MonkeyPox હવેથી Mpox તરીકે ઓળખાશે, WHOએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-11-29 12:43:23

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મન્કીપોક્સનું નામ બદલી મપોક્સ કરી દીધું છે. સંગઠનનું માનવું છે કે આ નામથી આપત્તિ જનક ભાષાનો ઉપયોગ થવાની શરૂઆત થઈ હતી. આ પોક્સને કારણે અનેક લોકોના જીવ જતા રહ્યા હતા. કોરોના મહામારી બાદ આ બિમારીએ કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યારે લોકોમાં નફરત ન ફેલાય તે માટે સંગઠનને આ બિમારીનું નામ બદલી નાખ્યું છે.

 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ બદલ્યું નામ 

અનેક દેશોમાં આને કારણે નફરતની અને ભેદભાવ પૂર્ણ વાતાવરણ ઉભું થવા લાગ્યું હતું. જેને કારણે અનેક દેશોએ આ અંગે સંગઠનને જાણ કરવામાં આવી અને આ નામને બદલવા માટે સૂઝાવ પણ આપ્યા હતા જે બાદ WHOએ મંકીપાોક્સનું નામ બદલી mPox કરી દીધું છે. મંકીપોક્સનો પહેલો કેસ મે મહિનામાં નોંધાયો હતો અને આ વાયરસ લગભગ સમગ્ર દુનિયામાં પ્રસરી ગયો છે. અંદાજીત વિશ્વના 80,000 જેટલા લોકો આની ચપેટમાં આવી ગયા છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે