સીરિયામાં લશ્કરી બસમાં વિસ્ફોટ, 18 સૈનિકોના મોત અને 27 ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:00:51

દમાસ્કસ નજીક લશ્કરી બસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 18 સૈનિકો માર્યા ગયા હતા અને 27 ઘાયલ થયા હતા. ભૂતકાળમાં અહીં આવી ઘણી ઘટનાઓ બની છે, જેના માટે ઇસ્લામિક સ્ટેટને જવાબદાર ગણવામાં આવે છે.


ગુરુવારે સીરિયાની રાજધાની દમાસ્કસ પાસે એક સૈન્ય બસમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. જેમાં 18 જવાનો શહીદ થયા હતા અને 27 ઘાયલ થયા હતા. સીરિયન મીડિયાએ સૈન્ય સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.


છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવાં કેટલાંય હુમલા થયા છે જેમાં ડઝનેક લોકોનાં મોત થયાં છે અને ડઝનેક ઘાયલ થયા છે.ગયા મહિને માર્ચ મહિનામાં સેન્ટ્રલ સીરિયામાં પાલમિરા પાસે આતંકવાદીઓએ એક સૈન્ય બસ પર હુમલો કર્યો હતો. જેમાં 13 જવાનો શહીદ થયા હતા અને 18 ઘાયલ થયા હતા.સીરિયન અધિકારીઓએ અગાઉ આવા હુમલાઓ માટે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ આતંકવાદી જૂથ દક્ષિણ અને મધ્ય સીરિયામાં સક્રિય છે. મધ્ય સીરિયા 2019 માં ઇસ્લામિક સ્ટેટના કબજામાંથી મુક્ત થયું હતું.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .