2500 કિલો મેથમફેટામાઈન, કિંમત રૂ. 15000 કરોડ, NCB અને નેવીએ પકડ્યો ડ્ર્ગ્સનો સૌથી મોટો જથ્થો


  • Published By :
  • Published Date : 2023-05-14 11:29:24

ભારતમાં ડ્ર્ગ્સની તસ્કરી ચિંતાનો વિષય બન્યો છે, શનિવારે પાકિસ્તાનથી મંગાવવામાં આવેલું 2500 કિલો હાઈ પ્યોરિટી મેથમફેટામાઈન ઝડપી લેવામાં આવ્યું છે. આ રિક્રિએશન ડ્રગ ઈન્ડિયન નેવી અને નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ના સંયુક્ત ઓપરેશન બાદ કબજે કરવામાં આવ્યું છે. આ ડ્ર્ગ્સની બજાર કિંમત લગભગ 15 હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે. ડ્રગ્સના જથ્થાની સાથે એક પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે.  NCBના જણાવ્યા પ્રમાણે આટલી મોટી રકમનું ડ્રગ્સ આ પહેલા ક્યારેય પકડવામાં આવ્યું નથી.


કઈ રીતે ઝડપાયું ડ્રગ્સ?


ઈન્ડિયન નેવીના જણાવ્યા પ્રમાણે ગુપ્ત માહિતીની આધારે ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ ઈન્ડિયન જેવી અને એનસીબીના અધિકારીઓ દ્વારા હિંદ મહાસાગરમાં એક સ્પિડ બોટને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. મધર શિપમાંથી મેથમફેટામાઈન ડ્રગ્સની કુલ 134 બોરી જપ્ત કરવામાં આવી છે. આ શિપ ચલાવતા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મધર શિપમાંથી પકડાયેલા સામાનને કોચ્ચી લાવીને આગળની કાર્યવાહી કરવા માટે એનસીબીને સોંપી દેવામાં આવ્યો છે.


ઓપરેશન સમુદ્રગુપ્ત શું છે?


NCBના ડેપ્યુટી ડીજી ( ઓપરેશન્સ) સંજય સિંહના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સની આ ખેપ ભારત, શ્રીલંકા અને માલદિવ માટે હતી. સામાન્ય રીતે આ ડ્ર્ગ્સ ડેથ ક્રેસેન્ટ ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે એનસીબી અને ભારતીય નૌકાદળ દ્વારા ડ્ર્ગ્સના રેકેટને પકડવા માટે  ખાસ ઓપરેશન સમુદ્રગુપ્ત શરૂ કરવામાં આવ્યું છે.જાન્યુઆરી 2022માં આ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો હેતુ પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનથી આવતા ડ્ર્ગ્સના જથ્થાને સમુદ્રમાં જ ઝડપી લેવાનો છે. છેલ્લા 18 મહિનામાં એનસીબીની આ ત્રીજી મોટી સફળતા છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.