'મોચા' વાવાઝોડું ખતરનાક બન્યું! મ્યાંમાર અને બાંગ્લાદેશમાં ચક્રવાતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું! જૂઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-05-15 12:16:50

ચક્રવાત મોચા વિકરાળરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું વિનાશકારી સાબિત થઈ રહ્યું છે. મ્યાંમારમાં ચક્રવાતને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. મોચા ચક્રવાતને કારણે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જે વાવાઝોડાની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી છે તે મોચા વાવાઝોડું બાંગ્લાદેશ પહોંચ્યું છે. આ વાવાઝોડું વર્ષ 2023નું પહેલું વાવાઝોડુ છે.  જેને કારણે બાંગ્લાદેશ ઉપરાંત મ્યાનમાર અને તેના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અહીં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વધીને 250 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે.

ચક્રવાતને કારણે મ્યાંમારમાં સર્જાશે વિનાશ!

વર્ષ 2023નું પહેલું ચક્રવાત મોચા દિવસેને દિવસે વિનાશકારી બની રહ્યું છે. મ્યાંમારમાં ચક્રવાતને કારણે વિનાશ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર મોચા વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. ગઈકાલ બપોરે વાવાઝોડું બાંગ્લાદેશના સિટવે નજીક કોક્સ બજાર અને મ્યાંમારના ક્યોકપ્યું વચ્ચેનો દરિયાકિનારો પાર કરી ચૂક્યું છે. જેને કારણે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એ છે કે ત્યાં કોઇ ફલાઇટ્સ નહી જઇ શકે..  એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.. ત્યાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.. 

ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

WHO દ્વારા ત્યાં રાહત સામગ્રી મોકલાશે!

જો આ વાવાઝોડું ગંભીર રૂપ ધારણ કરે એટલે કે પૂરની સ્થિતિ સર્જાય તો સૌથી વધુ અસર રોહિંગ્યા શરણાર્થીઓને થશે..કેમકે ત્યાં મ્યાનમારના લાખો રોહિંગ્યા લોકો કેમ્પ બનાવીને આશરો લઇ રહ્યા છે..  જો કે આ શરણાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.. ઉપરાંત WHO દ્વારા ત્યાં રાહત સામગ્રી મોકલવામાં આવશે.

વાવાઝોડા વચ્ચે લોકો પરિવાર સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ!  

આ ચક્રવાતની અસર ભારતના અનેક રાજ્યો પર પણ પડી રહી છે. ભારતના ઉત્તર પૂર્વના વિસ્તારો એટલે કે મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને આસામના કેટલોક ભાગોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન હાલ લગાવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળ,ઓરિસ્સા, અંદમાન નિકોબાર હાઇ એલર્ટ પર છે.ચક્રવાતની ગંભીરતાને જોતા પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આઠ ટીમ તૈનાત કરાઈ છે. વાત જો ગુજરાતની કરીએ તો આપણા દેશના પશ્ચિમ ભાગમાં આવેલું છે. હાલ પૂરતી આ વાવાઝોડાની ગુજરાત પર કોઇ વિનાશક અસર તો નહી થાય. પરંતુ ગુજરાતમાં ચોમાસાના આગમન પર આ વાવાઝોડાની અસર પડી શકે છે..  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.