સુરતની વરાછા બેઠકના MLA કુમાર કાનાણી વિફર્યા, ખાડી વિસ્તારની ગંદકી મુદ્દે અધિકારીઓનો ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2023-04-02 17:59:10

સુરતની વરાછા વિધાનસભા સીટના ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછાના ખાડી વિસ્તારની સફાઇના મુદ્દે આક્રમક બન્યા છે. સુરત મહાનગરપાલિકા ખાતે ગઈ કાલે મળેલી ધારાસભ્ય-સાંસદની સંકલન બેઠકમાં તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી. કુમાર કાનાણીએ બેઠકમાં હાજર અધિકારીઓની રીતસર ઝાટકણી કાઢી હતી. 


રજુઆત છતાં પ્રશ્નો યથાવત


ધારાસભ્ય કુમાર કાનાણી તેમનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે પાંચ વર્ષથી સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી થતી નથી. હવે લોકોની ધીરજ ખૂટી ગઇ છે અને ખાડીની સફાઇના મુદ્દે નક્કર અને કાયમી કામગીરી કરવામાં નહીં આવે તો અસરગ્રસ્ત લોકો સાથે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી મારા વિસ્તારની અંદર ખાડીની સમસ્યાનો પ્રશ્ન હલ નહીં થાય  ત્યાં સુધી હું લડાઈ લડતો રહીશ. આ મુદ્દાને લઈ હું અવાજ ઉઠાવતો રહીશ.' 


કાનાણીએ જન આંદોલનની આપી હતી ચીમકી


અત્રે ઉલ્લેખનિય છે કે સુરતના વરાછા વિસ્તારના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં ગંદકીના સામ્રાજ્ય મુદ્દે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી હતી. પત્રમાં લખ્યું હતું કે, કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલું છે, થઈ જશે. પરંતુ કામ થતું નથી અને લોકો કંટાળી ગયા છે. અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરેલ છે અને જો પ્રશ્ન હલ ન થાય તો જન આંદોલન કરવાની પણ ધમકી આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે. ભાજપના ધારાસભ્યએ તંત્ર સામે આંદોલનની ચીમકી આપતા પત્રમાં લખ્યું હતું કે, જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આ જનઆંદોલનમાં જોડાવું પડશે તેની ખાસ નોંધ લેશો.  



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .