માફિયા મુખ્તાર અંસારીને UPના ગાઝીપુરની MP-MLA કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, 5 લાખનો દંડ


  • Published By :
  • Published Date : 2023-04-29 16:04:49

માફિયા મુખ્તાર અંસારી પર ગેંગસ્ટર કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તે સાથે જ પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મુખ્તાર અંસારી સામે બિજેપીના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયના ખુન કેસમાં સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે વારાણસીના વેપારી નંદકિશોર રૂંગટાના અપહરણ કેસને પણ આધાર બનાવીને મુખ્તારને સજા સંભળાવી છે. 


સમગ્ર મામલો શું છે?

 

અત્રે ઉલ્લેખનિય છે કે 29 નવેમ્બર, 2005ના રોજ, ગાઝીપુરના ભંવરકોલ પોલીસ સ્ટેશન હેઠળના સિયાડી ગામમાં એકે-47 જેવા અત્યાધુનિક હથિયારોથી 400 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત સાત લોકો માર્યા ગયા હતા. જ્યારે સાત લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે BHU લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે બીજેપી ધારાસભ્યના સમર્થકો ઉશ્કેરાયા હતા અને વિવિધ સ્થળોએ તોડફોડ અને હિંસા થઈ હતી.


આ કેસમાં વર્ષ 2007માં ગેંગસ્ટર એક્ટ્ હેઠળ અફઝલ અંસારી અને માફિયા ડોન મુખ્તાર અંસારી અને બંનેના બનેવી એઝાઝુલ હક સામે કેસ નોંધાયો હતો. આ ઘટનામાં સામેલ એઝાઝુલ હકનું મોત થઈ ચુક્યું છે. આ કેસની સુનાવણી 1 એપ્રીલે પુરી થઈ હતી અને આજે તેમને સજા સંભળાવવામાં આવી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.