સતત બીજા દિવસે ચીનમાં નોંધાયા 30 હજારથી વધુ કોરોનાના નવા કેસ


  • Published By :
  • Published Date : 2022-11-25 12:26:01

સમગ્ર વિશ્વ કોરોના કહેરમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. કોરોના સંક્રમણ ધીરે ધીરે નિયંત્રણમાં આવતું હોય તેવી લાગી રહ્યું હતું ત્યારે ચીનથી મળતા સમાચારે ચિંતામાં વધારો કર્યો છે. ચીનમાં ફરી એક વખત કોરોના કેસે માથું ઉચક્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ગઈ કાલે પણ 30 હજાર કોરોના કેસ નોંધાયા હતા જ્યારે આજે પણ ફરી એક વખત કોરોના સંક્રમિતોનો આંકડો 30 હજારને પાર પહોંચ્યો છે.

China recovery set back by record covid outbreak as lockdowns spread | Mint

China Reports 20,000 Daily Covid Cases, Highest Since Start Of Pandemic

કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો 

ચીનમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ અચાનક વધતા સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા છે. અનેક શહેરોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 32943 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગઈ કાલે પણ આ આંકડો 30 હજારને પાર પહોંચ્યો હતો. કોરોના કેસ વધતા ચીન સરકારે કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કર્યો છે. બહારથી આવતા લોકો માટે પણ નિયમો કડક કરી દેવામાં આવ્યા છે.

અનેક લોકો ઘરમાં કેદ

શિયાળો આવતા ચીનમાં જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તેને કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા છે. કોરોના કેસ વધતા અંદાજીત 35 લાખ લોકો ઘરમાં કેદ થઈ ગયા છે.       




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.