મોદી સરકારનો મોટો નિર્ણય, પાંચ રાજ્યોની SC જાતિઓનો ST જનજાતિમાં કર્યો સમાવેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 18:26:30

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના પાંચ રાજ્યોની જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના 13 જિલ્લામાં ગોંડ જાતિના લોકોને અનુસૂચિત જાતિ(SC)માંથી હટાવીને અનુસૂચિત જનજાતિ(ST)માં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડ જાતિની પાંચ પેટા જાતિઓ - ધુરિયા, નાયક, ઓઝા, પઠારી અને રાજગોંડને પણ અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવામાં આવી છે. 


ભાજપે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આપ્યું હતું વચન                                                               

ભાજપે ઉત્તર પ્રદેશની જનતાને આપેલા પોતાના એક મહત્વના ચૂંટણી વચનને પૂર્ણ કર્યું હતું. પાર્ટીએ ગોંડ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવા માટે કાયદો લાવવાનું વચન આપ્યું હતું. હકીકતમાં, આ વર્ષે માર્ચમાં, સરકારે લોકસભામાં બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) હુકમ (બીજો સુધારો) બિલ, 2022 રજૂ કર્યું હતું. આ બિલમાં ઉત્તર પ્રદેશની ગોંડ, ધુનિયા, નાયક, ઓઝા, પઠારી અને રાજગોંડ જાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જોગવાઈ હતી, બીલને ધ્વની મતથી પસાર કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ આ બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. આવી સ્થિતિમાં બીલને કેન્દ્રીય કેબિનેટમાં પસાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ આ બિલ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે આ બિલ 2002માં જ પાસ થયું હતું, પરંતુ ત્યાર પછી ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું હતું અને આ કારણે ગોંડ જાતિને અનુસૂચિત જનજાતિમાં જાહેર કરવામાં આવી હોવા છતાં તેને તે દરજ્જો મળી શક્યો ન હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.