Morbi : Heart Attackનો સિલસિલો યથાવત, ક્રિકેટ રમીને પરત ફરતી વખતે યુવાનને આવ્યો હાર્ટ એટેક....


  • Published By :
  • Published Date : 2024-05-01 17:49:48

ગઈકાલથી હાર્ટ એટેક ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના વેક્સિન બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેવી વાતો ગઈકાલથી થઈ રહી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે.. ત્યારે મોરબીમાં વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે....

Heart Attack:  A young man returning from playing cricket in Morbi died of a heart attack family mourns Heart Attack: મોરબીમાં ક્રિકેટ રમી પરત ફરતા યુવાનનું  હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ


હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા!

એક સમય હતો જ્યારે હાર્ટ એટેક માટે માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે.. પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ છે.. યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.. ના માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે તેવા કિસ્સાઓ આપણી સામે છે. કોઈને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે... યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે..  


વધુ એક આશાવાદી યુવાનનું થયું મોત!

મોરબીમાં વધુ એક હાર્ટ એટેકને કારણે યુવાનનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે... ક્રિકેટ રમી પરત ફરતી વખતે યુવાનને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું.. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિનું મોત થયું છે તેનું નામ રમેશભાઈ બાલાસરા છે અને તેમની ઉંમર 38 વર્ષની હતી.. મહત્વનું છે મોરબીથી આવી ઘટના પહેલા પણ સામે આવી છે જેમાં ઉંઘતા ઉંઘતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે કાયમ માટે ઉંઘી જાય છે... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.