મોદી સરકારનો મોટો નિર્ણય, પાંચ રાજ્યોની SC જાતિઓનો ST જનજાતિમાં કર્યો સમાવેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 18:26:30

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના પાંચ રાજ્યોની જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના 13 જિલ્લામાં ગોંડ જાતિના લોકોને અનુસૂચિત જાતિ(SC)માંથી હટાવીને અનુસૂચિત જનજાતિ(ST)માં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડ જાતિની પાંચ પેટા જાતિઓ - ધુરિયા, નાયક, ઓઝા, પઠારી અને રાજગોંડને પણ અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવામાં આવી છે. 


ભાજપે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આપ્યું હતું વચન                                                               

ભાજપે ઉત્તર પ્રદેશની જનતાને આપેલા પોતાના એક મહત્વના ચૂંટણી વચનને પૂર્ણ કર્યું હતું. પાર્ટીએ ગોંડ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવા માટે કાયદો લાવવાનું વચન આપ્યું હતું. હકીકતમાં, આ વર્ષે માર્ચમાં, સરકારે લોકસભામાં બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) હુકમ (બીજો સુધારો) બિલ, 2022 રજૂ કર્યું હતું. આ બિલમાં ઉત્તર પ્રદેશની ગોંડ, ધુનિયા, નાયક, ઓઝા, પઠારી અને રાજગોંડ જાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જોગવાઈ હતી, બીલને ધ્વની મતથી પસાર કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ આ બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. આવી સ્થિતિમાં બીલને કેન્દ્રીય કેબિનેટમાં પસાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ આ બિલ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે આ બિલ 2002માં જ પાસ થયું હતું, પરંતુ ત્યાર પછી ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું હતું અને આ કારણે ગોંડ જાતિને અનુસૂચિત જનજાતિમાં જાહેર કરવામાં આવી હોવા છતાં તેને તે દરજ્જો મળી શક્યો ન હતો.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.