મોદી સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓમાં હિસ્સો વેચીને 4.04 લાખ કરોડ એકત્ર કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-20 18:11:02

નરેન્દ્ર મોદી સરકાર સૌપ્રથમ 2014 માં સત્તામાં આવી ત્યારથી સરકારે જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs)ના ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ દ્વારા રૂ. 4.04 લાખ કરોડ એકત્ર કર્યા છે. નાણા મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી. તેમાંથી સૌથી વધુ રૂ. 1.07 લાખ કરોડ રૂપિયાની રકમ 59 કેસમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા એકત્રીત કરવામાં આવી છે. આ પછી, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) દ્વારા 10 તબક્કામાં હિસ્સાના વેચાણ દ્વારા કુલ રૂ. 98,949 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.

LICમાં હિસ્સો વેચી 20,516 કરોડ મેળવ્યા


છેલ્લા આઠ વર્ષમાં એર ઈન્ડિયા સહિત 10 કંપનીઓના વ્યૂહાત્મક વેચાણથી સરકારી તિજોરીને રૂ. 69,412 કરોડ મળ્યા છે. જ્યારે 45 કેસમાં રૂ. 45,104 કરોડ શેર બાયબેકમાંથી મળ્યા હતા. વર્ષ 2014-15 થી, 17 જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs) સૂચિબદ્ધ થયા જેમાંથી રૂ. 50,386 કરોડ પ્રાપ્ત થયા. સરકારને ફક્ત વીમા કંપની LICના પ્રારંભિક જાહેર ઓફર (IPO)માંથી રૂ. 20,516 કરોડ મળ્યા હતા.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.