Morbi : Heart Attackનો સિલસિલો યથાવત, ક્રિકેટ રમીને પરત ફરતી વખતે યુવાનને આવ્યો હાર્ટ એટેક....


  • Published By :
  • Published Date : 2024-05-01 17:49:48

ગઈકાલથી હાર્ટ એટેક ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના વેક્સિન બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેવી વાતો ગઈકાલથી થઈ રહી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે.. ત્યારે મોરબીમાં વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે....

Heart Attack:  A young man returning from playing cricket in Morbi died of a heart attack family mourns Heart Attack: મોરબીમાં ક્રિકેટ રમી પરત ફરતા યુવાનનું  હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ


હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા!

એક સમય હતો જ્યારે હાર્ટ એટેક માટે માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે.. પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ છે.. યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.. ના માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે તેવા કિસ્સાઓ આપણી સામે છે. કોઈને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે... યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે..  


વધુ એક આશાવાદી યુવાનનું થયું મોત!

મોરબીમાં વધુ એક હાર્ટ એટેકને કારણે યુવાનનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે... ક્રિકેટ રમી પરત ફરતી વખતે યુવાનને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું.. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિનું મોત થયું છે તેનું નામ રમેશભાઈ બાલાસરા છે અને તેમની ઉંમર 38 વર્ષની હતી.. મહત્વનું છે મોરબીથી આવી ઘટના પહેલા પણ સામે આવી છે જેમાં ઉંઘતા ઉંઘતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે કાયમ માટે ઉંઘી જાય છે... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે