હવે માઈક્રોસોફ્ટ પણ છટણીના માર્ગે, આજે 11,000 કર્મચારીઓની કરશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-01-18 12:50:15

દુનિયાભરમાં મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, આ કારણે જ વિશ્વની જાયન્ટ કંપનીઓ પણ સ્ટાફની છટણી કરી ખર્ચ ઘટાડી રહી છે. ટ્વીટર, ફેશબુક, એમેઝોન, ગુગલ બાદ હવે માઈક્રોસોફ્ટે પણ છટણીની કાતર ચલાવી છે. એક રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટના લગભગ 11,000 કર્મચારીઓની આજે છટણી કરવામાં આવશે.


 HR અને એન્જિનિયરિંગ વિભાગમાં છટણી


મિડીયા રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટમાં મુખ્યત્વે માનવ સંસાધન (HR) અને એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. આ છટણી પ્રક્રિયાના ભાગરૂપે, માઇક્રોસોફ્ટ તેની કુલ કાર્યક્ષમતાના 5 ટકા ઘટાડશે. આ રીતે કંપની કુલ 11,000 કર્મચારીઓની છટણી કરશે.


નફો ઘટતા છટણીની કાતર ચલાવી


માઇક્રોસોફ્ટ પર તેનો નફો જાળવી રાખવાનું દબાણ વધી રહ્યું છે કારણ કે તેનું ક્લાઉડ યુનિટ Azure સતત કેટલાંક ક્વાર્ટરથી ઘટાડાનો સામનો કરી રહ્યું છે. પર્સનલ કોમ્પ્યુટરના માર્કેટ પર આવી રહેલી નકારાત્મક અસરને જોતા તેની અસર માઇક્રોસોફ્ટના વિન્ડોઝ અને ડિવાઇસના વેચાણ પર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ થોડા સમય પહેલા જ કંપનીના કામકાજમાં મોટા ફેરફારોના સંકેત આપ્યા હતા.


સ્ટાફ ઘટાડી બચત


માઈક્રોસોફ્ટમાં કુલ 2 લાખ 21 હજાર ફુલ ટાઈમ કર્મચારીઓ છે અને તેમાંથી 1 લાખ 22 હજાર કર્મચારીઓ માત્ર અમેરિકામાં જ કામ કરે છે. 30 જૂન 2022 ના ફાઇલિંગ અનુસાર, કંપની પાસે 99,000 કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામમાં રોકાયેલા છે. માઈક્રોસોફ્ટે કોરોના સમયગાળા દરમિયાન ઘણી ભરતી કરી હતી અને હવે કંપની તેની સામાન્ય કામગીરી પર પરત ફરી રહી છે. કંપની માનવબળ ઘટાડી તેની આર્થિક સ્થિતી વધુ મજબુત બનાવવા માંગે છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .