MP : પિતાએ કરી 12 દિવસ પહેલા જન્મેલા દીકરાની હત્યા કરી નાખી! ત્રીજા સંતાનમાં પુત્ર નહીં પરંતુ જોઈ હતી દીકરી! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-16 15:50:38

આપણે કહેતા હોઈએ છીએ કે દીકરો - દીકરી એક સમાન છે. અનેક લોકોને આવી વાતો કરતા સાંભળ્યા હશે. પરંતુ જ્યારે આ વાતને માનવાની આવે ત્યારે? ત્યારે દીકરો વ્હાલો હોય છે દીકરી કરતા. અનેક એવી ઘટના સામે આવતી હોય છે જેમાં દીકરીનો જન્મ થયો હોય તો તેને મારી નાખવામાં આવે છે, લોકોને દીકરો વ્હાલો હોય છે. લોકો ઈચ્છતા હોય છે કે તેમના ઘરમાં દીકરાનો જન્મ થાય પરંતુ મધ્યપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરીનો જન્મ ન થતા પિતાએ પોતાના નવજાત દીકરાને મોતને ઘાટ ઉતાર્યો છે. 

पिता ने कर दी नवजात बेटे की हत्या

12 દિવસના પુત્રને પિતાએ ઉતાર્યો મોતને ઘાટ

આ સમાચાર સાંભળીને નવાઈ લાગી હશેને કે હજી સુધી દીકરા માટે દીકરીની હત્યા અનેક કરતા આવ્યા છે ત્યારે દીકરી માટે કોઈએ પોતાના નવજાત દીકરાની હત્યા કરી નાખી. ઘટના મધ્યપ્રદેશના બૈતુલની છે જ્યાં એક પિતાએ પોતાના 12 દિવસ પહેલા જન્મેલા દીકરાની હત્યા કરી નાખી છે. પિતાએ 12 દિવસ પહેલા જન્મેલા દીકરાને એટલા માટે મોતને ઘાટ ઉતાર્યો કારણ કે ઈચ્છતા હતા કે તેમનું ત્રીજુ સંતાન દીકરી થાય. પહેલેથી બે દીકરા તેમના હતા. મળતી માહિતી અનુસાર હત્યા કરનાર પિતાની ધરપકડ કરવામાં આવી છે. નશાની હાલતમાં પોતાના નવજાત સંતાનનું ગળું દબાવી દીધું અને તેને મારી દીધો. 


નશાની હાલતમાં બાળકનું ગળું દબાવ્યું 

મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારની છે. બૈતુલ કોરવાલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા બજ્જરવાડા ગામમાં આવી ક્રૂર ઘટના બની છે. નશાની હાલતમાં આવેલા પિતાએ પોતાના બાળકને મોતને ઘાટ ઉતાર્યો. જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. પોલીસને મૃતકની માતાએ જણાવ્યું કે દારૂના નશામાં આવેલા તેના પતિ અનિલે તેની સાથે મારપીટ કરી અને પછી તેની પાસેથી બાળકને છીનવી લીધો. રુચિકા ડરને કારણે ત્યાંથી ભાગી ગઈ. 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.