લોકસભાની 26 બેઠક પર ભગવો લહેરાવવા ગુજરાત ભાજપે કમર કસી, અડધા સાંસદોની ટિકિટ કપાવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-05-19 12:52:13

અગામી 2024ની લોકસભા ચુંટણીને લઇને રાજ્ય સરકાર અને ભાજપ સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભામાં 26 સીટ જીતવાના ભાગરૂપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી વિવિધ જીલ્લાઓમાં પ્રવાસ કરવાની શરૂઆત કરી છે. ગુજરાતમાં ભાજપની હયાત 26 લોકસભા સીટ પર વિજય મેળવવા માટે પાર્ટી અને સરકાર કમર કસી રહી છે. હવે આ સ્થિતીમાં સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાજપને જન સમર્થન કેવું મળશે?


જનતા કોને સમર્થન આપશે?


રાજ્યમાં લોકસભાની 26 સીટ 5 લાખથી વધો મતથી જીતવાના ટાર્ગેટ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ જિલ્લાઓનો પ્રવાસ શરૂ કરવામા આવ્યા છે. આ અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ જીલ્લાઓનો પ્રવાસ કરશે. જેમાં આણંદ, ભરૂચ,  મોરબી, રાજકોટ સહિત ચાર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અઠવાડિયામાં ચાર જિલ્લાનો પ્રવાસ જાહેર કર્યો છે. ભાજપે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો જીતી હોવાથી ભાજપના નેતાઓનો આત્મ વિશ્વાસ બુલંદ છે. જો કે લોકોનો મિજાજ ક્યારે બદલાય તે કહીં શકાય નહીં. ભાજપને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાંથી મોટો બોધપાઠ મળ્યો છે.


અડધા સાંસદોની ટિકિટ કપાશે


આગામી લોકસભા ચૂંટણીને લઇને ભાજપે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. મે 2024માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ હાલના 26 પૈકી અડધા સાંસદોની ટિકિટો કાપીને નવા ચહેરાને તક આપશે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઘણા નવોદિતોને તક આપી તે જ પેટર્ન લોકસભા ચૂંટણીમાં પણ અપનાવાશે.પરબત પટેલ, બનાસકાંઠા દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા, કે.સી. પટેલ, વલસાડ,પરભુ વસાવા, બારડોલી, મિતેશ પટેલ, આણંદ, રાજેશ ચુડાસમા, જૂનાગઢ, હસમુખ પટેલ, અમદાવાદ પૂર્વડો. કિરીટ સોલંકી, અમદાવાદ પશ્ચિમ, મહેન્દ્ર મુંજપરા, સુરેન્દ્રનગર, રતનસિંહ રાઠોડ, પંચમહાલ, અને મહેસાણાના સાંસદ શારદાબેન પટેલનું પત્તુ કપાશે.


શું ચહેરા બદલીને એન્ટી ઇન્કંબંસી ટાળી શકશે ભાજપ?


ભાજપની વર્ષો જુની ચૂંટણી સ્ટ્રેટેજી રહી છે કે લોકોનો આક્રોશ ઠારવા  માટે ચહેરા બદલી નાખે છે. પાર્ટીને નુકસાન ન થાય તે માટે જે તે સાંસદોને બદલે નવો જ ચહેરો લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્તમાન સાંસદોને ટિકિટ નહીં આપીને જનતાનો રોષ હળવો કરશે. ભાજપની આ વર્ષો જુની ચૂંટણી રણનિતી દર વખતે કામ કરી ગઈ છે, પણ આ વખતે સફળ થાય છે કે નહીં તે જોવાનું છે.


મોદીના ચહેરા પર પર લડાશે ચૂંટણી


લોકસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી જ રહેશે. ભાજપના નેતાઓમાં સૌથી લોકપ્રિય પ્રધાન મંત્રી મોદી જ છે. આમ પણ રાજય વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના મુદ્દાઓ અલગ-અલગ હોય છે. લોકો પણ સ્થાનિક સાંસદને નહીં પણ પીએમ મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. વિરોધ પક્ષો પાસે પણ મોદી જેટલો કદાવાર નેતા નથી. વળી તેમની દેશભરમાં લોકપ્રિયા હજું પણ યથાવત છે. લોકો ગરીબી, બેકારી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય સહિતની ની સમસ્યાઓ ભૂલીને પીએમ મોદીના ચહેરાને જોઈને મતદાન કરે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.