મોરોક્કોમાં ભૂકંપના કારણે મૃત્યુઆંક 2 હજારને વટાવી ગયો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી


  • Published By :
  • Published Date : 2023-09-10 17:52:56

આફ્રિકાના દેશ મોરોક્કોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 2 હજારને વટાવી ગયો છે. મોરોક્કોના ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે લગભગ 1,500 લોકો ઘાયલ પણ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે, કારણ કે સેંકડો લોકોની હાલત અત્યંત નાજુક છે. ગત શુક્રવારે મોડી રાત્રે એક પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.8 હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મરાકેશ શહેરથી 70 કિલોમીટર દૂર હતું. અહીં ભયાનક વિનાશ સર્જાયો છે. મારકેશ એટલાસ ટેકરીઓની વચ્ચે આવેલું એક ઐતિહાસિક શહેર છે. દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. હાલ મારકેશમાં કાટમાળ અને લાચારી જોવા મળી રહી છે. લોકોને ઘરની બહાર રાત વિતાવવી પડી રહી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં આ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે.


ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી

 

ભૂકંપ બાદ, રાબાતમાં ભારતીય દૂતાવાસે શનિવારે એક એડવાઈઝરી જારી કરી અને કહ્યું કે તે ભારતીય સમુદાયના સંપર્કમાં છે. દૂતાવાસે જણાવ્યું હતું કે, "ભૂકંપને કારણે કોઈપણ ભારતીય નાગરિક પ્રભાવિત થયા હોવાની હજુ સુધી કોઈ જાણકારી નથી." તેણે મોરોક્કોમાં હાજર તમામ ભારતીય નાગરિકોને ધીરજ રાખવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી સલાહ/ ગાઈડલાઈન્સનું પાલન કરવા વિનંતી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો દુતાવાસના હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે જે કોઈપણ મદદ માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે.


PM મોદીએ સંવેદના વ્યક્ત કરી


PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે મોરોક્કોમાં આવેલા ભયાનક ભૂકંપના કારણે થયેલા જાનમાલના નુકસાનથી હું અત્યંત દુ:ખી થયો છું. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદનાઓ તે  લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો જલદી સાજા થાય. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .