અમેરિકામાં પીરસાશે 'મોદીજી થાળી'! ન્યુજર્સીની એક રેસ્ટોરન્ટે મોદીજીના નામ પર ખાસ થાળી લોન્ચ કરી, જુઓ કઈ વાનગી પીરસાશે?


  • Published By :
  • Published Date : 2023-06-13 12:44:49

દુનિયાના નેતાઓમાં નરેન્દ્ર મોદીની ગણતરી સૌથી લોકપ્રિય નેતાઓમાં થાય છે. બીજા દેશના નેતાઓ સાથે અવારનવાર મુલાકાત કરતા હોય છે. ત્યારે થોડા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જવાના છે. પરંતુ તેમની મુલાકાત પહેલાં ન્યુજર્સીના એક રેસ્ટોરન્ટમાં મોદીજીના નામ પર એક ખાસ થાળી લોન્ચ કરવામાં આવી છે. તે થાળીમાં ભારતીય વાનગીઓનો સમાવેશ થાય છે જેમ કે ખીચડી, ઢોકળા, સરસોનું શાક અને દમ આલુથી લઈને કાશ્મીરી મિજબાની, તિરંગા ઈડલી સહિત અનેક વાનગીઓનો સમાવેશ થાય છે. 



નરેન્દ્ર મોદીના નામ પર ભોજનની થાળી બહાર પડાશે!    

પીએમ  મોદીના ફેન્સ ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ છે. પીએમ મોદીની લોકચાહના વધારે છે. ત્યારે થોડા સમય બાદ અમેરિકાની મુલાકાત પીએમ મોદી લેવાના છે. તે પહેલા ન્યુજર્સીમાં એક રેસ્ટોરન્ટે મોદીજીના નામ પર એક સ્પેશિયલ થાળી લોન્ચ કરી છે જેમાં ભારતીય વાનગીઓનો અને ખાસ કરી ગુજરાતી વાનગીઓનો સમાવેશ થાય છે. મોદીજીના નામ પર જે થાળી લોન્ચ કરવામાં આવી છે તેમાં ખીચડી, રસગુલ્લા, સરસોંનું શાક અને દમ આલુથી લઈને કાશ્મીરી મિજબાની, તિરંગા ઈડલી, ઢોકળા, છાશ અને પાપડનો સમાવેશ છે.


વિદેશમંત્રીના નામ પર પણ વિશેષ થાળી લોન્ચ કરાશે!

આ પહેલી વખત નથી જ્યારે પીએમ મોદીના નામ પર થાળી બહાર પાડવામાં આવી હોય. આની પહેલા પણ આવી ઘટના બની છે. પીએમ મોદીના જન્મદિવસ પહેલા દિલ્હીના એક રેસ્ટોરન્ટે 56 ઈંચની નરેન્દ્ર મોદી થાળી લોન્ચ કરી હતી. જે રેસ્ટોરન્ટે આ થાળી લોન્ચ કરી છે તેમણે જણાવ્યું છે કે ટૂંક સમયમાં વિદેશ મંત્રી એસ જયશંકરના નામ પર પણ વિશેષ થાળી લોન્ચ કરવામાં આવશે.  



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.