રાહુલ ગાંધીની સજા પર સ્ટેની માગ કરતી અપીલ પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ, જાણો તમામ અપડેટ્સ


  • Published By :
  • Published Date : 2023-05-02 15:47:21

મોદી સરનેમ માનહાનિ કેસમાં બે વર્ષની સજા પર સ્ટેની માગ કરનારી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત હાઈકોર્ટમાં આજે ખુબ જ મહત્વની સુનાવણી શરૂ થઈ ગઈ છે. સુનાવણી શરૂ થવા પહેલા જસ્ટીસ હેમંત એમ પ્રાચ્છક કે કહ્યું કે આ મામલે હું ઝડપથી સુનાવણી પુરી કરવા માંગુ છું. જો આજે સુનાવણી પુરી નથી થતી તો હું કાલે સુનાવણી કરીશ અને ત્યાર બાદ જ્યારે કોર્ટ ફરીથી ખુલશે ત્યારે ચુકાદો સંભળાવીશ. કોર્ટમાં પૂર્ણેશ મોદીના વકીલ નિરૂપમ નાણાવટી તેમની દલીલો રજુ કરી રહ્યા છે. આજે કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સંઘવી હાજર રહ્યા નથી.  


બંને પક્ષોના વકીલો કોર્ટમાં હાજર


ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ હેમંત એમ પ્રાચ્છક રાહુલ ગાંધીની અપીલ પર દલીલો સાંભળી રહ્યા છે.કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી હાઈકોર્ટના વકીલ પંકજ ચાંપાનેરી પણ કોર્ટમાં હાજર છે. તે જ પ્રકારે પૂર્ણેશ મોદી તરફથી હર્ષિત તૌલિયા, નિરૂપમ નાણાવટી, અને ગુજરાત સરકાર તરફથી સરકારી વકીલ મિતેષ અમીન પણ કોર્ટમાં હાજર છે.  


કેટલી મહત્વની છે આજની સુનાવણી?


ગુજરાત હાઈકોર્ટમાં શરૂ થયેલી સુનાવણી રાહુલ ગાંધી માટે ખુબ જ મહત્વની છે. જો તેમની સજા પર સ્ટેની માગ કોર્ટ ફગાવી દે છે તો તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે. જ્યારે વાયનાડમાં ફરીથી વચગાળાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ સ્થિતીમાં તેમના માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. હાઈકોર્ટ રાહુલ ગાધીની સજા પર સ્ટે નથી આપતી તો તે આગામી 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.