મિશેલ ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે, જો બિડેનનું નબળું સ્વાસ્થ્ય બન્યું કારણ


  • Published By :
  • Published Date : 2024-02-13 18:29:56

અમેરિકામાં આ વર્ષના અંતમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ એક ચોંકાવનારા સમાચાર આવી શકે છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ જો બિડેન છેલ્લી ક્ષણે તેમની ઉમેદવારી છોડી શકે છે અને તેમના સ્થાને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. હકીકતમાં, હાલમાં જ સ્પેશિયલ કાઉન્સેલ રોબર્ટ હુરનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બિડેન શારીરિક નબળાઈઓ સામે ઝઝૂમી રહ્યા છે,  તેથી તેમના માટે ચૂંટણી લડવી યોગ્ય નથી. જો કે, બિડેને આ રિપોર્ટને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે ઉંમર સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે હું ફિટ નથી.


વિવેક રામાસ્વામીએ મિશેલના નામ અંગે માહિતી જાહેર કરી 


9 ફેબ્રુઆરીએ વિવેક રામાસ્વામીએ ડેમોક્રેટ ઉમેદવાર વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. વિવેકે કહ્યું, ડેમોક્રેટિક પાર્ટી મિશેલ ઓબામાને બિડેનની જગ્યાએ નોમિનેટ કરવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ડેમોક્રેટિક પાર્ટી બરાક ઓબામાની લોકપ્રિયતાનો લાભ લેવા માટે મિશેલને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે. સ્પેશિયલ કાઉન્સેલ રોબર્ટ હુરના રિપોર્ટ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિડેનના સ્વાસ્થ્યને લઈને રિપોર્ટમાં કેટલા ગંભીર સવાલો ઉભા થયા છે તે બધાએ જોયું છે. ઉલ્લેખનિય છે તે વિવેક રામાસ્વામી પણ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં હતા. બાદમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.


હિલેરી ક્લિન્ટને પણ બિડેનના સ્વાસ્થ્ય અંગે સવાલો ઉઠાવ્યા 


 પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને પણ બિડેનના સ્વાસ્થ્ય અંગે સવાલો ઉઠાવ્યા છે. હિલેરી ક્લિન્ટને એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે જો ડેમોક્રેટ્સ બિડેનને ઉમેદવાર બનાવે છે તો તેનો સીધો ફાયદો ટ્રમ્પને થશે. તેથી, બિડેનનો વિકલ્પ શોધવો મહત્વપૂર્ણ છે. દરમિયાન યુએનના પૂર્વ રાજદૂત નિક્કી હેલી, જે ડોનાલ્ડ ટ્રમ્પ સામે પક્ષના નામાંકન માટેની રેસમાં એકમાત્ર રિપબ્લિકન ઉમેદવાર બાકી રહ્યા છે, તેમણે કહ્યું છે કે અમેરિકામાં "2024 માં એક મહિલા પ્રમુખ" હશે અને તે કાં તો તે પોતે અથવા કમલા હેરિસ હશે. બંને ભારતીય મૂળના છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?