2500 કિલો મેથમફેટામાઈન, કિંમત રૂ. 15000 કરોડ, NCB અને નેવીએ પકડ્યો ડ્ર્ગ્સનો સૌથી મોટો જથ્થો


  • Published By :
  • Published Date : 2023-05-14 11:29:24

ભારતમાં ડ્ર્ગ્સની તસ્કરી ચિંતાનો વિષય બન્યો છે, શનિવારે પાકિસ્તાનથી મંગાવવામાં આવેલું 2500 કિલો હાઈ પ્યોરિટી મેથમફેટામાઈન ઝડપી લેવામાં આવ્યું છે. આ રિક્રિએશન ડ્રગ ઈન્ડિયન નેવી અને નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ના સંયુક્ત ઓપરેશન બાદ કબજે કરવામાં આવ્યું છે. આ ડ્ર્ગ્સની બજાર કિંમત લગભગ 15 હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે. ડ્રગ્સના જથ્થાની સાથે એક પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે.  NCBના જણાવ્યા પ્રમાણે આટલી મોટી રકમનું ડ્રગ્સ આ પહેલા ક્યારેય પકડવામાં આવ્યું નથી.


કઈ રીતે ઝડપાયું ડ્રગ્સ?


ઈન્ડિયન નેવીના જણાવ્યા પ્રમાણે ગુપ્ત માહિતીની આધારે ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ ઈન્ડિયન જેવી અને એનસીબીના અધિકારીઓ દ્વારા હિંદ મહાસાગરમાં એક સ્પિડ બોટને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. મધર શિપમાંથી મેથમફેટામાઈન ડ્રગ્સની કુલ 134 બોરી જપ્ત કરવામાં આવી છે. આ શિપ ચલાવતા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મધર શિપમાંથી પકડાયેલા સામાનને કોચ્ચી લાવીને આગળની કાર્યવાહી કરવા માટે એનસીબીને સોંપી દેવામાં આવ્યો છે.


ઓપરેશન સમુદ્રગુપ્ત શું છે?


NCBના ડેપ્યુટી ડીજી ( ઓપરેશન્સ) સંજય સિંહના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સની આ ખેપ ભારત, શ્રીલંકા અને માલદિવ માટે હતી. સામાન્ય રીતે આ ડ્ર્ગ્સ ડેથ ક્રેસેન્ટ ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે એનસીબી અને ભારતીય નૌકાદળ દ્વારા ડ્ર્ગ્સના રેકેટને પકડવા માટે  ખાસ ઓપરેશન સમુદ્રગુપ્ત શરૂ કરવામાં આવ્યું છે.જાન્યુઆરી 2022માં આ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો હેતુ પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનથી આવતા ડ્ર્ગ્સના જથ્થાને સમુદ્રમાં જ ઝડપી લેવાનો છે. છેલ્લા 18 મહિનામાં એનસીબીની આ ત્રીજી મોટી સફળતા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.