મોદી સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓમાં હિસ્સો વેચીને 4.04 લાખ કરોડ એકત્ર કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-20 18:11:02

નરેન્દ્ર મોદી સરકાર સૌપ્રથમ 2014 માં સત્તામાં આવી ત્યારથી સરકારે જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs)ના ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ દ્વારા રૂ. 4.04 લાખ કરોડ એકત્ર કર્યા છે. નાણા મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી. તેમાંથી સૌથી વધુ રૂ. 1.07 લાખ કરોડ રૂપિયાની રકમ 59 કેસમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા એકત્રીત કરવામાં આવી છે. આ પછી, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) દ્વારા 10 તબક્કામાં હિસ્સાના વેચાણ દ્વારા કુલ રૂ. 98,949 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.

LICમાં હિસ્સો વેચી 20,516 કરોડ મેળવ્યા


છેલ્લા આઠ વર્ષમાં એર ઈન્ડિયા સહિત 10 કંપનીઓના વ્યૂહાત્મક વેચાણથી સરકારી તિજોરીને રૂ. 69,412 કરોડ મળ્યા છે. જ્યારે 45 કેસમાં રૂ. 45,104 કરોડ શેર બાયબેકમાંથી મળ્યા હતા. વર્ષ 2014-15 થી, 17 જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs) સૂચિબદ્ધ થયા જેમાંથી રૂ. 50,386 કરોડ પ્રાપ્ત થયા. સરકારને ફક્ત વીમા કંપની LICના પ્રારંભિક જાહેર ઓફર (IPO)માંથી રૂ. 20,516 કરોડ મળ્યા હતા.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.