ભારત જોડો યાત્રામાં સામેલ જાલંધરના સાંસદે કહ્યું દુનિયાને અલવિદા , યાત્રાને કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-01-14 10:44:34

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ જાલંધરના સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું નિધન થઈ ગયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. નિધન થવાને કારણે એક દિવસ માટે ભારત જોડો યાત્રાને રોકી દેવામાં આવી છે.  સાંસદના મોતના સમાચાર મળતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાંસદના ઘરે જવા રવાના થઈ ગયા છે.

Santokh Singh Chaudhary


રાહુલ ગાંધીની સાથે ચાલી રહ્યા હતા સાંસદ 

ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. શુક્રવારના દિવસે આ યાત્રા જાલંધરથી પસાર થઈ હતી. આ યાત્રામાં રાહુલ ગાંધીનો સાથ આપવા ત્યાંના સાંસદ પણ આવ્યા હતા. પરંતુ આ યાત્રા દરમિયાન જાલંધરના સાંસદ અચાનક બેહોશ થઈ ગયા હતા.

 

Congress Mp Santokh Singh Chaudhary Died During Bharat Jodo Yatra In Punjab  | Bharat Jodo Yatra 2023: પંજાબમાં ભારત જોડા યાત્રા રોકવી પડી, યાત્રા  દરમિયાન આ કોંગ્રેસ નેતાનું થયું નિધન


હાર્ટએટેકને કારણે થયું મોત 

અચાનક બેહોશ થઈ જતા ત્યાં અફરાતફરી મચી હતી. જે બાદ સાંસદને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાર્ટએટેક આવવાને કારણે તેમનું નિધન થઈ ગયું હતું. તેમના નિધનના સમાચાર મળતા આ યાત્રાને આજ માટે સ્તગિત કરવામાં આવી છે. આજે આ યાત્રા નહીં નિકાળવામાં આવે. રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાંસદના ઘરે પહોંચી રહ્યા છે. તેમના નિધનના સમાચાર સાંભળી કોંગ્રેસના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.