રાહુલ ગાંધીની સજા પર સ્ટેની માગ કરતી અપીલ પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ, જાણો તમામ અપડેટ્સ


  • Published By :
  • Published Date : 2023-05-02 15:47:21

મોદી સરનેમ માનહાનિ કેસમાં બે વર્ષની સજા પર સ્ટેની માગ કરનારી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત હાઈકોર્ટમાં આજે ખુબ જ મહત્વની સુનાવણી શરૂ થઈ ગઈ છે. સુનાવણી શરૂ થવા પહેલા જસ્ટીસ હેમંત એમ પ્રાચ્છક કે કહ્યું કે આ મામલે હું ઝડપથી સુનાવણી પુરી કરવા માંગુ છું. જો આજે સુનાવણી પુરી નથી થતી તો હું કાલે સુનાવણી કરીશ અને ત્યાર બાદ જ્યારે કોર્ટ ફરીથી ખુલશે ત્યારે ચુકાદો સંભળાવીશ. કોર્ટમાં પૂર્ણેશ મોદીના વકીલ નિરૂપમ નાણાવટી તેમની દલીલો રજુ કરી રહ્યા છે. આજે કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સંઘવી હાજર રહ્યા નથી.  


બંને પક્ષોના વકીલો કોર્ટમાં હાજર


ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ હેમંત એમ પ્રાચ્છક રાહુલ ગાંધીની અપીલ પર દલીલો સાંભળી રહ્યા છે.કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી હાઈકોર્ટના વકીલ પંકજ ચાંપાનેરી પણ કોર્ટમાં હાજર છે. તે જ પ્રકારે પૂર્ણેશ મોદી તરફથી હર્ષિત તૌલિયા, નિરૂપમ નાણાવટી, અને ગુજરાત સરકાર તરફથી સરકારી વકીલ મિતેષ અમીન પણ કોર્ટમાં હાજર છે.  


કેટલી મહત્વની છે આજની સુનાવણી?


ગુજરાત હાઈકોર્ટમાં શરૂ થયેલી સુનાવણી રાહુલ ગાંધી માટે ખુબ જ મહત્વની છે. જો તેમની સજા પર સ્ટેની માગ કોર્ટ ફગાવી દે છે તો તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે. જ્યારે વાયનાડમાં ફરીથી વચગાળાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ સ્થિતીમાં તેમના માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. હાઈકોર્ટ રાહુલ ગાધીની સજા પર સ્ટે નથી આપતી તો તે આગામી 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.