'મોચા' વાવાઝોડું ખતરનાક બન્યું! મ્યાંમાર અને બાંગ્લાદેશમાં ચક્રવાતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું! જૂઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-05-15 12:16:50

ચક્રવાત મોચા વિકરાળરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું વિનાશકારી સાબિત થઈ રહ્યું છે. મ્યાંમારમાં ચક્રવાતને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. મોચા ચક્રવાતને કારણે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જે વાવાઝોડાની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી છે તે મોચા વાવાઝોડું બાંગ્લાદેશ પહોંચ્યું છે. આ વાવાઝોડું વર્ષ 2023નું પહેલું વાવાઝોડુ છે.  જેને કારણે બાંગ્લાદેશ ઉપરાંત મ્યાનમાર અને તેના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અહીં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વધીને 250 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે.

ચક્રવાતને કારણે મ્યાંમારમાં સર્જાશે વિનાશ!

વર્ષ 2023નું પહેલું ચક્રવાત મોચા દિવસેને દિવસે વિનાશકારી બની રહ્યું છે. મ્યાંમારમાં ચક્રવાતને કારણે વિનાશ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર મોચા વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. ગઈકાલ બપોરે વાવાઝોડું બાંગ્લાદેશના સિટવે નજીક કોક્સ બજાર અને મ્યાંમારના ક્યોકપ્યું વચ્ચેનો દરિયાકિનારો પાર કરી ચૂક્યું છે. જેને કારણે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એ છે કે ત્યાં કોઇ ફલાઇટ્સ નહી જઇ શકે..  એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.. ત્યાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.. 

ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

WHO દ્વારા ત્યાં રાહત સામગ્રી મોકલાશે!

જો આ વાવાઝોડું ગંભીર રૂપ ધારણ કરે એટલે કે પૂરની સ્થિતિ સર્જાય તો સૌથી વધુ અસર રોહિંગ્યા શરણાર્થીઓને થશે..કેમકે ત્યાં મ્યાનમારના લાખો રોહિંગ્યા લોકો કેમ્પ બનાવીને આશરો લઇ રહ્યા છે..  જો કે આ શરણાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.. ઉપરાંત WHO દ્વારા ત્યાં રાહત સામગ્રી મોકલવામાં આવશે.

વાવાઝોડા વચ્ચે લોકો પરિવાર સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ!  

આ ચક્રવાતની અસર ભારતના અનેક રાજ્યો પર પણ પડી રહી છે. ભારતના ઉત્તર પૂર્વના વિસ્તારો એટલે કે મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને આસામના કેટલોક ભાગોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન હાલ લગાવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળ,ઓરિસ્સા, અંદમાન નિકોબાર હાઇ એલર્ટ પર છે.ચક્રવાતની ગંભીરતાને જોતા પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આઠ ટીમ તૈનાત કરાઈ છે. વાત જો ગુજરાતની કરીએ તો આપણા દેશના પશ્ચિમ ભાગમાં આવેલું છે. હાલ પૂરતી આ વાવાઝોડાની ગુજરાત પર કોઇ વિનાશક અસર તો નહી થાય. પરંતુ ગુજરાતમાં ચોમાસાના આગમન પર આ વાવાઝોડાની અસર પડી શકે છે..  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.