સિંગર સોનુ નિગમના બોર્ડીગાર્ડ અને ટીમ સાથે MLAના પુત્રએ કરી ઝપાઝપી, ઘટના બાદ નોંધાવી પોલીસ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-02-21 10:09:07

મુંબઈ ખાતે આયોજીત લાઈવ કોન્સર્ટ દરમિયાન સિંગર સોનુ નિગમ સાથે ધક્કામૂકી થવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રે સોનુ નિગમના બોડિગાર્ડસ અને શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્ર વચ્ચે ઝપાઝપી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સેલ્ફી લેવાની વાત પર આ બબાલ થઈ હતી. ઘટના બાદ સોનુ નિગમે પોલીસ સ્ટેશન પહોંચી આ ઘટનાને લઈ ફરિયાદ નોંધાવી છે.

 


ગાયકના બોડીગાર્ડ સાથે કર્યું ગેરવર્તન 

આ ઘટનાની વાત કરીએ તો મહારાષ્ટ્રના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલમાં ફિનાલે દરમિયાન સોનુ નિગમ પરફોર્મ કરી રહ્યા હતા. ત્યારે આરોપ છે કે આ દરમિયાન ધારાસભ્યના પુત્રએ પહેલા સોનુ નિગમના મેનેજર સાથે ગેરવર્તન કર્યું. અને જ્યારે સોનુ નિગમ સ્ટેજ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે પહેલા સિંગરના બોડીગાર્ડને ધક્કો માર્યો અને તે બાદ સિંગરને પણ ધક્કો માર્યો હતો. આ કથિત બબાલમાં રબ્બાની ખાન સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા જેને કારણે તેમને ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

       

ઘટનાને લઈ સોનુ નિગમે નોંધાવી પોલીસ ફરિયાદ 

આ ઘટના અંગે સોનુ નિગમે કહ્યું કે કોન્સર્ટ બાદ હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો તે વખતે એક વ્યક્તિએ મને પકડી લીધો. પછી તેણે હરિ અને રબ્બાનીને પણ ધક્કો માર્યો જે મને બચાવા આવ્યા હતા. હું પગથિયા પર પડી ગયો. મેં ફરિયાદ નોંધાવી છે, જેથી જબરદસ્તી સેલ્ફી લેવાની અને ઝપાઝપી કરવાનું ના વિચારે. આ ઘટના બાદ સોનુ નિગમે ફરિયાદ પણ દાખલ કરાવી છે. ડીસીપીના અનુસાર આરોપીનું નામ સ્વપ્નિલ છે.   

આ અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ અંગે ડીસીપીએ જણાવ્યું કે મેં સોનુ નિગમ સાથે વાત કરી હજી સુધી અમને એવા પૂરાવા નથી મળ્યા કે જેનાથી સાબિત થઈ શકે કે ખરેખર આરોપી સેલ્ફી જ લેવા માગ્તો હતો કે કોઈ બીજા કારણ હતા. કારણને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.    





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.