2500 કિલો મેથમફેટામાઈન, કિંમત રૂ. 15000 કરોડ, NCB અને નેવીએ પકડ્યો ડ્ર્ગ્સનો સૌથી મોટો જથ્થો


  • Published By :
  • Published Date : 2023-05-14 11:29:24

ભારતમાં ડ્ર્ગ્સની તસ્કરી ચિંતાનો વિષય બન્યો છે, શનિવારે પાકિસ્તાનથી મંગાવવામાં આવેલું 2500 કિલો હાઈ પ્યોરિટી મેથમફેટામાઈન ઝડપી લેવામાં આવ્યું છે. આ રિક્રિએશન ડ્રગ ઈન્ડિયન નેવી અને નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ના સંયુક્ત ઓપરેશન બાદ કબજે કરવામાં આવ્યું છે. આ ડ્ર્ગ્સની બજાર કિંમત લગભગ 15 હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે. ડ્રગ્સના જથ્થાની સાથે એક પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે.  NCBના જણાવ્યા પ્રમાણે આટલી મોટી રકમનું ડ્રગ્સ આ પહેલા ક્યારેય પકડવામાં આવ્યું નથી.


કઈ રીતે ઝડપાયું ડ્રગ્સ?


ઈન્ડિયન નેવીના જણાવ્યા પ્રમાણે ગુપ્ત માહિતીની આધારે ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ ઈન્ડિયન જેવી અને એનસીબીના અધિકારીઓ દ્વારા હિંદ મહાસાગરમાં એક સ્પિડ બોટને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. મધર શિપમાંથી મેથમફેટામાઈન ડ્રગ્સની કુલ 134 બોરી જપ્ત કરવામાં આવી છે. આ શિપ ચલાવતા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મધર શિપમાંથી પકડાયેલા સામાનને કોચ્ચી લાવીને આગળની કાર્યવાહી કરવા માટે એનસીબીને સોંપી દેવામાં આવ્યો છે.


ઓપરેશન સમુદ્રગુપ્ત શું છે?


NCBના ડેપ્યુટી ડીજી ( ઓપરેશન્સ) સંજય સિંહના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સની આ ખેપ ભારત, શ્રીલંકા અને માલદિવ માટે હતી. સામાન્ય રીતે આ ડ્ર્ગ્સ ડેથ ક્રેસેન્ટ ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે એનસીબી અને ભારતીય નૌકાદળ દ્વારા ડ્ર્ગ્સના રેકેટને પકડવા માટે  ખાસ ઓપરેશન સમુદ્રગુપ્ત શરૂ કરવામાં આવ્યું છે.જાન્યુઆરી 2022માં આ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો હેતુ પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનથી આવતા ડ્ર્ગ્સના જથ્થાને સમુદ્રમાં જ ઝડપી લેવાનો છે. છેલ્લા 18 મહિનામાં એનસીબીની આ ત્રીજી મોટી સફળતા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.