દેશના આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી! હિમવર્ષાને કારણે ચારધામ યાત્રામાં આવ્યું વિધ્ન!


  • Published By :
  • Published Date : 2023-05-02 12:59:12

ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ બની ગયો છે. અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં ચોમાસા જેવો વરસાદ થતાં જાણે ઉનાળો બાયપાસ થઈ ગયો હતો તેવું લાગી રહ્યું છે. વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગરમીથી તો લોકોને રાહત મળી છે પરંતુ વરસાદને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 


આ રાજ્યોમાં વરસશે કમોસમી વરસાદ!

એપ્રિલ મહિનાની શરૂઆતમાં આમ તો કાળઝાળ ગરમી વરસતી હોય છે પરંતુ આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે દિલ્હીનું તાપમાન 27 ડિગ્રી આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે બીજી મેના રોજ કેરળ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. 


વાતાવરણમાં પ્રસરી ઠંડક!

ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં માવઠાને કારણે તાપમાનનો પારો નીચે નોંધાયો છે. ગુજરાતમાં પણ આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાની આગાહી કરી છે. ઉત્તરપ્રદેશના પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ પડવાને કારણે તાપમાનનો પારો સતત નીચે થઈ રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 


ખેડૂતોના પાકને થયું નુકસાન!

વરસાદ તેમજ હિમવર્ષાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલ ચારધામની યાત્રા ચાલી રહી છે. ત્યારે હિમવર્ષાને કારણે  ચારધામ યાત્રામાં વિધ્ન આવ્યું છે. કેદારનાથ માટે શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં ગરમીનું પણ પ્રમાણ વધી શકે છે. વરસાદને કારણે ધરતીપુત્ર ચિંતિત થઈ ગયા છે. ખેતરમાં થયેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.