દેશના અનેક રાજ્યોમાં જામ્યું ચોમાસુ! ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક બિલ્ડીંગો ધરાશાયી થતા સર્જાઈ દુર્ઘટના, જુઓ વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-27 10:15:40

દેશમાં ચોમાસાના આગમનની સાથે જ તબાહીના દ્રશ્યો પણ આપણી સામે આવી રહ્યા છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકોના જીવ ગયા છે. ચોમાસુ લગભગ દેશના મુખ્યત્વે રાજ્યોમાં પહોંચી ગયું છે. ભારે વરસાદને કારણે તેમજ તેજ હવાને કારણે અનેક જગ્યાઓથી ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભૂસ્ખલન સિવાય ઘરો ધરાશાયી થઈ રહ્યા છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. આગામી 24 કલાક દરમિયાન દેશના અનેક રાજ્યો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે દેશના અનેક રાજ્યોથી લોકોના મોતના સમાચાર તેમજ ભારે નુકસાની થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

અનેક રાજ્યોમાંથી સામે આવ્યા નુકસાનીના દ્રશ્યો

ચોમાસાની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. દેશના લગભગ દરેક રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસો દરમિયાન દેશના લગભગ 25 રાજ્યોમાં બારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે હજી સુધી વરસેલા વરસાદને કારણે અનેક રાજ્યોથી નુકસાનીના સમાચારો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.


ભૂસ્ખલન થવાને કારણે અનેક રસ્તાઓ થયા બંધ  

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં બે ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી હતી. ભૂસ્ખલન થવાને કારણે નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. તે સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવેને ઘણું નુકસાન પહોંચ્યું છે. તે સિવાય બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે પણ અનેક લોકોના મોત થયા છે. બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે તેમજ ભૂસ્ખલન થવાને કારણે અંદાજીત 6 રાજ્યોમાં 22 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો  ઘાયલ થયા છે. તે સિવાય વીજળી પડવાને કારણે રાજસ્થાનમાં પણ લોકોના મોત થયા છે. 

આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ સુધી ઉત્તરાખંડ, ઝારખંડ. ગોવા, છત્તીસગઢ. આસામ, મેધાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, સહિતના રાજ્યોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય અરૂણાચલ પ્રદેશ, મણિપુર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે અનેક રાજ્યોમાં એટલો વધારે વરસાદ વરસ્યો છે કે પાણી ભરાઈ ગયા છે. ગરમીથી લોકોને છૂટકારો મળ્યો છે પરંતુ વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.