અમેરિકામાં પીરસાશે 'મોદીજી થાળી'! ન્યુજર્સીની એક રેસ્ટોરન્ટે મોદીજીના નામ પર ખાસ થાળી લોન્ચ કરી, જુઓ કઈ વાનગી પીરસાશે?


  • Published By :
  • Published Date : 2023-06-13 12:44:49

દુનિયાના નેતાઓમાં નરેન્દ્ર મોદીની ગણતરી સૌથી લોકપ્રિય નેતાઓમાં થાય છે. બીજા દેશના નેતાઓ સાથે અવારનવાર મુલાકાત કરતા હોય છે. ત્યારે થોડા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જવાના છે. પરંતુ તેમની મુલાકાત પહેલાં ન્યુજર્સીના એક રેસ્ટોરન્ટમાં મોદીજીના નામ પર એક ખાસ થાળી લોન્ચ કરવામાં આવી છે. તે થાળીમાં ભારતીય વાનગીઓનો સમાવેશ થાય છે જેમ કે ખીચડી, ઢોકળા, સરસોનું શાક અને દમ આલુથી લઈને કાશ્મીરી મિજબાની, તિરંગા ઈડલી સહિત અનેક વાનગીઓનો સમાવેશ થાય છે. 



નરેન્દ્ર મોદીના નામ પર ભોજનની થાળી બહાર પડાશે!    

પીએમ  મોદીના ફેન્સ ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ છે. પીએમ મોદીની લોકચાહના વધારે છે. ત્યારે થોડા સમય બાદ અમેરિકાની મુલાકાત પીએમ મોદી લેવાના છે. તે પહેલા ન્યુજર્સીમાં એક રેસ્ટોરન્ટે મોદીજીના નામ પર એક સ્પેશિયલ થાળી લોન્ચ કરી છે જેમાં ભારતીય વાનગીઓનો અને ખાસ કરી ગુજરાતી વાનગીઓનો સમાવેશ થાય છે. મોદીજીના નામ પર જે થાળી લોન્ચ કરવામાં આવી છે તેમાં ખીચડી, રસગુલ્લા, સરસોંનું શાક અને દમ આલુથી લઈને કાશ્મીરી મિજબાની, તિરંગા ઈડલી, ઢોકળા, છાશ અને પાપડનો સમાવેશ છે.


વિદેશમંત્રીના નામ પર પણ વિશેષ થાળી લોન્ચ કરાશે!

આ પહેલી વખત નથી જ્યારે પીએમ મોદીના નામ પર થાળી બહાર પાડવામાં આવી હોય. આની પહેલા પણ આવી ઘટના બની છે. પીએમ મોદીના જન્મદિવસ પહેલા દિલ્હીના એક રેસ્ટોરન્ટે 56 ઈંચની નરેન્દ્ર મોદી થાળી લોન્ચ કરી હતી. જે રેસ્ટોરન્ટે આ થાળી લોન્ચ કરી છે તેમણે જણાવ્યું છે કે ટૂંક સમયમાં વિદેશ મંત્રી એસ જયશંકરના નામ પર પણ વિશેષ થાળી લોન્ચ કરવામાં આવશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.