માફિયા મુખ્તાર અંસારીને UPના ગાઝીપુરની MP-MLA કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, 5 લાખનો દંડ


  • Published By :
  • Published Date : 2023-04-29 16:04:49

માફિયા મુખ્તાર અંસારી પર ગેંગસ્ટર કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તે સાથે જ પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મુખ્તાર અંસારી સામે બિજેપીના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયના ખુન કેસમાં સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે વારાણસીના વેપારી નંદકિશોર રૂંગટાના અપહરણ કેસને પણ આધાર બનાવીને મુખ્તારને સજા સંભળાવી છે. 


સમગ્ર મામલો શું છે?

 

અત્રે ઉલ્લેખનિય છે કે 29 નવેમ્બર, 2005ના રોજ, ગાઝીપુરના ભંવરકોલ પોલીસ સ્ટેશન હેઠળના સિયાડી ગામમાં એકે-47 જેવા અત્યાધુનિક હથિયારોથી 400 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત સાત લોકો માર્યા ગયા હતા. જ્યારે સાત લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે BHU લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે બીજેપી ધારાસભ્યના સમર્થકો ઉશ્કેરાયા હતા અને વિવિધ સ્થળોએ તોડફોડ અને હિંસા થઈ હતી.


આ કેસમાં વર્ષ 2007માં ગેંગસ્ટર એક્ટ્ હેઠળ અફઝલ અંસારી અને માફિયા ડોન મુખ્તાર અંસારી અને બંનેના બનેવી એઝાઝુલ હક સામે કેસ નોંધાયો હતો. આ ઘટનામાં સામેલ એઝાઝુલ હકનું મોત થઈ ચુક્યું છે. આ કેસની સુનાવણી 1 એપ્રીલે પુરી થઈ હતી અને આજે તેમને સજા સંભળાવવામાં આવી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.