દેશના અનેક રાજ્યોમાં જામ્યું ચોમાસુ! ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક બિલ્ડીંગો ધરાશાયી થતા સર્જાઈ દુર્ઘટના, જુઓ વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-27 10:15:40

દેશમાં ચોમાસાના આગમનની સાથે જ તબાહીના દ્રશ્યો પણ આપણી સામે આવી રહ્યા છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકોના જીવ ગયા છે. ચોમાસુ લગભગ દેશના મુખ્યત્વે રાજ્યોમાં પહોંચી ગયું છે. ભારે વરસાદને કારણે તેમજ તેજ હવાને કારણે અનેક જગ્યાઓથી ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભૂસ્ખલન સિવાય ઘરો ધરાશાયી થઈ રહ્યા છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. આગામી 24 કલાક દરમિયાન દેશના અનેક રાજ્યો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે દેશના અનેક રાજ્યોથી લોકોના મોતના સમાચાર તેમજ ભારે નુકસાની થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

અનેક રાજ્યોમાંથી સામે આવ્યા નુકસાનીના દ્રશ્યો

ચોમાસાની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. દેશના લગભગ દરેક રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસો દરમિયાન દેશના લગભગ 25 રાજ્યોમાં બારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે હજી સુધી વરસેલા વરસાદને કારણે અનેક રાજ્યોથી નુકસાનીના સમાચારો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.


ભૂસ્ખલન થવાને કારણે અનેક રસ્તાઓ થયા બંધ  

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં બે ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી હતી. ભૂસ્ખલન થવાને કારણે નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. તે સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવેને ઘણું નુકસાન પહોંચ્યું છે. તે સિવાય બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે પણ અનેક લોકોના મોત થયા છે. બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે તેમજ ભૂસ્ખલન થવાને કારણે અંદાજીત 6 રાજ્યોમાં 22 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો  ઘાયલ થયા છે. તે સિવાય વીજળી પડવાને કારણે રાજસ્થાનમાં પણ લોકોના મોત થયા છે. 

આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ સુધી ઉત્તરાખંડ, ઝારખંડ. ગોવા, છત્તીસગઢ. આસામ, મેધાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, સહિતના રાજ્યોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય અરૂણાચલ પ્રદેશ, મણિપુર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે અનેક રાજ્યોમાં એટલો વધારે વરસાદ વરસ્યો છે કે પાણી ભરાઈ ગયા છે. ગરમીથી લોકોને છૂટકારો મળ્યો છે પરંતુ વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.