Mohammed Shami નહીં રમે IPL! Gujarat Titansને પડ્યો મોટો ફટકો! જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2024-02-22 16:16:13

થોડા સમય બાદ, BCCI IPL 2024ના બહુપ્રતિક્ષિત શેડ્યૂલ જાહેર થવાનું છે. આઈપીએલને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ હોય છે. ત્યારે આઈપીએલ મેચની મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત ટાઈટન્સને મેચ પહેલા મોટો ફટકો પડ્યો છે. ન્યુઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે એવી માહિતી સામે આવી છે કે મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઇ શકે છે કારણ કે તેમને ઈન્ઝરી થઈ છે. આ અંગેની સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ બીસીસીઆઈના સૂત્રો પાસેથી આ માહિતી ન્યુઝ એજન્સીને મળી છે.      

આઈપીએલમાં નહીં રમે મોહમ્મદ શમી!

સૂત્રો પાસેથી જે માહિતી સામે આવી છે એ સાચી હશે તો ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો પડી શકે છે. વર્ષ 2022થી ગુજરાત ટાઈટન્સ માટે મહોમ્મદ શમી રહ્યા હતા. બંને સિઝનમાં ગુજરાત ટાઈટન્સને ફાઈનલ સુધી પહોંચાડવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. ગુજરાત ટાઈટન્સ ટીમની કમાન કેપ્ટન હાર્દિક પંડ્યા સંભાળતા હતા પરંતુ તે પણ મુંબઈ ઈન્ડિયન્સમાં જતા રહ્યા હતા. હાર્દિક પંડ્યા બાદ ટીમના કેપ્ટન શુભમન ગિલને બનાવામા આવ્યા. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે શમીને ડાબા પગમાં થયેલી ઘૂંટીની સારવાર થવાની છે. સર્જરી માટે તેમને યુકે જવું પડશે જેને કારણે તે આઈપીએલમાં રમી નહીં શકે. આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે. 



મોહમ્મદ શમી સિવાય આ છે અનુભવી બોલર ટીમ પાસે

2022માં મોહમ્મદ શમીએ 16 મેંચોમાં 20 વિકેટ લીધી હતી અને સૌથી વધારે વિકેટ લેનાર છઠ્ઠા બોલર બન્યા હતા. જો ન્યુઝ એજન્સીને મળેલી માહિતી સાચી સાબિત થાય છે તો ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો પડી શકે છે. 2023માં મોહમ્મદ શમીએ 17 મેચોમાં 28 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી સિવાયના બોલરની વાત કરીએ તો મોહિત શર્મા અને ઉમેશ યાદવ બોલર છે. તે સિવાય દર્શન નાલકંડે. સુશાંત મિશ્રા તેમજ કાર્તિક ત્યાગી નવા બોલર છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.