'સોમવાર' સપ્તાહનો સૌથી ખરાબ દિવસ છે, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે કરી સત્તાવાર જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 15:19:08

કોઈ તમને પૂછે કે તમારો પ્રિય વાર કયો તો ચોક્કસપણે તમે રવિવારનું નામ આપશો. જો કે સૌથી અપ્રિય વાર અંગે સોમવાર જ સર્વસ્વીકૃત છે. વિકેન્ડની મજા માણતા લોકોને રવિવારે ફરીથી કામ પર જવું પડે છે એટલા માટે ઘણા લોકો સોમવારને નાપસંદ કરે છે. જો કે હવે વિશ્વ વિખ્યાત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ (GWR)એ પણ સોમવાર પ્રત્યે લોકોની ઉદાસીનતાનું સંજ્ઞાન લીધું છે.  


સપ્તાહનો સૌથી ખરાબ દિવસ જાહેર


ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે સત્તાવાર રીતે સોમવારને સપ્તાહનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે. તેનો મતલબ એ કે તમે હવે સોમવારને તમારા ખરાબ મૂડ માટે ચોક્કસપણે દોષિત ઠરાવી શકો છો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે તેના  ટ્વીટર હેન્ડલ પર લખ્યું " અમે સત્તાવાર રીતે સપ્તાહના સૌથી ખરાબ દિવસનો રેકોર્ડ સોમવારના નામે કરીએ છીએ"



ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ શું છે?


ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ પ્રતિવર્ષ પ્રકાશિત થતો એક સંદર્ભ ગ્રંથ છે. આ પુસ્તકમાં વિશ્વના અનોખા કીર્તિમાનો (રેકોર્ડ)નો સંગ્રહ અને સંકલન કરવામાં આવે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે અત્યાર સુધીમાં 143 મિલિયન (14.3 કરોડ)નકલો છાપી છે અને હવે તે વૈશ્વિક બ્રાન્ડ છે. લંડન, ન્યૂયોર્ક, બેઇજિંગ, ટોક્યો અને દુબઈમાં તેની ઓફિસો છે. તેની સાથે જોડાયેલા લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .