દેશના અનેક રાજ્યોમાં જામ્યું ચોમાસુ! ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક બિલ્ડીંગો ધરાશાયી થતા સર્જાઈ દુર્ઘટના, જુઓ વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-27 10:15:40

દેશમાં ચોમાસાના આગમનની સાથે જ તબાહીના દ્રશ્યો પણ આપણી સામે આવી રહ્યા છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકોના જીવ ગયા છે. ચોમાસુ લગભગ દેશના મુખ્યત્વે રાજ્યોમાં પહોંચી ગયું છે. ભારે વરસાદને કારણે તેમજ તેજ હવાને કારણે અનેક જગ્યાઓથી ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભૂસ્ખલન સિવાય ઘરો ધરાશાયી થઈ રહ્યા છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. આગામી 24 કલાક દરમિયાન દેશના અનેક રાજ્યો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે દેશના અનેક રાજ્યોથી લોકોના મોતના સમાચાર તેમજ ભારે નુકસાની થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

અનેક રાજ્યોમાંથી સામે આવ્યા નુકસાનીના દ્રશ્યો

ચોમાસાની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. દેશના લગભગ દરેક રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસો દરમિયાન દેશના લગભગ 25 રાજ્યોમાં બારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે હજી સુધી વરસેલા વરસાદને કારણે અનેક રાજ્યોથી નુકસાનીના સમાચારો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.


ભૂસ્ખલન થવાને કારણે અનેક રસ્તાઓ થયા બંધ  

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં બે ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી હતી. ભૂસ્ખલન થવાને કારણે નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. તે સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવેને ઘણું નુકસાન પહોંચ્યું છે. તે સિવાય બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે પણ અનેક લોકોના મોત થયા છે. બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે તેમજ ભૂસ્ખલન થવાને કારણે અંદાજીત 6 રાજ્યોમાં 22 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો  ઘાયલ થયા છે. તે સિવાય વીજળી પડવાને કારણે રાજસ્થાનમાં પણ લોકોના મોત થયા છે. 

આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ સુધી ઉત્તરાખંડ, ઝારખંડ. ગોવા, છત્તીસગઢ. આસામ, મેધાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, સહિતના રાજ્યોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય અરૂણાચલ પ્રદેશ, મણિપુર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે અનેક રાજ્યોમાં એટલો વધારે વરસાદ વરસ્યો છે કે પાણી ભરાઈ ગયા છે. ગરમીથી લોકોને છૂટકારો મળ્યો છે પરંતુ વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.