કોરોના પર નિયંત્રણ મેળવવા દેશભરની હોસ્પિટલોમાં કરાશે મોકડ્રિલનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-27 09:56:20

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણનો ખતરો વ્યાપી ઉઠ્યો છે. વિશ્વમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર અગમચેતી વાપરી સતર્ક બન્યું છે. સાવચેતીના ભાગરૂપે આજે એટલે કે 27 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં એક મોક ડ્રિલનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. અનેક દેશોમાં કોવિડ કેસમાં વધારો થતા ભારતની હોસ્પિટલોમાં આવશ્યક સામાન પહોંચાડી દેવામાં આવે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ભારત દ્વારા હમણાંથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.  


આજે હોસ્પિટલોમાં યોજાશે મોકડ્રિલ 

દુનિયાના અનેક દેશોમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાને કારણે મોત પામી રહ્યા છે. ચીનમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. જાપાન, અમેરિકા જેવા દેશોમાં પણ કોરોના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે ભારતમાં કોરોના કેસ વધે તે પહેલા ભારત સરકાર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સજજ થવા માગે છે. ભારતમાં આવેલા કોરોનાની લહેરને જોતા હમણાંથી તૈયારીઓ કરી દેવામાં આવી છે. જરૂરીદવાઓ, સાધનો હોસ્પિટલને ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 27 ડિસેમ્બરે મોકડ્રિલનું આયોજન કર્યું છે. 


પત્ર લખી અપાઈ જાણકારી 

શનિવારે પત્ર લખી રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકડ્રિલ અંગે જાણ કરવામાં આવી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે દુનિયાના અનેક દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખી આપાત કાલીન સ્થિતિને પહોંચી વળવા આવશ્યક સાર્વજનિક ઉપાયો કરવામાં આવે. કોરોનાને ધ્યાનમાં રાખી આ સુવિધાઓ પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે