સતત બીજા દિવસે ચીનમાં નોંધાયા 30 હજારથી વધુ કોરોનાના નવા કેસ


  • Published By :
  • Published Date : 2022-11-25 12:26:01

સમગ્ર વિશ્વ કોરોના કહેરમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. કોરોના સંક્રમણ ધીરે ધીરે નિયંત્રણમાં આવતું હોય તેવી લાગી રહ્યું હતું ત્યારે ચીનથી મળતા સમાચારે ચિંતામાં વધારો કર્યો છે. ચીનમાં ફરી એક વખત કોરોના કેસે માથું ઉચક્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ગઈ કાલે પણ 30 હજાર કોરોના કેસ નોંધાયા હતા જ્યારે આજે પણ ફરી એક વખત કોરોના સંક્રમિતોનો આંકડો 30 હજારને પાર પહોંચ્યો છે.

China recovery set back by record covid outbreak as lockdowns spread | Mint

China Reports 20,000 Daily Covid Cases, Highest Since Start Of Pandemic

કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો 

ચીનમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ અચાનક વધતા સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા છે. અનેક શહેરોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 32943 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગઈ કાલે પણ આ આંકડો 30 હજારને પાર પહોંચ્યો હતો. કોરોના કેસ વધતા ચીન સરકારે કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કર્યો છે. બહારથી આવતા લોકો માટે પણ નિયમો કડક કરી દેવામાં આવ્યા છે.

અનેક લોકો ઘરમાં કેદ

શિયાળો આવતા ચીનમાં જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તેને કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા છે. કોરોના કેસ વધતા અંદાજીત 35 લાખ લોકો ઘરમાં કેદ થઈ ગયા છે.       




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.