકોની હકાલપટ્ટી થઈ શકે છે. કંપની બિનકાર્યક્ષમ કર્મચારીઓની જ છટણી કરશે. કંપનીને જે ટીમોની જરૂર નથી તેમને સંપુર્ણપણે બહારનો દરવાજો બતાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાની મલ્ટી નેશનલ કંપનીઓ જેવી કે માઈક્રોસોફ્ટ, મેટા, અમેઝોન અને ટ્વીટરે અત્યાર સુધીમાં લગભગ 70 હજાર ભારતીય ટેકનોક્રેટ્સની છટણી કરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.