દેશના આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી! હિમવર્ષાને કારણે ચારધામ યાત્રામાં આવ્યું વિધ્ન!


  • Published By :
  • Published Date : 2023-05-02 12:59:12

ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ બની ગયો છે. અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં ચોમાસા જેવો વરસાદ થતાં જાણે ઉનાળો બાયપાસ થઈ ગયો હતો તેવું લાગી રહ્યું છે. વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગરમીથી તો લોકોને રાહત મળી છે પરંતુ વરસાદને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 


આ રાજ્યોમાં વરસશે કમોસમી વરસાદ!

એપ્રિલ મહિનાની શરૂઆતમાં આમ તો કાળઝાળ ગરમી વરસતી હોય છે પરંતુ આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે દિલ્હીનું તાપમાન 27 ડિગ્રી આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે બીજી મેના રોજ કેરળ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. 


વાતાવરણમાં પ્રસરી ઠંડક!

ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં માવઠાને કારણે તાપમાનનો પારો નીચે નોંધાયો છે. ગુજરાતમાં પણ આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાની આગાહી કરી છે. ઉત્તરપ્રદેશના પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ પડવાને કારણે તાપમાનનો પારો સતત નીચે થઈ રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 


ખેડૂતોના પાકને થયું નુકસાન!

વરસાદ તેમજ હિમવર્ષાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલ ચારધામની યાત્રા ચાલી રહી છે. ત્યારે હિમવર્ષાને કારણે  ચારધામ યાત્રામાં વિધ્ન આવ્યું છે. કેદારનાથ માટે શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં ગરમીનું પણ પ્રમાણ વધી શકે છે. વરસાદને કારણે ધરતીપુત્ર ચિંતિત થઈ ગયા છે. ખેતરમાં થયેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.