કોરોના પર નિયંત્રણ મેળવવા દેશભરની હોસ્પિટલોમાં કરાશે મોકડ્રિલનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-27 09:56:20

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણનો ખતરો વ્યાપી ઉઠ્યો છે. વિશ્વમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર અગમચેતી વાપરી સતર્ક બન્યું છે. સાવચેતીના ભાગરૂપે આજે એટલે કે 27 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં એક મોક ડ્રિલનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. અનેક દેશોમાં કોવિડ કેસમાં વધારો થતા ભારતની હોસ્પિટલોમાં આવશ્યક સામાન પહોંચાડી દેવામાં આવે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ભારત દ્વારા હમણાંથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.  


આજે હોસ્પિટલોમાં યોજાશે મોકડ્રિલ 

દુનિયાના અનેક દેશોમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાને કારણે મોત પામી રહ્યા છે. ચીનમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. જાપાન, અમેરિકા જેવા દેશોમાં પણ કોરોના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે ભારતમાં કોરોના કેસ વધે તે પહેલા ભારત સરકાર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સજજ થવા માગે છે. ભારતમાં આવેલા કોરોનાની લહેરને જોતા હમણાંથી તૈયારીઓ કરી દેવામાં આવી છે. જરૂરીદવાઓ, સાધનો હોસ્પિટલને ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 27 ડિસેમ્બરે મોકડ્રિલનું આયોજન કર્યું છે. 


પત્ર લખી અપાઈ જાણકારી 

શનિવારે પત્ર લખી રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકડ્રિલ અંગે જાણ કરવામાં આવી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે દુનિયાના અનેક દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખી આપાત કાલીન સ્થિતિને પહોંચી વળવા આવશ્યક સાર્વજનિક ઉપાયો કરવામાં આવે. કોરોનાને ધ્યાનમાં રાખી આ સુવિધાઓ પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.     



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.