MonkeyPox હવેથી Mpox તરીકે ઓળખાશે, WHOએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-11-29 12:43:23

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મન્કીપોક્સનું નામ બદલી મપોક્સ કરી દીધું છે. સંગઠનનું માનવું છે કે આ નામથી આપત્તિ જનક ભાષાનો ઉપયોગ થવાની શરૂઆત થઈ હતી. આ પોક્સને કારણે અનેક લોકોના જીવ જતા રહ્યા હતા. કોરોના મહામારી બાદ આ બિમારીએ કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યારે લોકોમાં નફરત ન ફેલાય તે માટે સંગઠનને આ બિમારીનું નામ બદલી નાખ્યું છે.

 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ બદલ્યું નામ 

અનેક દેશોમાં આને કારણે નફરતની અને ભેદભાવ પૂર્ણ વાતાવરણ ઉભું થવા લાગ્યું હતું. જેને કારણે અનેક દેશોએ આ અંગે સંગઠનને જાણ કરવામાં આવી અને આ નામને બદલવા માટે સૂઝાવ પણ આપ્યા હતા જે બાદ WHOએ મંકીપાોક્સનું નામ બદલી mPox કરી દીધું છે. મંકીપોક્સનો પહેલો કેસ મે મહિનામાં નોંધાયો હતો અને આ વાયરસ લગભગ સમગ્ર દુનિયામાં પ્રસરી ગયો છે. અંદાજીત વિશ્વના 80,000 જેટલા લોકો આની ચપેટમાં આવી ગયા છે.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .