'મોચા' વાવાઝોડું ખતરનાક બન્યું! મ્યાંમાર અને બાંગ્લાદેશમાં ચક્રવાતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું! જૂઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-15 12:16:50

ચક્રવાત મોચા વિકરાળરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું વિનાશકારી સાબિત થઈ રહ્યું છે. મ્યાંમારમાં ચક્રવાતને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. મોચા ચક્રવાતને કારણે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જે વાવાઝોડાની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી છે તે મોચા વાવાઝોડું બાંગ્લાદેશ પહોંચ્યું છે. આ વાવાઝોડું વર્ષ 2023નું પહેલું વાવાઝોડુ છે.  જેને કારણે બાંગ્લાદેશ ઉપરાંત મ્યાનમાર અને તેના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અહીં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વધીને 250 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે.

ચક્રવાતને કારણે મ્યાંમારમાં સર્જાશે વિનાશ!

વર્ષ 2023નું પહેલું ચક્રવાત મોચા દિવસેને દિવસે વિનાશકારી બની રહ્યું છે. મ્યાંમારમાં ચક્રવાતને કારણે વિનાશ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર મોચા વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. ગઈકાલ બપોરે વાવાઝોડું બાંગ્લાદેશના સિટવે નજીક કોક્સ બજાર અને મ્યાંમારના ક્યોકપ્યું વચ્ચેનો દરિયાકિનારો પાર કરી ચૂક્યું છે. જેને કારણે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એ છે કે ત્યાં કોઇ ફલાઇટ્સ નહી જઇ શકે..  એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.. ત્યાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.. 

ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

WHO દ્વારા ત્યાં રાહત સામગ્રી મોકલાશે!

જો આ વાવાઝોડું ગંભીર રૂપ ધારણ કરે એટલે કે પૂરની સ્થિતિ સર્જાય તો સૌથી વધુ અસર રોહિંગ્યા શરણાર્થીઓને થશે..કેમકે ત્યાં મ્યાનમારના લાખો રોહિંગ્યા લોકો કેમ્પ બનાવીને આશરો લઇ રહ્યા છે..  જો કે આ શરણાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.. ઉપરાંત WHO દ્વારા ત્યાં રાહત સામગ્રી મોકલવામાં આવશે.

વાવાઝોડા વચ્ચે લોકો પરિવાર સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ!  

આ ચક્રવાતની અસર ભારતના અનેક રાજ્યો પર પણ પડી રહી છે. ભારતના ઉત્તર પૂર્વના વિસ્તારો એટલે કે મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને આસામના કેટલોક ભાગોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન હાલ લગાવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળ,ઓરિસ્સા, અંદમાન નિકોબાર હાઇ એલર્ટ પર છે.ચક્રવાતની ગંભીરતાને જોતા પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આઠ ટીમ તૈનાત કરાઈ છે. વાત જો ગુજરાતની કરીએ તો આપણા દેશના પશ્ચિમ ભાગમાં આવેલું છે. હાલ પૂરતી આ વાવાઝોડાની ગુજરાત પર કોઇ વિનાશક અસર તો નહી થાય. પરંતુ ગુજરાતમાં ચોમાસાના આગમન પર આ વાવાઝોડાની અસર પડી શકે છે..  



AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે..

આગામી દિવસો માટે પણ અનેક જગ્યાઓ પર હિટવેવની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે અનેક જગ્યાઓ માટે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.... રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 12મી અને 13મી તારીખ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠું આવી શકે છે...

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો હતો. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં સરેરાશ 59.49 ટકા મતદાન થયું છે.. મહત્વનું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના સિટીંગ ધારાસભ્યને ટિકીટ આપી હતી. એ બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો.