સતત બીજા દિવસે ચીનમાં નોંધાયા 30 હજારથી વધુ કોરોનાના નવા કેસ


  • Published By :
  • Published Date : 2022-11-25 12:26:01

સમગ્ર વિશ્વ કોરોના કહેરમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. કોરોના સંક્રમણ ધીરે ધીરે નિયંત્રણમાં આવતું હોય તેવી લાગી રહ્યું હતું ત્યારે ચીનથી મળતા સમાચારે ચિંતામાં વધારો કર્યો છે. ચીનમાં ફરી એક વખત કોરોના કેસે માથું ઉચક્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ગઈ કાલે પણ 30 હજાર કોરોના કેસ નોંધાયા હતા જ્યારે આજે પણ ફરી એક વખત કોરોના સંક્રમિતોનો આંકડો 30 હજારને પાર પહોંચ્યો છે.

China recovery set back by record covid outbreak as lockdowns spread | Mint

China Reports 20,000 Daily Covid Cases, Highest Since Start Of Pandemic

કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો 

ચીનમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ અચાનક વધતા સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા છે. અનેક શહેરોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 32943 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગઈ કાલે પણ આ આંકડો 30 હજારને પાર પહોંચ્યો હતો. કોરોના કેસ વધતા ચીન સરકારે કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કર્યો છે. બહારથી આવતા લોકો માટે પણ નિયમો કડક કરી દેવામાં આવ્યા છે.

અનેક લોકો ઘરમાં કેદ

શિયાળો આવતા ચીનમાં જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તેને કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા છે. કોરોના કેસ વધતા અંદાજીત 35 લાખ લોકો ઘરમાં કેદ થઈ ગયા છે.       




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .