સુરતની વરાછા બેઠકના MLA કુમાર કાનાણી વિફર્યા, ખાડી વિસ્તારની ગંદકી મુદ્દે અધિકારીઓનો ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2023-04-02 17:59:10

સુરતની વરાછા વિધાનસભા સીટના ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછાના ખાડી વિસ્તારની સફાઇના મુદ્દે આક્રમક બન્યા છે. સુરત મહાનગરપાલિકા ખાતે ગઈ કાલે મળેલી ધારાસભ્ય-સાંસદની સંકલન બેઠકમાં તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી. કુમાર કાનાણીએ બેઠકમાં હાજર અધિકારીઓની રીતસર ઝાટકણી કાઢી હતી. 


રજુઆત છતાં પ્રશ્નો યથાવત


ધારાસભ્ય કુમાર કાનાણી તેમનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે પાંચ વર્ષથી સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી થતી નથી. હવે લોકોની ધીરજ ખૂટી ગઇ છે અને ખાડીની સફાઇના મુદ્દે નક્કર અને કાયમી કામગીરી કરવામાં નહીં આવે તો અસરગ્રસ્ત લોકો સાથે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી મારા વિસ્તારની અંદર ખાડીની સમસ્યાનો પ્રશ્ન હલ નહીં થાય  ત્યાં સુધી હું લડાઈ લડતો રહીશ. આ મુદ્દાને લઈ હું અવાજ ઉઠાવતો રહીશ.' 


કાનાણીએ જન આંદોલનની આપી હતી ચીમકી


અત્રે ઉલ્લેખનિય છે કે સુરતના વરાછા વિસ્તારના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં ગંદકીના સામ્રાજ્ય મુદ્દે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી હતી. પત્રમાં લખ્યું હતું કે, કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલું છે, થઈ જશે. પરંતુ કામ થતું નથી અને લોકો કંટાળી ગયા છે. અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરેલ છે અને જો પ્રશ્ન હલ ન થાય તો જન આંદોલન કરવાની પણ ધમકી આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે. ભાજપના ધારાસભ્યએ તંત્ર સામે આંદોલનની ચીમકી આપતા પત્રમાં લખ્યું હતું કે, જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આ જનઆંદોલનમાં જોડાવું પડશે તેની ખાસ નોંધ લેશો.  



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.