લોકસભાની 26 બેઠક પર ભગવો લહેરાવવા ગુજરાત ભાજપે કમર કસી, અડધા સાંસદોની ટિકિટ કપાવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-05-19 12:52:13

અગામી 2024ની લોકસભા ચુંટણીને લઇને રાજ્ય સરકાર અને ભાજપ સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભામાં 26 સીટ જીતવાના ભાગરૂપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી વિવિધ જીલ્લાઓમાં પ્રવાસ કરવાની શરૂઆત કરી છે. ગુજરાતમાં ભાજપની હયાત 26 લોકસભા સીટ પર વિજય મેળવવા માટે પાર્ટી અને સરકાર કમર કસી રહી છે. હવે આ સ્થિતીમાં સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાજપને જન સમર્થન કેવું મળશે?


જનતા કોને સમર્થન આપશે?


રાજ્યમાં લોકસભાની 26 સીટ 5 લાખથી વધો મતથી જીતવાના ટાર્ગેટ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ જિલ્લાઓનો પ્રવાસ શરૂ કરવામા આવ્યા છે. આ અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ જીલ્લાઓનો પ્રવાસ કરશે. જેમાં આણંદ, ભરૂચ,  મોરબી, રાજકોટ સહિત ચાર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અઠવાડિયામાં ચાર જિલ્લાનો પ્રવાસ જાહેર કર્યો છે. ભાજપે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો જીતી હોવાથી ભાજપના નેતાઓનો આત્મ વિશ્વાસ બુલંદ છે. જો કે લોકોનો મિજાજ ક્યારે બદલાય તે કહીં શકાય નહીં. ભાજપને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાંથી મોટો બોધપાઠ મળ્યો છે.


અડધા સાંસદોની ટિકિટ કપાશે


આગામી લોકસભા ચૂંટણીને લઇને ભાજપે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. મે 2024માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ હાલના 26 પૈકી અડધા સાંસદોની ટિકિટો કાપીને નવા ચહેરાને તક આપશે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઘણા નવોદિતોને તક આપી તે જ પેટર્ન લોકસભા ચૂંટણીમાં પણ અપનાવાશે.પરબત પટેલ, બનાસકાંઠા દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા, કે.સી. પટેલ, વલસાડ,પરભુ વસાવા, બારડોલી, મિતેશ પટેલ, આણંદ, રાજેશ ચુડાસમા, જૂનાગઢ, હસમુખ પટેલ, અમદાવાદ પૂર્વડો. કિરીટ સોલંકી, અમદાવાદ પશ્ચિમ, મહેન્દ્ર મુંજપરા, સુરેન્દ્રનગર, રતનસિંહ રાઠોડ, પંચમહાલ, અને મહેસાણાના સાંસદ શારદાબેન પટેલનું પત્તુ કપાશે.


શું ચહેરા બદલીને એન્ટી ઇન્કંબંસી ટાળી શકશે ભાજપ?


ભાજપની વર્ષો જુની ચૂંટણી સ્ટ્રેટેજી રહી છે કે લોકોનો આક્રોશ ઠારવા  માટે ચહેરા બદલી નાખે છે. પાર્ટીને નુકસાન ન થાય તે માટે જે તે સાંસદોને બદલે નવો જ ચહેરો લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્તમાન સાંસદોને ટિકિટ નહીં આપીને જનતાનો રોષ હળવો કરશે. ભાજપની આ વર્ષો જુની ચૂંટણી રણનિતી દર વખતે કામ કરી ગઈ છે, પણ આ વખતે સફળ થાય છે કે નહીં તે જોવાનું છે.


મોદીના ચહેરા પર પર લડાશે ચૂંટણી


લોકસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી જ રહેશે. ભાજપના નેતાઓમાં સૌથી લોકપ્રિય પ્રધાન મંત્રી મોદી જ છે. આમ પણ રાજય વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના મુદ્દાઓ અલગ-અલગ હોય છે. લોકો પણ સ્થાનિક સાંસદને નહીં પણ પીએમ મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. વિરોધ પક્ષો પાસે પણ મોદી જેટલો કદાવાર નેતા નથી. વળી તેમની દેશભરમાં લોકપ્રિયા હજું પણ યથાવત છે. લોકો ગરીબી, બેકારી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય સહિતની ની સમસ્યાઓ ભૂલીને પીએમ મોદીના ચહેરાને જોઈને મતદાન કરે છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .