ભારત જોડો યાત્રામાં સામેલ જાલંધરના સાંસદે કહ્યું દુનિયાને અલવિદા , યાત્રાને કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-01-14 10:44:34

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ જાલંધરના સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું નિધન થઈ ગયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. નિધન થવાને કારણે એક દિવસ માટે ભારત જોડો યાત્રાને રોકી દેવામાં આવી છે.  સાંસદના મોતના સમાચાર મળતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાંસદના ઘરે જવા રવાના થઈ ગયા છે.

Santokh Singh Chaudhary


રાહુલ ગાંધીની સાથે ચાલી રહ્યા હતા સાંસદ 

ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. શુક્રવારના દિવસે આ યાત્રા જાલંધરથી પસાર થઈ હતી. આ યાત્રામાં રાહુલ ગાંધીનો સાથ આપવા ત્યાંના સાંસદ પણ આવ્યા હતા. પરંતુ આ યાત્રા દરમિયાન જાલંધરના સાંસદ અચાનક બેહોશ થઈ ગયા હતા.

 

Congress Mp Santokh Singh Chaudhary Died During Bharat Jodo Yatra In Punjab  | Bharat Jodo Yatra 2023: પંજાબમાં ભારત જોડા યાત્રા રોકવી પડી, યાત્રા  દરમિયાન આ કોંગ્રેસ નેતાનું થયું નિધન


હાર્ટએટેકને કારણે થયું મોત 

અચાનક બેહોશ થઈ જતા ત્યાં અફરાતફરી મચી હતી. જે બાદ સાંસદને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાર્ટએટેક આવવાને કારણે તેમનું નિધન થઈ ગયું હતું. તેમના નિધનના સમાચાર મળતા આ યાત્રાને આજ માટે સ્તગિત કરવામાં આવી છે. આજે આ યાત્રા નહીં નિકાળવામાં આવે. રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાંસદના ઘરે પહોંચી રહ્યા છે. તેમના નિધનના સમાચાર સાંભળી કોંગ્રેસના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.