Mohammed Shamiએ કહ્યું પીમ મોદીની ડ્રેસિંગ રૂમની મુલાકાત અમને આત્મવિશ્વાસ આપે છે, સાંભળો શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2023-11-24 14:21:41

વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો. ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું. ભારત જ્યારે મેચ હાર્યું ત્યારે ક્રિકેટ સ્ટેડિટમમાં હાજર પ્રેશકો તો રડી પડ્યા હતા પરંતુ ઓનલાઈન મેચ જોતા લોકો પણ રડી પડ્યા હતા. ભારત મેચ હાર્યું તે ક્ષણે દેશના અનેક લોકો એવા હતા જેમને દુખની લાગણી થઈ હતી. ભારતની હાર બાદ ડ્રેસિંગ રૂમમાં જ્યારે ભારતના ખેલાડીઓ જઈ રહ્યા હતા ત્યારે તેમની આંખો પણ ભીની હતી. પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈ ખેલાડીઓને સાંત્વના પાઠવી હતી. આ બધા વચ્ચે મોહમ્મદ શામીની આ અંગેની પ્રતિક્રિયા સામે આવી છે. 

ટીમની હાર બાદ પીએમ મોદી મળવા ગયા હતા ખેલાડીઓને 

ભારત ભલે છેલ્લી અને ફાઈનલ મેચ હારી ગયું હોય પરંતુ આખા કાર્યક્રમ દરમિયાન ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મોહમ્મદ શામીની બોલિંગના વખાણ અનેક જગ્યાઓ પર થઈ રહ્યા હતા. તેમની બોલિંગના ફેન તો પીએમ મોદી પણ બન્યા હતા. મોહમ્મદ શામીને લઈ પીએમ મોદીએ એક ટ્વિટ કરી હતી. ભારતની ટીમ જ્યારે હારી તે બાદ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા, જુસ્સો વધારવા પીએમ મોદી ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા અને ખેલાડીઓ સાથે વાત કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

પીએમ મોદી અંગે મોહમ્મદ શામીએ કહી આ વાત

ટીમના ખેલાડીઓને મળ્યા હતા ત્યારે આ મુલાકાતને લઈ મોહમ્મદ શામીએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા શામીએ કહ્યું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સમયે અમે મેચ હારી ગયા હતા. આવી સ્થિતિમાં, જ્યારે વડા પ્રધાન તમને પ્રોત્સાહિત કરે છે, તે એક અલગ ક્ષણ છે. જ્યારે તમારું મનોબળ નીચું હોય છે, તો જો તમારા પીએમ તમારી સાથે હોય તો આત્મવિશ્વાસ વધે છે. તે ઉપરાંત શામીને જ્યારે વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટનનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં તેમણે વર્લ્ડ કપ પર પોતાનો પગ રાખ્યો હતો તે અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.   

Mitchell Marsh draws flak over 'feet on trophy' viral photo after World Cup  final win | Cricket News - Times of India

વર્લ્ડ કપ અંગેના વાયરલ ફોટા અંગે કહ્યું કે....  

જે ફોટા અંગે વાત થઈ રહી છે તે સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટનના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થયા બાદ ક્રિકેટ ચાહકોમાં નારાજગી જોવા મળી હતી. જ્યારે આ અંગે શામીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે પણ આ ફોટો જોઈને મિશેલની આ તસવીર પર શમી ખુશ દેખાતો નહોતો. શમીએ 23 નવેમ્બરે મીડિયાને કહ્યું હતું કે તેને આ ફોટોથી દુઃખ થયું છે. તેમણે કહ્યું કે વિશ્વની તમામ ટીમો આ ટ્રોફી માટે લડે છે, જેને તમે ઉપાડવા માંગો છો. તે ટ્રોફી પર પગ મુકવાથી ખુશ નહોતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.