પયગંબર અંગે વિવાદ વકરતા અંતે ટી. રાજા સિંહની ફરી ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 19:16:43

પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા ધારાસભ્ય ટી. રાજા સિંહની ગુરૂવારે બીજી વખત ધરપકડ થઈ છે, હૈદરાબાદના ગોશામહલના ધારાસભ્ય ટી. રાજા સિંહને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. પોલીસે તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે. તેમની ધરપકડના સમયે સેંકડો લોકો એકઠા થયા હતા, લોકોના ટોળાએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ટી રાજા સિંહની આ પૂર્વે પણ ધરપકડ કરવામાં આવી  હતી પણ બાદમાં કોર્ટે તેમને જામીન પર મુક્ત  કર્યા હતા.



લોકોના ભારે વિરોધના પગલે ધરપકડ


ધારાસભ્ય ટી. રાજા સિંહને જામીન મળતા લઘુમતી સમુદાયમાં ભારે આક્રોસ જોવા મળ્યો હતો, બુધવારે હજારો લોકો હૈદરાબાદના માર્ગો પર ઉતરી આવ્યા હતા. ગુસ્સે થયેલા ટોળાએ 'સિર તન સે જુદા'ના નારા લગાવતા ટી. રાજા સિંહ સામે કાર્યવાહીની માંગ કરી હતી. લોકોએ જોરદાર વિરોધ પ્રદર્શનો કરતા અંતે હૈદરાબાદ પોલીસે પ્રિવેન્સન ડિટેન્સન એક્ટ હેઠળ તેમની ધરપકડ કરી હતી. તેમની સામે 101 કેસ નોંધાયા છે, જેમાંથી 18 કેસ સાંપ્રદાયિક ભાવનાને ભડકાવવાના છે. ટી. રાજા સિંહને હાલ ચેરિયાપલ્લી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે.  


વિવાદ શા માટે વકર્યો


જાણીતા કોમેડિયન મુનવ્વર ફારૂખીના હૈદરાબાદમાં યોજાયેલા કાર્યક્રમનો વિરોધ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં  તેમણે કહ્યું હતું કે ફારૂખીએ આપણા ભગવાન રામ અને સીતા પર ટિપ્પણી કરી હતી. તેમના વિડિયોમાં ટી. રાજા સિંહે ફારુખીના કાર્યક્રમને મંજુરી આપવાને લઈ વિરોધ કર્યો હતો. આ જ વિડિયોમાં તેમણે પયંગબરને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને ત્યાર બાદ બબાલ મચી ગઈ હતી. જો કે વિવાદ વધતા યૂ ટ્યૂબે તેમનો વિડિયો  ડિલીટ કરી દીધો હતો, આ વિવાદ વકરતા ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શનો હિંસક પણ થઈ ગયા હતા.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .