હવે માઈક્રોસોફ્ટ પણ છટણીના માર્ગે, આજે 11,000 કર્મચારીઓની કરશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-01-18 12:50:15

દુનિયાભરમાં મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, આ કારણે જ વિશ્વની જાયન્ટ કંપનીઓ પણ સ્ટાફની છટણી કરી ખર્ચ ઘટાડી રહી છે. ટ્વીટર, ફેશબુક, એમેઝોન, ગુગલ બાદ હવે માઈક્રોસોફ્ટે પણ છટણીની કાતર ચલાવી છે. એક રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટના લગભગ 11,000 કર્મચારીઓની આજે છટણી કરવામાં આવશે.


 HR અને એન્જિનિયરિંગ વિભાગમાં છટણી


મિડીયા રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટમાં મુખ્યત્વે માનવ સંસાધન (HR) અને એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. આ છટણી પ્રક્રિયાના ભાગરૂપે, માઇક્રોસોફ્ટ તેની કુલ કાર્યક્ષમતાના 5 ટકા ઘટાડશે. આ રીતે કંપની કુલ 11,000 કર્મચારીઓની છટણી કરશે.


નફો ઘટતા છટણીની કાતર ચલાવી


માઇક્રોસોફ્ટ પર તેનો નફો જાળવી રાખવાનું દબાણ વધી રહ્યું છે કારણ કે તેનું ક્લાઉડ યુનિટ Azure સતત કેટલાંક ક્વાર્ટરથી ઘટાડાનો સામનો કરી રહ્યું છે. પર્સનલ કોમ્પ્યુટરના માર્કેટ પર આવી રહેલી નકારાત્મક અસરને જોતા તેની અસર માઇક્રોસોફ્ટના વિન્ડોઝ અને ડિવાઇસના વેચાણ પર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ થોડા સમય પહેલા જ કંપનીના કામકાજમાં મોટા ફેરફારોના સંકેત આપ્યા હતા.


સ્ટાફ ઘટાડી બચત


માઈક્રોસોફ્ટમાં કુલ 2 લાખ 21 હજાર ફુલ ટાઈમ કર્મચારીઓ છે અને તેમાંથી 1 લાખ 22 હજાર કર્મચારીઓ માત્ર અમેરિકામાં જ કામ કરે છે. 30 જૂન 2022 ના ફાઇલિંગ અનુસાર, કંપની પાસે 99,000 કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામમાં રોકાયેલા છે. માઈક્રોસોફ્ટે કોરોના સમયગાળા દરમિયાન ઘણી ભરતી કરી હતી અને હવે કંપની તેની સામાન્ય કામગીરી પર પરત ફરી રહી છે. કંપની માનવબળ ઘટાડી તેની આર્થિક સ્થિતી વધુ મજબુત બનાવવા માંગે છે.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે