સિંગર સોનુ નિગમના બોર્ડીગાર્ડ અને ટીમ સાથે MLAના પુત્રએ કરી ઝપાઝપી, ઘટના બાદ નોંધાવી પોલીસ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-02-21 10:09:07

મુંબઈ ખાતે આયોજીત લાઈવ કોન્સર્ટ દરમિયાન સિંગર સોનુ નિગમ સાથે ધક્કામૂકી થવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રે સોનુ નિગમના બોડિગાર્ડસ અને શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્ર વચ્ચે ઝપાઝપી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સેલ્ફી લેવાની વાત પર આ બબાલ થઈ હતી. ઘટના બાદ સોનુ નિગમે પોલીસ સ્ટેશન પહોંચી આ ઘટનાને લઈ ફરિયાદ નોંધાવી છે.

 


ગાયકના બોડીગાર્ડ સાથે કર્યું ગેરવર્તન 

આ ઘટનાની વાત કરીએ તો મહારાષ્ટ્રના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલમાં ફિનાલે દરમિયાન સોનુ નિગમ પરફોર્મ કરી રહ્યા હતા. ત્યારે આરોપ છે કે આ દરમિયાન ધારાસભ્યના પુત્રએ પહેલા સોનુ નિગમના મેનેજર સાથે ગેરવર્તન કર્યું. અને જ્યારે સોનુ નિગમ સ્ટેજ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે પહેલા સિંગરના બોડીગાર્ડને ધક્કો માર્યો અને તે બાદ સિંગરને પણ ધક્કો માર્યો હતો. આ કથિત બબાલમાં રબ્બાની ખાન સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા જેને કારણે તેમને ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

       

ઘટનાને લઈ સોનુ નિગમે નોંધાવી પોલીસ ફરિયાદ 

આ ઘટના અંગે સોનુ નિગમે કહ્યું કે કોન્સર્ટ બાદ હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો તે વખતે એક વ્યક્તિએ મને પકડી લીધો. પછી તેણે હરિ અને રબ્બાનીને પણ ધક્કો માર્યો જે મને બચાવા આવ્યા હતા. હું પગથિયા પર પડી ગયો. મેં ફરિયાદ નોંધાવી છે, જેથી જબરદસ્તી સેલ્ફી લેવાની અને ઝપાઝપી કરવાનું ના વિચારે. આ ઘટના બાદ સોનુ નિગમે ફરિયાદ પણ દાખલ કરાવી છે. ડીસીપીના અનુસાર આરોપીનું નામ સ્વપ્નિલ છે.   

આ અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ અંગે ડીસીપીએ જણાવ્યું કે મેં સોનુ નિગમ સાથે વાત કરી હજી સુધી અમને એવા પૂરાવા નથી મળ્યા કે જેનાથી સાબિત થઈ શકે કે ખરેખર આરોપી સેલ્ફી જ લેવા માગ્તો હતો કે કોઈ બીજા કારણ હતા. કારણને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.    





રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.