'સોમવાર' સપ્તાહનો સૌથી ખરાબ દિવસ છે, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે કરી સત્તાવાર જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 15:19:08

કોઈ તમને પૂછે કે તમારો પ્રિય વાર કયો તો ચોક્કસપણે તમે રવિવારનું નામ આપશો. જો કે સૌથી અપ્રિય વાર અંગે સોમવાર જ સર્વસ્વીકૃત છે. વિકેન્ડની મજા માણતા લોકોને રવિવારે ફરીથી કામ પર જવું પડે છે એટલા માટે ઘણા લોકો સોમવારને નાપસંદ કરે છે. જો કે હવે વિશ્વ વિખ્યાત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ (GWR)એ પણ સોમવાર પ્રત્યે લોકોની ઉદાસીનતાનું સંજ્ઞાન લીધું છે.  


સપ્તાહનો સૌથી ખરાબ દિવસ જાહેર


ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે સત્તાવાર રીતે સોમવારને સપ્તાહનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે. તેનો મતલબ એ કે તમે હવે સોમવારને તમારા ખરાબ મૂડ માટે ચોક્કસપણે દોષિત ઠરાવી શકો છો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે તેના  ટ્વીટર હેન્ડલ પર લખ્યું " અમે સત્તાવાર રીતે સપ્તાહના સૌથી ખરાબ દિવસનો રેકોર્ડ સોમવારના નામે કરીએ છીએ"



ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ શું છે?


ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ પ્રતિવર્ષ પ્રકાશિત થતો એક સંદર્ભ ગ્રંથ છે. આ પુસ્તકમાં વિશ્વના અનોખા કીર્તિમાનો (રેકોર્ડ)નો સંગ્રહ અને સંકલન કરવામાં આવે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે અત્યાર સુધીમાં 143 મિલિયન (14.3 કરોડ)નકલો છાપી છે અને હવે તે વૈશ્વિક બ્રાન્ડ છે. લંડન, ન્યૂયોર્ક, બેઇજિંગ, ટોક્યો અને દુબઈમાં તેની ઓફિસો છે. તેની સાથે જોડાયેલા લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.