'મોચા' વાવાઝોડું ખતરનાક બન્યું! મ્યાંમાર અને બાંગ્લાદેશમાં ચક્રવાતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું! જૂઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-05-15 12:16:50

ચક્રવાત મોચા વિકરાળરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું વિનાશકારી સાબિત થઈ રહ્યું છે. મ્યાંમારમાં ચક્રવાતને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. મોચા ચક્રવાતને કારણે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જે વાવાઝોડાની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી છે તે મોચા વાવાઝોડું બાંગ્લાદેશ પહોંચ્યું છે. આ વાવાઝોડું વર્ષ 2023નું પહેલું વાવાઝોડુ છે.  જેને કારણે બાંગ્લાદેશ ઉપરાંત મ્યાનમાર અને તેના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અહીં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વધીને 250 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે.

ચક્રવાતને કારણે મ્યાંમારમાં સર્જાશે વિનાશ!

વર્ષ 2023નું પહેલું ચક્રવાત મોચા દિવસેને દિવસે વિનાશકારી બની રહ્યું છે. મ્યાંમારમાં ચક્રવાતને કારણે વિનાશ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર મોચા વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. ગઈકાલ બપોરે વાવાઝોડું બાંગ્લાદેશના સિટવે નજીક કોક્સ બજાર અને મ્યાંમારના ક્યોકપ્યું વચ્ચેનો દરિયાકિનારો પાર કરી ચૂક્યું છે. જેને કારણે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એ છે કે ત્યાં કોઇ ફલાઇટ્સ નહી જઇ શકે..  એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.. ત્યાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.. 

ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

WHO દ્વારા ત્યાં રાહત સામગ્રી મોકલાશે!

જો આ વાવાઝોડું ગંભીર રૂપ ધારણ કરે એટલે કે પૂરની સ્થિતિ સર્જાય તો સૌથી વધુ અસર રોહિંગ્યા શરણાર્થીઓને થશે..કેમકે ત્યાં મ્યાનમારના લાખો રોહિંગ્યા લોકો કેમ્પ બનાવીને આશરો લઇ રહ્યા છે..  જો કે આ શરણાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.. ઉપરાંત WHO દ્વારા ત્યાં રાહત સામગ્રી મોકલવામાં આવશે.

વાવાઝોડા વચ્ચે લોકો પરિવાર સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ!  

આ ચક્રવાતની અસર ભારતના અનેક રાજ્યો પર પણ પડી રહી છે. ભારતના ઉત્તર પૂર્વના વિસ્તારો એટલે કે મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને આસામના કેટલોક ભાગોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન હાલ લગાવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળ,ઓરિસ્સા, અંદમાન નિકોબાર હાઇ એલર્ટ પર છે.ચક્રવાતની ગંભીરતાને જોતા પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આઠ ટીમ તૈનાત કરાઈ છે. વાત જો ગુજરાતની કરીએ તો આપણા દેશના પશ્ચિમ ભાગમાં આવેલું છે. હાલ પૂરતી આ વાવાઝોડાની ગુજરાત પર કોઇ વિનાશક અસર તો નહી થાય. પરંતુ ગુજરાતમાં ચોમાસાના આગમન પર આ વાવાઝોડાની અસર પડી શકે છે..  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.