MP : પિતાએ કરી 12 દિવસ પહેલા જન્મેલા દીકરાની હત્યા કરી નાખી! ત્રીજા સંતાનમાં પુત્ર નહીં પરંતુ જોઈ હતી દીકરી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 15:50:38

આપણે કહેતા હોઈએ છીએ કે દીકરો - દીકરી એક સમાન છે. અનેક લોકોને આવી વાતો કરતા સાંભળ્યા હશે. પરંતુ જ્યારે આ વાતને માનવાની આવે ત્યારે? ત્યારે દીકરો વ્હાલો હોય છે દીકરી કરતા. અનેક એવી ઘટના સામે આવતી હોય છે જેમાં દીકરીનો જન્મ થયો હોય તો તેને મારી નાખવામાં આવે છે, લોકોને દીકરો વ્હાલો હોય છે. લોકો ઈચ્છતા હોય છે કે તેમના ઘરમાં દીકરાનો જન્મ થાય પરંતુ મધ્યપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરીનો જન્મ ન થતા પિતાએ પોતાના નવજાત દીકરાને મોતને ઘાટ ઉતાર્યો છે. 

पिता ने कर दी नवजात बेटे की हत्या

12 દિવસના પુત્રને પિતાએ ઉતાર્યો મોતને ઘાટ

આ સમાચાર સાંભળીને નવાઈ લાગી હશેને કે હજી સુધી દીકરા માટે દીકરીની હત્યા અનેક કરતા આવ્યા છે ત્યારે દીકરી માટે કોઈએ પોતાના નવજાત દીકરાની હત્યા કરી નાખી. ઘટના મધ્યપ્રદેશના બૈતુલની છે જ્યાં એક પિતાએ પોતાના 12 દિવસ પહેલા જન્મેલા દીકરાની હત્યા કરી નાખી છે. પિતાએ 12 દિવસ પહેલા જન્મેલા દીકરાને એટલા માટે મોતને ઘાટ ઉતાર્યો કારણ કે ઈચ્છતા હતા કે તેમનું ત્રીજુ સંતાન દીકરી થાય. પહેલેથી બે દીકરા તેમના હતા. મળતી માહિતી અનુસાર હત્યા કરનાર પિતાની ધરપકડ કરવામાં આવી છે. નશાની હાલતમાં પોતાના નવજાત સંતાનનું ગળું દબાવી દીધું અને તેને મારી દીધો. 


નશાની હાલતમાં બાળકનું ગળું દબાવ્યું 

મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારની છે. બૈતુલ કોરવાલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા બજ્જરવાડા ગામમાં આવી ક્રૂર ઘટના બની છે. નશાની હાલતમાં આવેલા પિતાએ પોતાના બાળકને મોતને ઘાટ ઉતાર્યો. જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. પોલીસને મૃતકની માતાએ જણાવ્યું કે દારૂના નશામાં આવેલા તેના પતિ અનિલે તેની સાથે મારપીટ કરી અને પછી તેની પાસેથી બાળકને છીનવી લીધો. રુચિકા ડરને કારણે ત્યાંથી ભાગી ગઈ. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.