દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે લાગ્યા મોદી મોદીના નારા! નારા પર અરવિંદ કેજરીવાલે જવાબ આપતા કહ્યું કાશ....


  • Published By :
  • Published Date : 2023-06-08 15:43:57

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ચર્ચામાં આવ્યા છે.  ગુરૂગોવિંદ સિંહ ઈન્દ્રપસ્થ યુનિવર્સિટીનું ઉદ્ધાટન કરવા સીએમ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં એલજી વિનયકુમાર સક્સેના પણ હાજર હતા. ઉદ્ધાટન કોણ કરશે તેને લઈને પણ વિવાદ છેડાયો હતો. દિલ્હી સરકારે જાહેરાત કરી હતી કે સીએમ ઉદ્ધાટન કરશે જ્યારે રાજભવનના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ઉદ્ધાટન માટે રાજ્યપાલનો સમય માગવામાં આવ્યો છે. એલજી કેમ્પસનું ઉદ્ધાટન કરશે. ત્યારે ઉદ્ધાટન બંને નેતાઓએ સાથે કર્યું હતું.

        

કેજરીવાલ સામે લાગ્યા મોદી મોદીના નારા!

ગુરૂગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના ઉદ્ધાટન કરવા સીએમ અરવિંદ કેજરીવાલ અને એલજી બંને પહોંચ્યા હતા. બંને વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે કેમ્પસનું ઉદ્ધાટન કોણ કરશે તે અસમંજસ હતું કારણ કે બંને ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. બંને જણાએ સાથે ઉદ્ધાટન કર્યું હતું. પરંતુકાર્યક્રમમાં હંગામો થઈ ગયો હતો. અરવિંદ કેજરીવાલને સામે મોદી મોદીના નારા લાગ્યા હતા. કેજરીવાલ શિક્ષણના ક્ષેત્રમાં પોતાના સરકારની ઉપલબ્ધીઓ ગણાવતા હતા તે દરમિયાન લોકોએ હો હો ના નારા લગાવ્યા હતા. હાથ જોડીને કેજરીવાલે કહ્યું કે કઈ વાંધો નહીં, પછી કહી દેજો.. પરંતુ જે લોકો નારા લગાવતા હતા તે શાંત ન થયા. જે બાદ કેજરીવાલ શાંત થઈ ગયા.

  

મોદીના નારા પર કેજરીવાલે આપી પ્રતિક્રિયા!

મોદી મોદીના નારા સામે કેજરીવાલના સમર્થકોએ કેજરીવાલ કેજરીવાલના નારા લગાવ્યા હતા. શાંત થયા પછી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ નારાથી શિક્ષણ વ્યવસ્થા સારી થઈ શક્ત તો ઘણું બધું 70 વર્ષમાં... મારૂં તમને લોકોને હાથ જોડીને નિવદેન છે. આ પાર્ટીવાળાઓ અને તે પાર્ટીવાળાઓને પણ. મારી 5 મિનિટ વાત સાંભળી લો. ન ગમે તો પછી નારા લગાવજો.        

અનેક વખત ભાષણ દરમિયાન કેજરીવાલને થવું પડ્યું શાંત!

તે બાદ ફરી એક વખત સીએમ કેજરીવાલને શાંત થવું પડ્યું હતું. કારણ કે ત્યાં ઉપસ્થિત લોકોએ બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. જેને લઈ કેજરીવાલ રોકાઈ ગયા અને અનેક મિનિટો બાદ તેમણે બોલવાનું શરૂ કર્યું. સીએમએ ફરી એક વખત બોલવા માટે સમય માગતા કહ્યું કે જો તમે મંજૂરી આપો તો હું પાંચ મિનિટ બોલી લઉ. મારી વાત સારી ન લાગે તો મારી વાત છોડી દેજો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.