દેશના આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી! હિમવર્ષાને કારણે ચારધામ યાત્રામાં આવ્યું વિધ્ન!


  • Published By :
  • Published Date : 2023-05-02 12:59:12

ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ બની ગયો છે. અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં ચોમાસા જેવો વરસાદ થતાં જાણે ઉનાળો બાયપાસ થઈ ગયો હતો તેવું લાગી રહ્યું છે. વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગરમીથી તો લોકોને રાહત મળી છે પરંતુ વરસાદને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 


આ રાજ્યોમાં વરસશે કમોસમી વરસાદ!

એપ્રિલ મહિનાની શરૂઆતમાં આમ તો કાળઝાળ ગરમી વરસતી હોય છે પરંતુ આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે દિલ્હીનું તાપમાન 27 ડિગ્રી આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે બીજી મેના રોજ કેરળ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. 


વાતાવરણમાં પ્રસરી ઠંડક!

ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં માવઠાને કારણે તાપમાનનો પારો નીચે નોંધાયો છે. ગુજરાતમાં પણ આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાની આગાહી કરી છે. ઉત્તરપ્રદેશના પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ પડવાને કારણે તાપમાનનો પારો સતત નીચે થઈ રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 


ખેડૂતોના પાકને થયું નુકસાન!

વરસાદ તેમજ હિમવર્ષાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલ ચારધામની યાત્રા ચાલી રહી છે. ત્યારે હિમવર્ષાને કારણે  ચારધામ યાત્રામાં વિધ્ન આવ્યું છે. કેદારનાથ માટે શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં ગરમીનું પણ પ્રમાણ વધી શકે છે. વરસાદને કારણે ધરતીપુત્ર ચિંતિત થઈ ગયા છે. ખેતરમાં થયેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.