ભારત જોડો યાત્રામાં સામેલ જાલંધરના સાંસદે કહ્યું દુનિયાને અલવિદા , યાત્રાને કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-01-14 10:44:34

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ જાલંધરના સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું નિધન થઈ ગયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. નિધન થવાને કારણે એક દિવસ માટે ભારત જોડો યાત્રાને રોકી દેવામાં આવી છે.  સાંસદના મોતના સમાચાર મળતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાંસદના ઘરે જવા રવાના થઈ ગયા છે.

Santokh Singh Chaudhary


રાહુલ ગાંધીની સાથે ચાલી રહ્યા હતા સાંસદ 

ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. શુક્રવારના દિવસે આ યાત્રા જાલંધરથી પસાર થઈ હતી. આ યાત્રામાં રાહુલ ગાંધીનો સાથ આપવા ત્યાંના સાંસદ પણ આવ્યા હતા. પરંતુ આ યાત્રા દરમિયાન જાલંધરના સાંસદ અચાનક બેહોશ થઈ ગયા હતા.

 

Congress Mp Santokh Singh Chaudhary Died During Bharat Jodo Yatra In Punjab  | Bharat Jodo Yatra 2023: પંજાબમાં ભારત જોડા યાત્રા રોકવી પડી, યાત્રા  દરમિયાન આ કોંગ્રેસ નેતાનું થયું નિધન


હાર્ટએટેકને કારણે થયું મોત 

અચાનક બેહોશ થઈ જતા ત્યાં અફરાતફરી મચી હતી. જે બાદ સાંસદને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાર્ટએટેક આવવાને કારણે તેમનું નિધન થઈ ગયું હતું. તેમના નિધનના સમાચાર મળતા આ યાત્રાને આજ માટે સ્તગિત કરવામાં આવી છે. આજે આ યાત્રા નહીં નિકાળવામાં આવે. રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાંસદના ઘરે પહોંચી રહ્યા છે. તેમના નિધનના સમાચાર સાંભળી કોંગ્રેસના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.