દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે લાગ્યા મોદી મોદીના નારા! નારા પર અરવિંદ કેજરીવાલે જવાબ આપતા કહ્યું કાશ....


  • Published By :
  • Published Date : 2023-06-08 15:43:57

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ચર્ચામાં આવ્યા છે.  ગુરૂગોવિંદ સિંહ ઈન્દ્રપસ્થ યુનિવર્સિટીનું ઉદ્ધાટન કરવા સીએમ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં એલજી વિનયકુમાર સક્સેના પણ હાજર હતા. ઉદ્ધાટન કોણ કરશે તેને લઈને પણ વિવાદ છેડાયો હતો. દિલ્હી સરકારે જાહેરાત કરી હતી કે સીએમ ઉદ્ધાટન કરશે જ્યારે રાજભવનના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ઉદ્ધાટન માટે રાજ્યપાલનો સમય માગવામાં આવ્યો છે. એલજી કેમ્પસનું ઉદ્ધાટન કરશે. ત્યારે ઉદ્ધાટન બંને નેતાઓએ સાથે કર્યું હતું.

        

કેજરીવાલ સામે લાગ્યા મોદી મોદીના નારા!

ગુરૂગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના ઉદ્ધાટન કરવા સીએમ અરવિંદ કેજરીવાલ અને એલજી બંને પહોંચ્યા હતા. બંને વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે કેમ્પસનું ઉદ્ધાટન કોણ કરશે તે અસમંજસ હતું કારણ કે બંને ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. બંને જણાએ સાથે ઉદ્ધાટન કર્યું હતું. પરંતુકાર્યક્રમમાં હંગામો થઈ ગયો હતો. અરવિંદ કેજરીવાલને સામે મોદી મોદીના નારા લાગ્યા હતા. કેજરીવાલ શિક્ષણના ક્ષેત્રમાં પોતાના સરકારની ઉપલબ્ધીઓ ગણાવતા હતા તે દરમિયાન લોકોએ હો હો ના નારા લગાવ્યા હતા. હાથ જોડીને કેજરીવાલે કહ્યું કે કઈ વાંધો નહીં, પછી કહી દેજો.. પરંતુ જે લોકો નારા લગાવતા હતા તે શાંત ન થયા. જે બાદ કેજરીવાલ શાંત થઈ ગયા.

  

મોદીના નારા પર કેજરીવાલે આપી પ્રતિક્રિયા!

મોદી મોદીના નારા સામે કેજરીવાલના સમર્થકોએ કેજરીવાલ કેજરીવાલના નારા લગાવ્યા હતા. શાંત થયા પછી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ નારાથી શિક્ષણ વ્યવસ્થા સારી થઈ શક્ત તો ઘણું બધું 70 વર્ષમાં... મારૂં તમને લોકોને હાથ જોડીને નિવદેન છે. આ પાર્ટીવાળાઓ અને તે પાર્ટીવાળાઓને પણ. મારી 5 મિનિટ વાત સાંભળી લો. ન ગમે તો પછી નારા લગાવજો.        

અનેક વખત ભાષણ દરમિયાન કેજરીવાલને થવું પડ્યું શાંત!

તે બાદ ફરી એક વખત સીએમ કેજરીવાલને શાંત થવું પડ્યું હતું. કારણ કે ત્યાં ઉપસ્થિત લોકોએ બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. જેને લઈ કેજરીવાલ રોકાઈ ગયા અને અનેક મિનિટો બાદ તેમણે બોલવાનું શરૂ કર્યું. સીએમએ ફરી એક વખત બોલવા માટે સમય માગતા કહ્યું કે જો તમે મંજૂરી આપો તો હું પાંચ મિનિટ બોલી લઉ. મારી વાત સારી ન લાગે તો મારી વાત છોડી દેજો. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.