ભારત જોડો યાત્રામાં સામેલ જાલંધરના સાંસદે કહ્યું દુનિયાને અલવિદા , યાત્રાને કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-01-14 10:44:34

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ જાલંધરના સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું નિધન થઈ ગયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. નિધન થવાને કારણે એક દિવસ માટે ભારત જોડો યાત્રાને રોકી દેવામાં આવી છે.  સાંસદના મોતના સમાચાર મળતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાંસદના ઘરે જવા રવાના થઈ ગયા છે.

Santokh Singh Chaudhary


રાહુલ ગાંધીની સાથે ચાલી રહ્યા હતા સાંસદ 

ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. શુક્રવારના દિવસે આ યાત્રા જાલંધરથી પસાર થઈ હતી. આ યાત્રામાં રાહુલ ગાંધીનો સાથ આપવા ત્યાંના સાંસદ પણ આવ્યા હતા. પરંતુ આ યાત્રા દરમિયાન જાલંધરના સાંસદ અચાનક બેહોશ થઈ ગયા હતા.

 

Congress Mp Santokh Singh Chaudhary Died During Bharat Jodo Yatra In Punjab  | Bharat Jodo Yatra 2023: પંજાબમાં ભારત જોડા યાત્રા રોકવી પડી, યાત્રા  દરમિયાન આ કોંગ્રેસ નેતાનું થયું નિધન


હાર્ટએટેકને કારણે થયું મોત 

અચાનક બેહોશ થઈ જતા ત્યાં અફરાતફરી મચી હતી. જે બાદ સાંસદને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાર્ટએટેક આવવાને કારણે તેમનું નિધન થઈ ગયું હતું. તેમના નિધનના સમાચાર મળતા આ યાત્રાને આજ માટે સ્તગિત કરવામાં આવી છે. આજે આ યાત્રા નહીં નિકાળવામાં આવે. રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાંસદના ઘરે પહોંચી રહ્યા છે. તેમના નિધનના સમાચાર સાંભળી કોંગ્રેસના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.