હવે માઈક્રોસોફ્ટ પણ છટણીના માર્ગે, આજે 11,000 કર્મચારીઓની કરશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-01-18 12:50:15

દુનિયાભરમાં મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, આ કારણે જ વિશ્વની જાયન્ટ કંપનીઓ પણ સ્ટાફની છટણી કરી ખર્ચ ઘટાડી રહી છે. ટ્વીટર, ફેશબુક, એમેઝોન, ગુગલ બાદ હવે માઈક્રોસોફ્ટે પણ છટણીની કાતર ચલાવી છે. એક રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટના લગભગ 11,000 કર્મચારીઓની આજે છટણી કરવામાં આવશે.


 HR અને એન્જિનિયરિંગ વિભાગમાં છટણી


મિડીયા રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટમાં મુખ્યત્વે માનવ સંસાધન (HR) અને એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. આ છટણી પ્રક્રિયાના ભાગરૂપે, માઇક્રોસોફ્ટ તેની કુલ કાર્યક્ષમતાના 5 ટકા ઘટાડશે. આ રીતે કંપની કુલ 11,000 કર્મચારીઓની છટણી કરશે.


નફો ઘટતા છટણીની કાતર ચલાવી


માઇક્રોસોફ્ટ પર તેનો નફો જાળવી રાખવાનું દબાણ વધી રહ્યું છે કારણ કે તેનું ક્લાઉડ યુનિટ Azure સતત કેટલાંક ક્વાર્ટરથી ઘટાડાનો સામનો કરી રહ્યું છે. પર્સનલ કોમ્પ્યુટરના માર્કેટ પર આવી રહેલી નકારાત્મક અસરને જોતા તેની અસર માઇક્રોસોફ્ટના વિન્ડોઝ અને ડિવાઇસના વેચાણ પર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ થોડા સમય પહેલા જ કંપનીના કામકાજમાં મોટા ફેરફારોના સંકેત આપ્યા હતા.


સ્ટાફ ઘટાડી બચત


માઈક્રોસોફ્ટમાં કુલ 2 લાખ 21 હજાર ફુલ ટાઈમ કર્મચારીઓ છે અને તેમાંથી 1 લાખ 22 હજાર કર્મચારીઓ માત્ર અમેરિકામાં જ કામ કરે છે. 30 જૂન 2022 ના ફાઇલિંગ અનુસાર, કંપની પાસે 99,000 કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામમાં રોકાયેલા છે. માઈક્રોસોફ્ટે કોરોના સમયગાળા દરમિયાન ઘણી ભરતી કરી હતી અને હવે કંપની તેની સામાન્ય કામગીરી પર પરત ફરી રહી છે. કંપની માનવબળ ઘટાડી તેની આર્થિક સ્થિતી વધુ મજબુત બનાવવા માંગે છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.