માફિયા મુખ્તાર અંસારીને UPના ગાઝીપુરની MP-MLA કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, 5 લાખનો દંડ


  • Published By :
  • Published Date : 2023-04-29 16:04:49

માફિયા મુખ્તાર અંસારી પર ગેંગસ્ટર કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તે સાથે જ પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મુખ્તાર અંસારી સામે બિજેપીના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયના ખુન કેસમાં સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે વારાણસીના વેપારી નંદકિશોર રૂંગટાના અપહરણ કેસને પણ આધાર બનાવીને મુખ્તારને સજા સંભળાવી છે. 


સમગ્ર મામલો શું છે?

 

અત્રે ઉલ્લેખનિય છે કે 29 નવેમ્બર, 2005ના રોજ, ગાઝીપુરના ભંવરકોલ પોલીસ સ્ટેશન હેઠળના સિયાડી ગામમાં એકે-47 જેવા અત્યાધુનિક હથિયારોથી 400 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત સાત લોકો માર્યા ગયા હતા. જ્યારે સાત લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે BHU લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે બીજેપી ધારાસભ્યના સમર્થકો ઉશ્કેરાયા હતા અને વિવિધ સ્થળોએ તોડફોડ અને હિંસા થઈ હતી.


આ કેસમાં વર્ષ 2007માં ગેંગસ્ટર એક્ટ્ હેઠળ અફઝલ અંસારી અને માફિયા ડોન મુખ્તાર અંસારી અને બંનેના બનેવી એઝાઝુલ હક સામે કેસ નોંધાયો હતો. આ ઘટનામાં સામેલ એઝાઝુલ હકનું મોત થઈ ચુક્યું છે. આ કેસની સુનાવણી 1 એપ્રીલે પુરી થઈ હતી અને આજે તેમને સજા સંભળાવવામાં આવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.