સીરિયામાં લશ્કરી બસમાં વિસ્ફોટ, 18 સૈનિકોના મોત અને 27 ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:00:51

દમાસ્કસ નજીક લશ્કરી બસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 18 સૈનિકો માર્યા ગયા હતા અને 27 ઘાયલ થયા હતા. ભૂતકાળમાં અહીં આવી ઘણી ઘટનાઓ બની છે, જેના માટે ઇસ્લામિક સ્ટેટને જવાબદાર ગણવામાં આવે છે.


ગુરુવારે સીરિયાની રાજધાની દમાસ્કસ પાસે એક સૈન્ય બસમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. જેમાં 18 જવાનો શહીદ થયા હતા અને 27 ઘાયલ થયા હતા. સીરિયન મીડિયાએ સૈન્ય સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.


છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવાં કેટલાંય હુમલા થયા છે જેમાં ડઝનેક લોકોનાં મોત થયાં છે અને ડઝનેક ઘાયલ થયા છે.ગયા મહિને માર્ચ મહિનામાં સેન્ટ્રલ સીરિયામાં પાલમિરા પાસે આતંકવાદીઓએ એક સૈન્ય બસ પર હુમલો કર્યો હતો. જેમાં 13 જવાનો શહીદ થયા હતા અને 18 ઘાયલ થયા હતા.સીરિયન અધિકારીઓએ અગાઉ આવા હુમલાઓ માટે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ આતંકવાદી જૂથ દક્ષિણ અને મધ્ય સીરિયામાં સક્રિય છે. મધ્ય સીરિયા 2019 માં ઇસ્લામિક સ્ટેટના કબજામાંથી મુક્ત થયું હતું.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .