ફેશબુક ફરી એક વખત કાતર ચલાવશે, એક હજાર કર્મચારીઓની થશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-03-09 14:32:38

વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે છટણીનો સીલસીલો હજુ ચાલુ જ છે. દુનિયાની મોટી-મોટી ટેક કંપનીઓએ તેમના હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. 


ફેસબુક ફરી કાતર ચલાવશે


મેટાના એક્ઝિક્યુટીવ બોર્ડના આ નિર્ણયથી હજારો કાયમી કર્મચારીઓને અસર થઈ શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ અઠવાડિયે જ છટણીનો નવો રાઉન્ડ ફરી શરૂ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત નવેમ્બરમાં આ કંપનીએ પોતાના 13 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. તેની પ્રથમ મોટી છટણી દરમિયાન, કંપનીમાંથી 11000 કર્મચારીઓને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


1000 લોકો પર લટકી રહી છે તલવાર


મેટાના ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે જે કર્મચારીઓની છટણી થવાની છે તેમનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વખતે લગભગ એક હજાર લોકોની હકાલપટ્ટી થઈ શકે છે. કંપની બિનકાર્યક્ષમ કર્મચારીઓની જ છટણી કરશે. કંપનીને જે ટીમોની જરૂર નથી તેમને સંપુર્ણપણે બહારનો દરવાજો બતાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાની મલ્ટી નેશનલ કંપનીઓ જેવી કે માઈક્રોસોફ્ટ, મેટા, અમેઝોન અને ટ્વીટરે અત્યાર સુધીમાં લગભગ 70 હજાર ભારતીય ટેકનોક્રેટ્સની છટણી કરી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .