લોકસભાની 26 બેઠક પર ભગવો લહેરાવવા ગુજરાત ભાજપે કમર કસી, અડધા સાંસદોની ટિકિટ કપાવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-05-19 12:52:13

અગામી 2024ની લોકસભા ચુંટણીને લઇને રાજ્ય સરકાર અને ભાજપ સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભામાં 26 સીટ જીતવાના ભાગરૂપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી વિવિધ જીલ્લાઓમાં પ્રવાસ કરવાની શરૂઆત કરી છે. ગુજરાતમાં ભાજપની હયાત 26 લોકસભા સીટ પર વિજય મેળવવા માટે પાર્ટી અને સરકાર કમર કસી રહી છે. હવે આ સ્થિતીમાં સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાજપને જન સમર્થન કેવું મળશે?


જનતા કોને સમર્થન આપશે?


રાજ્યમાં લોકસભાની 26 સીટ 5 લાખથી વધો મતથી જીતવાના ટાર્ગેટ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ જિલ્લાઓનો પ્રવાસ શરૂ કરવામા આવ્યા છે. આ અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ જીલ્લાઓનો પ્રવાસ કરશે. જેમાં આણંદ, ભરૂચ,  મોરબી, રાજકોટ સહિત ચાર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અઠવાડિયામાં ચાર જિલ્લાનો પ્રવાસ જાહેર કર્યો છે. ભાજપે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો જીતી હોવાથી ભાજપના નેતાઓનો આત્મ વિશ્વાસ બુલંદ છે. જો કે લોકોનો મિજાજ ક્યારે બદલાય તે કહીં શકાય નહીં. ભાજપને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાંથી મોટો બોધપાઠ મળ્યો છે.


અડધા સાંસદોની ટિકિટ કપાશે


આગામી લોકસભા ચૂંટણીને લઇને ભાજપે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. મે 2024માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ હાલના 26 પૈકી અડધા સાંસદોની ટિકિટો કાપીને નવા ચહેરાને તક આપશે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઘણા નવોદિતોને તક આપી તે જ પેટર્ન લોકસભા ચૂંટણીમાં પણ અપનાવાશે.પરબત પટેલ, બનાસકાંઠા દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા, કે.સી. પટેલ, વલસાડ,પરભુ વસાવા, બારડોલી, મિતેશ પટેલ, આણંદ, રાજેશ ચુડાસમા, જૂનાગઢ, હસમુખ પટેલ, અમદાવાદ પૂર્વડો. કિરીટ સોલંકી, અમદાવાદ પશ્ચિમ, મહેન્દ્ર મુંજપરા, સુરેન્દ્રનગર, રતનસિંહ રાઠોડ, પંચમહાલ, અને મહેસાણાના સાંસદ શારદાબેન પટેલનું પત્તુ કપાશે.


શું ચહેરા બદલીને એન્ટી ઇન્કંબંસી ટાળી શકશે ભાજપ?


ભાજપની વર્ષો જુની ચૂંટણી સ્ટ્રેટેજી રહી છે કે લોકોનો આક્રોશ ઠારવા  માટે ચહેરા બદલી નાખે છે. પાર્ટીને નુકસાન ન થાય તે માટે જે તે સાંસદોને બદલે નવો જ ચહેરો લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્તમાન સાંસદોને ટિકિટ નહીં આપીને જનતાનો રોષ હળવો કરશે. ભાજપની આ વર્ષો જુની ચૂંટણી રણનિતી દર વખતે કામ કરી ગઈ છે, પણ આ વખતે સફળ થાય છે કે નહીં તે જોવાનું છે.


મોદીના ચહેરા પર પર લડાશે ચૂંટણી


લોકસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી જ રહેશે. ભાજપના નેતાઓમાં સૌથી લોકપ્રિય પ્રધાન મંત્રી મોદી જ છે. આમ પણ રાજય વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના મુદ્દાઓ અલગ-અલગ હોય છે. લોકો પણ સ્થાનિક સાંસદને નહીં પણ પીએમ મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. વિરોધ પક્ષો પાસે પણ મોદી જેટલો કદાવાર નેતા નથી. વળી તેમની દેશભરમાં લોકપ્રિયા હજું પણ યથાવત છે. લોકો ગરીબી, બેકારી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય સહિતની ની સમસ્યાઓ ભૂલીને પીએમ મોદીના ચહેરાને જોઈને મતદાન કરે છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .