ફેશબુક ફરી એક વખત કાતર ચલાવશે, એક હજાર કર્મચારીઓની થશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-03-09 14:32:38

વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે છટણીનો સીલસીલો હજુ ચાલુ જ છે. દુનિયાની મોટી-મોટી ટેક કંપનીઓએ તેમના હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. 


ફેસબુક ફરી કાતર ચલાવશે


મેટાના એક્ઝિક્યુટીવ બોર્ડના આ નિર્ણયથી હજારો કાયમી કર્મચારીઓને અસર થઈ શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ અઠવાડિયે જ છટણીનો નવો રાઉન્ડ ફરી શરૂ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત નવેમ્બરમાં આ કંપનીએ પોતાના 13 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. તેની પ્રથમ મોટી છટણી દરમિયાન, કંપનીમાંથી 11000 કર્મચારીઓને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


1000 લોકો પર લટકી રહી છે તલવાર


મેટાના ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે જે કર્મચારીઓની છટણી થવાની છે તેમનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વખતે લગભગ એક હજાર લોકોની હકાલપટ્ટી થઈ શકે છે. કંપની બિનકાર્યક્ષમ કર્મચારીઓની જ છટણી કરશે. કંપનીને જે ટીમોની જરૂર નથી તેમને સંપુર્ણપણે બહારનો દરવાજો બતાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાની મલ્ટી નેશનલ કંપનીઓ જેવી કે માઈક્રોસોફ્ટ, મેટા, અમેઝોન અને ટ્વીટરે અત્યાર સુધીમાં લગભગ 70 હજાર ભારતીય ટેકનોક્રેટ્સની છટણી કરી છે.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે