મિશેલ ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે, જો બિડેનનું નબળું સ્વાસ્થ્ય બન્યું કારણ


  • Published By :
  • Published Date : 2024-02-13 18:29:56

અમેરિકામાં આ વર્ષના અંતમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ એક ચોંકાવનારા સમાચાર આવી શકે છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ જો બિડેન છેલ્લી ક્ષણે તેમની ઉમેદવારી છોડી શકે છે અને તેમના સ્થાને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. હકીકતમાં, હાલમાં જ સ્પેશિયલ કાઉન્સેલ રોબર્ટ હુરનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બિડેન શારીરિક નબળાઈઓ સામે ઝઝૂમી રહ્યા છે,  તેથી તેમના માટે ચૂંટણી લડવી યોગ્ય નથી. જો કે, બિડેને આ રિપોર્ટને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે ઉંમર સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે હું ફિટ નથી.


વિવેક રામાસ્વામીએ મિશેલના નામ અંગે માહિતી જાહેર કરી 


9 ફેબ્રુઆરીએ વિવેક રામાસ્વામીએ ડેમોક્રેટ ઉમેદવાર વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. વિવેકે કહ્યું, ડેમોક્રેટિક પાર્ટી મિશેલ ઓબામાને બિડેનની જગ્યાએ નોમિનેટ કરવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ડેમોક્રેટિક પાર્ટી બરાક ઓબામાની લોકપ્રિયતાનો લાભ લેવા માટે મિશેલને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે. સ્પેશિયલ કાઉન્સેલ રોબર્ટ હુરના રિપોર્ટ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિડેનના સ્વાસ્થ્યને લઈને રિપોર્ટમાં કેટલા ગંભીર સવાલો ઉભા થયા છે તે બધાએ જોયું છે. ઉલ્લેખનિય છે તે વિવેક રામાસ્વામી પણ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં હતા. બાદમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.


હિલેરી ક્લિન્ટને પણ બિડેનના સ્વાસ્થ્ય અંગે સવાલો ઉઠાવ્યા 


 પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને પણ બિડેનના સ્વાસ્થ્ય અંગે સવાલો ઉઠાવ્યા છે. હિલેરી ક્લિન્ટને એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે જો ડેમોક્રેટ્સ બિડેનને ઉમેદવાર બનાવે છે તો તેનો સીધો ફાયદો ટ્રમ્પને થશે. તેથી, બિડેનનો વિકલ્પ શોધવો મહત્વપૂર્ણ છે. દરમિયાન યુએનના પૂર્વ રાજદૂત નિક્કી હેલી, જે ડોનાલ્ડ ટ્રમ્પ સામે પક્ષના નામાંકન માટેની રેસમાં એકમાત્ર રિપબ્લિકન ઉમેદવાર બાકી રહ્યા છે, તેમણે કહ્યું છે કે અમેરિકામાં "2024 માં એક મહિલા પ્રમુખ" હશે અને તે કાં તો તે પોતે અથવા કમલા હેરિસ હશે. બંને ભારતીય મૂળના છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.