તમામ કષ્ટોનો નાશ કરતી માતા કાલરાત્રિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 10:59:56

નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. સાતમા નોરતે માતા કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે. માતા દુર્ગાનું સાતમું સ્વરૂપ છે માતા કાલરાત્રિ. એવુ કહેવામાં આવે છે તે જે પણ માતા કાલરાત્રિની ઉપાસના કરે તેના તમામ કષ્ટો માતા દૂર કરે  છે. આ સ્વરૂપ માતાનું રોદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી ભય અને રોગનો નાશ થાય છે.

કેવી રીતે થઈ કાલરાત્રિની ઉત્પતિ?

શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. શુંભ, નિશુંભ અને રક્તબીજનો વધ કરવા માતાએ કાલરાત્રિનું સ્વરૂપ ધારણ કર્યું છે. રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાથી તેમને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે.  

Navratri Day 7 - Maa Kaalratri - 24 News Daily

કેવું છે માતા કાલરાત્રિનું સ્વરૂપ?

મા કાલરાત્રિ ગદર્ભ પર બિરાજમાન થઈ ભક્તોના કષ્ટને હરે છે. તેઓ ત્રિનેત્ર ધારી છે. માતાજીની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાએ ખડગ ધારણ કર્યું છે બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં તેઓએ અભય મુદ્રા ધારણ કરી છે અને ચોથા હાથથી તેઓ ભક્તોને આશીર્વાદ આપે છે. માતાના કેશ લાંબા અને વિખરાયેલા છે. 

કયા મંત્રથી કરશો માતાની ઉપાસના?

માતા કાલરાત્રિની ઉપાસના આ મંત્રથી કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે - 

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी। वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

જો કોઈ આ મંત્રનું ઉચ્ચારણ ન કરી શકે તો માતાજીના બીજ મંત્રથી પણ તેમની ઉપાસના કરી શકાય છે. માતાજીનો બીજ મંત્ર - 

ऊं ऐं ह्रीं क्लीं कालरातै नम:

કયો ભોગ માતાજીને કરવો જોઈએ અર્પણ? 

નવરાત્રિના દિવસો દરમિયાન અલગ અલગ ભોગ માતાજીને અર્પણ કરવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે માતાજી સમક્ષ ગોળનો ભોગ અર્પણ કરવો જોઈએ. ગોળ નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે.  

  What is Jaggery | Organic Facts




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.