તમામ કષ્ટોનો નાશ કરતી માતા કાલરાત્રિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 10:59:56

નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. સાતમા નોરતે માતા કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે. માતા દુર્ગાનું સાતમું સ્વરૂપ છે માતા કાલરાત્રિ. એવુ કહેવામાં આવે છે તે જે પણ માતા કાલરાત્રિની ઉપાસના કરે તેના તમામ કષ્ટો માતા દૂર કરે  છે. આ સ્વરૂપ માતાનું રોદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી ભય અને રોગનો નાશ થાય છે.

કેવી રીતે થઈ કાલરાત્રિની ઉત્પતિ?

શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. શુંભ, નિશુંભ અને રક્તબીજનો વધ કરવા માતાએ કાલરાત્રિનું સ્વરૂપ ધારણ કર્યું છે. રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાથી તેમને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે.  

Navratri Day 7 - Maa Kaalratri - 24 News Daily

કેવું છે માતા કાલરાત્રિનું સ્વરૂપ?

મા કાલરાત્રિ ગદર્ભ પર બિરાજમાન થઈ ભક્તોના કષ્ટને હરે છે. તેઓ ત્રિનેત્ર ધારી છે. માતાજીની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાએ ખડગ ધારણ કર્યું છે બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં તેઓએ અભય મુદ્રા ધારણ કરી છે અને ચોથા હાથથી તેઓ ભક્તોને આશીર્વાદ આપે છે. માતાના કેશ લાંબા અને વિખરાયેલા છે. 

કયા મંત્રથી કરશો માતાની ઉપાસના?

માતા કાલરાત્રિની ઉપાસના આ મંત્રથી કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે - 

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी। वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

જો કોઈ આ મંત્રનું ઉચ્ચારણ ન કરી શકે તો માતાજીના બીજ મંત્રથી પણ તેમની ઉપાસના કરી શકાય છે. માતાજીનો બીજ મંત્ર - 

ऊं ऐं ह्रीं क्लीं कालरातै नम:

કયો ભોગ માતાજીને કરવો જોઈએ અર્પણ? 

નવરાત્રિના દિવસો દરમિયાન અલગ અલગ ભોગ માતાજીને અર્પણ કરવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે માતાજી સમક્ષ ગોળનો ભોગ અર્પણ કરવો જોઈએ. ગોળ નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે.  

  What is Jaggery | Organic Facts




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .