મોરોક્કોમાં ભૂકંપના કારણે મૃત્યુઆંક 2 હજારને વટાવી ગયો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી


  • Published By :
  • Published Date : 2023-09-10 17:52:56

આફ્રિકાના દેશ મોરોક્કોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 2 હજારને વટાવી ગયો છે. મોરોક્કોના ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે લગભગ 1,500 લોકો ઘાયલ પણ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે, કારણ કે સેંકડો લોકોની હાલત અત્યંત નાજુક છે. ગત શુક્રવારે મોડી રાત્રે એક પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.8 હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મરાકેશ શહેરથી 70 કિલોમીટર દૂર હતું. અહીં ભયાનક વિનાશ સર્જાયો છે. મારકેશ એટલાસ ટેકરીઓની વચ્ચે આવેલું એક ઐતિહાસિક શહેર છે. દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. હાલ મારકેશમાં કાટમાળ અને લાચારી જોવા મળી રહી છે. લોકોને ઘરની બહાર રાત વિતાવવી પડી રહી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં આ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે.


ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી

 

ભૂકંપ બાદ, રાબાતમાં ભારતીય દૂતાવાસે શનિવારે એક એડવાઈઝરી જારી કરી અને કહ્યું કે તે ભારતીય સમુદાયના સંપર્કમાં છે. દૂતાવાસે જણાવ્યું હતું કે, "ભૂકંપને કારણે કોઈપણ ભારતીય નાગરિક પ્રભાવિત થયા હોવાની હજુ સુધી કોઈ જાણકારી નથી." તેણે મોરોક્કોમાં હાજર તમામ ભારતીય નાગરિકોને ધીરજ રાખવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી સલાહ/ ગાઈડલાઈન્સનું પાલન કરવા વિનંતી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો દુતાવાસના હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે જે કોઈપણ મદદ માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે.


PM મોદીએ સંવેદના વ્યક્ત કરી


PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે મોરોક્કોમાં આવેલા ભયાનક ભૂકંપના કારણે થયેલા જાનમાલના નુકસાનથી હું અત્યંત દુ:ખી થયો છું. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદનાઓ તે  લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો જલદી સાજા થાય. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છે.



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.