પયગંબર અંગે વિવાદ વકરતા અંતે ટી. રાજા સિંહની ફરી ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 19:16:43

પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા ધારાસભ્ય ટી. રાજા સિંહની ગુરૂવારે બીજી વખત ધરપકડ થઈ છે, હૈદરાબાદના ગોશામહલના ધારાસભ્ય ટી. રાજા સિંહને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. પોલીસે તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે. તેમની ધરપકડના સમયે સેંકડો લોકો એકઠા થયા હતા, લોકોના ટોળાએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ટી રાજા સિંહની આ પૂર્વે પણ ધરપકડ કરવામાં આવી  હતી પણ બાદમાં કોર્ટે તેમને જામીન પર મુક્ત  કર્યા હતા.



લોકોના ભારે વિરોધના પગલે ધરપકડ


ધારાસભ્ય ટી. રાજા સિંહને જામીન મળતા લઘુમતી સમુદાયમાં ભારે આક્રોસ જોવા મળ્યો હતો, બુધવારે હજારો લોકો હૈદરાબાદના માર્ગો પર ઉતરી આવ્યા હતા. ગુસ્સે થયેલા ટોળાએ 'સિર તન સે જુદા'ના નારા લગાવતા ટી. રાજા સિંહ સામે કાર્યવાહીની માંગ કરી હતી. લોકોએ જોરદાર વિરોધ પ્રદર્શનો કરતા અંતે હૈદરાબાદ પોલીસે પ્રિવેન્સન ડિટેન્સન એક્ટ હેઠળ તેમની ધરપકડ કરી હતી. તેમની સામે 101 કેસ નોંધાયા છે, જેમાંથી 18 કેસ સાંપ્રદાયિક ભાવનાને ભડકાવવાના છે. ટી. રાજા સિંહને હાલ ચેરિયાપલ્લી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે.  


વિવાદ શા માટે વકર્યો


જાણીતા કોમેડિયન મુનવ્વર ફારૂખીના હૈદરાબાદમાં યોજાયેલા કાર્યક્રમનો વિરોધ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં  તેમણે કહ્યું હતું કે ફારૂખીએ આપણા ભગવાન રામ અને સીતા પર ટિપ્પણી કરી હતી. તેમના વિડિયોમાં ટી. રાજા સિંહે ફારુખીના કાર્યક્રમને મંજુરી આપવાને લઈ વિરોધ કર્યો હતો. આ જ વિડિયોમાં તેમણે પયંગબરને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને ત્યાર બાદ બબાલ મચી ગઈ હતી. જો કે વિવાદ વધતા યૂ ટ્યૂબે તેમનો વિડિયો  ડિલીટ કરી દીધો હતો, આ વિવાદ વકરતા ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શનો હિંસક પણ થઈ ગયા હતા.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.