લોકસભાની 26 બેઠક પર ભગવો લહેરાવવા ગુજરાત ભાજપે કમર કસી, અડધા સાંસદોની ટિકિટ કપાવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-05-19 12:52:13

અગામી 2024ની લોકસભા ચુંટણીને લઇને રાજ્ય સરકાર અને ભાજપ સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભામાં 26 સીટ જીતવાના ભાગરૂપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી વિવિધ જીલ્લાઓમાં પ્રવાસ કરવાની શરૂઆત કરી છે. ગુજરાતમાં ભાજપની હયાત 26 લોકસભા સીટ પર વિજય મેળવવા માટે પાર્ટી અને સરકાર કમર કસી રહી છે. હવે આ સ્થિતીમાં સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાજપને જન સમર્થન કેવું મળશે?


જનતા કોને સમર્થન આપશે?


રાજ્યમાં લોકસભાની 26 સીટ 5 લાખથી વધો મતથી જીતવાના ટાર્ગેટ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ જિલ્લાઓનો પ્રવાસ શરૂ કરવામા આવ્યા છે. આ અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ જીલ્લાઓનો પ્રવાસ કરશે. જેમાં આણંદ, ભરૂચ,  મોરબી, રાજકોટ સહિત ચાર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અઠવાડિયામાં ચાર જિલ્લાનો પ્રવાસ જાહેર કર્યો છે. ભાજપે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો જીતી હોવાથી ભાજપના નેતાઓનો આત્મ વિશ્વાસ બુલંદ છે. જો કે લોકોનો મિજાજ ક્યારે બદલાય તે કહીં શકાય નહીં. ભાજપને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાંથી મોટો બોધપાઠ મળ્યો છે.


અડધા સાંસદોની ટિકિટ કપાશે


આગામી લોકસભા ચૂંટણીને લઇને ભાજપે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. મે 2024માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ હાલના 26 પૈકી અડધા સાંસદોની ટિકિટો કાપીને નવા ચહેરાને તક આપશે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઘણા નવોદિતોને તક આપી તે જ પેટર્ન લોકસભા ચૂંટણીમાં પણ અપનાવાશે.પરબત પટેલ, બનાસકાંઠા દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા, કે.સી. પટેલ, વલસાડ,પરભુ વસાવા, બારડોલી, મિતેશ પટેલ, આણંદ, રાજેશ ચુડાસમા, જૂનાગઢ, હસમુખ પટેલ, અમદાવાદ પૂર્વડો. કિરીટ સોલંકી, અમદાવાદ પશ્ચિમ, મહેન્દ્ર મુંજપરા, સુરેન્દ્રનગર, રતનસિંહ રાઠોડ, પંચમહાલ, અને મહેસાણાના સાંસદ શારદાબેન પટેલનું પત્તુ કપાશે.


શું ચહેરા બદલીને એન્ટી ઇન્કંબંસી ટાળી શકશે ભાજપ?


ભાજપની વર્ષો જુની ચૂંટણી સ્ટ્રેટેજી રહી છે કે લોકોનો આક્રોશ ઠારવા  માટે ચહેરા બદલી નાખે છે. પાર્ટીને નુકસાન ન થાય તે માટે જે તે સાંસદોને બદલે નવો જ ચહેરો લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્તમાન સાંસદોને ટિકિટ નહીં આપીને જનતાનો રોષ હળવો કરશે. ભાજપની આ વર્ષો જુની ચૂંટણી રણનિતી દર વખતે કામ કરી ગઈ છે, પણ આ વખતે સફળ થાય છે કે નહીં તે જોવાનું છે.


મોદીના ચહેરા પર પર લડાશે ચૂંટણી


લોકસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી જ રહેશે. ભાજપના નેતાઓમાં સૌથી લોકપ્રિય પ્રધાન મંત્રી મોદી જ છે. આમ પણ રાજય વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના મુદ્દાઓ અલગ-અલગ હોય છે. લોકો પણ સ્થાનિક સાંસદને નહીં પણ પીએમ મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. વિરોધ પક્ષો પાસે પણ મોદી જેટલો કદાવાર નેતા નથી. વળી તેમની દેશભરમાં લોકપ્રિયા હજું પણ યથાવત છે. લોકો ગરીબી, બેકારી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય સહિતની ની સમસ્યાઓ ભૂલીને પીએમ મોદીના ચહેરાને જોઈને મતદાન કરે છે. 



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.