કોરોના પર નિયંત્રણ મેળવવા દેશભરની હોસ્પિટલોમાં કરાશે મોકડ્રિલનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-27 09:56:20

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણનો ખતરો વ્યાપી ઉઠ્યો છે. વિશ્વમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર અગમચેતી વાપરી સતર્ક બન્યું છે. સાવચેતીના ભાગરૂપે આજે એટલે કે 27 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં એક મોક ડ્રિલનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. અનેક દેશોમાં કોવિડ કેસમાં વધારો થતા ભારતની હોસ્પિટલોમાં આવશ્યક સામાન પહોંચાડી દેવામાં આવે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ભારત દ્વારા હમણાંથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.  


આજે હોસ્પિટલોમાં યોજાશે મોકડ્રિલ 

દુનિયાના અનેક દેશોમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાને કારણે મોત પામી રહ્યા છે. ચીનમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. જાપાન, અમેરિકા જેવા દેશોમાં પણ કોરોના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે ભારતમાં કોરોના કેસ વધે તે પહેલા ભારત સરકાર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સજજ થવા માગે છે. ભારતમાં આવેલા કોરોનાની લહેરને જોતા હમણાંથી તૈયારીઓ કરી દેવામાં આવી છે. જરૂરીદવાઓ, સાધનો હોસ્પિટલને ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 27 ડિસેમ્બરે મોકડ્રિલનું આયોજન કર્યું છે. 


પત્ર લખી અપાઈ જાણકારી 

શનિવારે પત્ર લખી રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકડ્રિલ અંગે જાણ કરવામાં આવી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે દુનિયાના અનેક દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખી આપાત કાલીન સ્થિતિને પહોંચી વળવા આવશ્યક સાર્વજનિક ઉપાયો કરવામાં આવે. કોરોનાને ધ્યાનમાં રાખી આ સુવિધાઓ પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.