સિંગર સોનુ નિગમના બોર્ડીગાર્ડ અને ટીમ સાથે MLAના પુત્રએ કરી ઝપાઝપી, ઘટના બાદ નોંધાવી પોલીસ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-02-21 10:09:07

મુંબઈ ખાતે આયોજીત લાઈવ કોન્સર્ટ દરમિયાન સિંગર સોનુ નિગમ સાથે ધક્કામૂકી થવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રે સોનુ નિગમના બોડિગાર્ડસ અને શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્ર વચ્ચે ઝપાઝપી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સેલ્ફી લેવાની વાત પર આ બબાલ થઈ હતી. ઘટના બાદ સોનુ નિગમે પોલીસ સ્ટેશન પહોંચી આ ઘટનાને લઈ ફરિયાદ નોંધાવી છે.

 


ગાયકના બોડીગાર્ડ સાથે કર્યું ગેરવર્તન 

આ ઘટનાની વાત કરીએ તો મહારાષ્ટ્રના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલમાં ફિનાલે દરમિયાન સોનુ નિગમ પરફોર્મ કરી રહ્યા હતા. ત્યારે આરોપ છે કે આ દરમિયાન ધારાસભ્યના પુત્રએ પહેલા સોનુ નિગમના મેનેજર સાથે ગેરવર્તન કર્યું. અને જ્યારે સોનુ નિગમ સ્ટેજ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે પહેલા સિંગરના બોડીગાર્ડને ધક્કો માર્યો અને તે બાદ સિંગરને પણ ધક્કો માર્યો હતો. આ કથિત બબાલમાં રબ્બાની ખાન સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા જેને કારણે તેમને ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

       

ઘટનાને લઈ સોનુ નિગમે નોંધાવી પોલીસ ફરિયાદ 

આ ઘટના અંગે સોનુ નિગમે કહ્યું કે કોન્સર્ટ બાદ હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો તે વખતે એક વ્યક્તિએ મને પકડી લીધો. પછી તેણે હરિ અને રબ્બાનીને પણ ધક્કો માર્યો જે મને બચાવા આવ્યા હતા. હું પગથિયા પર પડી ગયો. મેં ફરિયાદ નોંધાવી છે, જેથી જબરદસ્તી સેલ્ફી લેવાની અને ઝપાઝપી કરવાનું ના વિચારે. આ ઘટના બાદ સોનુ નિગમે ફરિયાદ પણ દાખલ કરાવી છે. ડીસીપીના અનુસાર આરોપીનું નામ સ્વપ્નિલ છે.   

આ અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ અંગે ડીસીપીએ જણાવ્યું કે મેં સોનુ નિગમ સાથે વાત કરી હજી સુધી અમને એવા પૂરાવા નથી મળ્યા કે જેનાથી સાબિત થઈ શકે કે ખરેખર આરોપી સેલ્ફી જ લેવા માગ્તો હતો કે કોઈ બીજા કારણ હતા. કારણને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.    





આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.