હવે માઈક્રોસોફ્ટ પણ છટણીના માર્ગે, આજે 11,000 કર્મચારીઓની કરશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-01-18 12:50:15

દુનિયાભરમાં મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, આ કારણે જ વિશ્વની જાયન્ટ કંપનીઓ પણ સ્ટાફની છટણી કરી ખર્ચ ઘટાડી રહી છે. ટ્વીટર, ફેશબુક, એમેઝોન, ગુગલ બાદ હવે માઈક્રોસોફ્ટે પણ છટણીની કાતર ચલાવી છે. એક રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટના લગભગ 11,000 કર્મચારીઓની આજે છટણી કરવામાં આવશે.


 HR અને એન્જિનિયરિંગ વિભાગમાં છટણી


મિડીયા રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટમાં મુખ્યત્વે માનવ સંસાધન (HR) અને એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. આ છટણી પ્રક્રિયાના ભાગરૂપે, માઇક્રોસોફ્ટ તેની કુલ કાર્યક્ષમતાના 5 ટકા ઘટાડશે. આ રીતે કંપની કુલ 11,000 કર્મચારીઓની છટણી કરશે.


નફો ઘટતા છટણીની કાતર ચલાવી


માઇક્રોસોફ્ટ પર તેનો નફો જાળવી રાખવાનું દબાણ વધી રહ્યું છે કારણ કે તેનું ક્લાઉડ યુનિટ Azure સતત કેટલાંક ક્વાર્ટરથી ઘટાડાનો સામનો કરી રહ્યું છે. પર્સનલ કોમ્પ્યુટરના માર્કેટ પર આવી રહેલી નકારાત્મક અસરને જોતા તેની અસર માઇક્રોસોફ્ટના વિન્ડોઝ અને ડિવાઇસના વેચાણ પર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ થોડા સમય પહેલા જ કંપનીના કામકાજમાં મોટા ફેરફારોના સંકેત આપ્યા હતા.


સ્ટાફ ઘટાડી બચત


માઈક્રોસોફ્ટમાં કુલ 2 લાખ 21 હજાર ફુલ ટાઈમ કર્મચારીઓ છે અને તેમાંથી 1 લાખ 22 હજાર કર્મચારીઓ માત્ર અમેરિકામાં જ કામ કરે છે. 30 જૂન 2022 ના ફાઇલિંગ અનુસાર, કંપની પાસે 99,000 કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામમાં રોકાયેલા છે. માઈક્રોસોફ્ટે કોરોના સમયગાળા દરમિયાન ઘણી ભરતી કરી હતી અને હવે કંપની તેની સામાન્ય કામગીરી પર પરત ફરી રહી છે. કંપની માનવબળ ઘટાડી તેની આર્થિક સ્થિતી વધુ મજબુત બનાવવા માંગે છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.