Morbi : Heart Attackનો સિલસિલો યથાવત, ક્રિકેટ રમીને પરત ફરતી વખતે યુવાનને આવ્યો હાર્ટ એટેક....


  • Published By :
  • Published Date : 2024-05-01 17:49:48

ગઈકાલથી હાર્ટ એટેક ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના વેક્સિન બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેવી વાતો ગઈકાલથી થઈ રહી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે.. ત્યારે મોરબીમાં વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે....

Heart Attack:  A young man returning from playing cricket in Morbi died of a heart attack family mourns Heart Attack: મોરબીમાં ક્રિકેટ રમી પરત ફરતા યુવાનનું  હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ


હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા!

એક સમય હતો જ્યારે હાર્ટ એટેક માટે માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે.. પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ છે.. યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.. ના માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે તેવા કિસ્સાઓ આપણી સામે છે. કોઈને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે... યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે..  


વધુ એક આશાવાદી યુવાનનું થયું મોત!

મોરબીમાં વધુ એક હાર્ટ એટેકને કારણે યુવાનનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે... ક્રિકેટ રમી પરત ફરતી વખતે યુવાનને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું.. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિનું મોત થયું છે તેનું નામ રમેશભાઈ બાલાસરા છે અને તેમની ઉંમર 38 વર્ષની હતી.. મહત્વનું છે મોરબીથી આવી ઘટના પહેલા પણ સામે આવી છે જેમાં ઉંઘતા ઉંઘતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે કાયમ માટે ઉંઘી જાય છે... 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.