સિંગર સોનુ નિગમના બોર્ડીગાર્ડ અને ટીમ સાથે MLAના પુત્રએ કરી ઝપાઝપી, ઘટના બાદ નોંધાવી પોલીસ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-02-21 10:09:07

મુંબઈ ખાતે આયોજીત લાઈવ કોન્સર્ટ દરમિયાન સિંગર સોનુ નિગમ સાથે ધક્કામૂકી થવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રે સોનુ નિગમના બોડિગાર્ડસ અને શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્ર વચ્ચે ઝપાઝપી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સેલ્ફી લેવાની વાત પર આ બબાલ થઈ હતી. ઘટના બાદ સોનુ નિગમે પોલીસ સ્ટેશન પહોંચી આ ઘટનાને લઈ ફરિયાદ નોંધાવી છે.

 


ગાયકના બોડીગાર્ડ સાથે કર્યું ગેરવર્તન 

આ ઘટનાની વાત કરીએ તો મહારાષ્ટ્રના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલમાં ફિનાલે દરમિયાન સોનુ નિગમ પરફોર્મ કરી રહ્યા હતા. ત્યારે આરોપ છે કે આ દરમિયાન ધારાસભ્યના પુત્રએ પહેલા સોનુ નિગમના મેનેજર સાથે ગેરવર્તન કર્યું. અને જ્યારે સોનુ નિગમ સ્ટેજ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે પહેલા સિંગરના બોડીગાર્ડને ધક્કો માર્યો અને તે બાદ સિંગરને પણ ધક્કો માર્યો હતો. આ કથિત બબાલમાં રબ્બાની ખાન સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા જેને કારણે તેમને ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

       

ઘટનાને લઈ સોનુ નિગમે નોંધાવી પોલીસ ફરિયાદ 

આ ઘટના અંગે સોનુ નિગમે કહ્યું કે કોન્સર્ટ બાદ હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો તે વખતે એક વ્યક્તિએ મને પકડી લીધો. પછી તેણે હરિ અને રબ્બાનીને પણ ધક્કો માર્યો જે મને બચાવા આવ્યા હતા. હું પગથિયા પર પડી ગયો. મેં ફરિયાદ નોંધાવી છે, જેથી જબરદસ્તી સેલ્ફી લેવાની અને ઝપાઝપી કરવાનું ના વિચારે. આ ઘટના બાદ સોનુ નિગમે ફરિયાદ પણ દાખલ કરાવી છે. ડીસીપીના અનુસાર આરોપીનું નામ સ્વપ્નિલ છે.   

આ અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ અંગે ડીસીપીએ જણાવ્યું કે મેં સોનુ નિગમ સાથે વાત કરી હજી સુધી અમને એવા પૂરાવા નથી મળ્યા કે જેનાથી સાબિત થઈ શકે કે ખરેખર આરોપી સેલ્ફી જ લેવા માગ્તો હતો કે કોઈ બીજા કારણ હતા. કારણને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.    





રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.