મોદી સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓમાં હિસ્સો વેચીને 4.04 લાખ કરોડ એકત્ર કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-20 18:11:02

નરેન્દ્ર મોદી સરકાર સૌપ્રથમ 2014 માં સત્તામાં આવી ત્યારથી સરકારે જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs)ના ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ દ્વારા રૂ. 4.04 લાખ કરોડ એકત્ર કર્યા છે. નાણા મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી. તેમાંથી સૌથી વધુ રૂ. 1.07 લાખ કરોડ રૂપિયાની રકમ 59 કેસમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા એકત્રીત કરવામાં આવી છે. આ પછી, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) દ્વારા 10 તબક્કામાં હિસ્સાના વેચાણ દ્વારા કુલ રૂ. 98,949 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.

LICમાં હિસ્સો વેચી 20,516 કરોડ મેળવ્યા


છેલ્લા આઠ વર્ષમાં એર ઈન્ડિયા સહિત 10 કંપનીઓના વ્યૂહાત્મક વેચાણથી સરકારી તિજોરીને રૂ. 69,412 કરોડ મળ્યા છે. જ્યારે 45 કેસમાં રૂ. 45,104 કરોડ શેર બાયબેકમાંથી મળ્યા હતા. વર્ષ 2014-15 થી, 17 જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs) સૂચિબદ્ધ થયા જેમાંથી રૂ. 50,386 કરોડ પ્રાપ્ત થયા. સરકારને ફક્ત વીમા કંપની LICના પ્રારંભિક જાહેર ઓફર (IPO)માંથી રૂ. 20,516 કરોડ મળ્યા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે