'સોમવાર' સપ્તાહનો સૌથી ખરાબ દિવસ છે, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે કરી સત્તાવાર જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 15:19:08

કોઈ તમને પૂછે કે તમારો પ્રિય વાર કયો તો ચોક્કસપણે તમે રવિવારનું નામ આપશો. જો કે સૌથી અપ્રિય વાર અંગે સોમવાર જ સર્વસ્વીકૃત છે. વિકેન્ડની મજા માણતા લોકોને રવિવારે ફરીથી કામ પર જવું પડે છે એટલા માટે ઘણા લોકો સોમવારને નાપસંદ કરે છે. જો કે હવે વિશ્વ વિખ્યાત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ (GWR)એ પણ સોમવાર પ્રત્યે લોકોની ઉદાસીનતાનું સંજ્ઞાન લીધું છે.  


સપ્તાહનો સૌથી ખરાબ દિવસ જાહેર


ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે સત્તાવાર રીતે સોમવારને સપ્તાહનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે. તેનો મતલબ એ કે તમે હવે સોમવારને તમારા ખરાબ મૂડ માટે ચોક્કસપણે દોષિત ઠરાવી શકો છો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે તેના  ટ્વીટર હેન્ડલ પર લખ્યું " અમે સત્તાવાર રીતે સપ્તાહના સૌથી ખરાબ દિવસનો રેકોર્ડ સોમવારના નામે કરીએ છીએ"



ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ શું છે?


ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ પ્રતિવર્ષ પ્રકાશિત થતો એક સંદર્ભ ગ્રંથ છે. આ પુસ્તકમાં વિશ્વના અનોખા કીર્તિમાનો (રેકોર્ડ)નો સંગ્રહ અને સંકલન કરવામાં આવે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે અત્યાર સુધીમાં 143 મિલિયન (14.3 કરોડ)નકલો છાપી છે અને હવે તે વૈશ્વિક બ્રાન્ડ છે. લંડન, ન્યૂયોર્ક, બેઇજિંગ, ટોક્યો અને દુબઈમાં તેની ઓફિસો છે. તેની સાથે જોડાયેલા લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.