MP : પિતાએ કરી 12 દિવસ પહેલા જન્મેલા દીકરાની હત્યા કરી નાખી! ત્રીજા સંતાનમાં પુત્ર નહીં પરંતુ જોઈ હતી દીકરી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 15:50:38

આપણે કહેતા હોઈએ છીએ કે દીકરો - દીકરી એક સમાન છે. અનેક લોકોને આવી વાતો કરતા સાંભળ્યા હશે. પરંતુ જ્યારે આ વાતને માનવાની આવે ત્યારે? ત્યારે દીકરો વ્હાલો હોય છે દીકરી કરતા. અનેક એવી ઘટના સામે આવતી હોય છે જેમાં દીકરીનો જન્મ થયો હોય તો તેને મારી નાખવામાં આવે છે, લોકોને દીકરો વ્હાલો હોય છે. લોકો ઈચ્છતા હોય છે કે તેમના ઘરમાં દીકરાનો જન્મ થાય પરંતુ મધ્યપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરીનો જન્મ ન થતા પિતાએ પોતાના નવજાત દીકરાને મોતને ઘાટ ઉતાર્યો છે. 

पिता ने कर दी नवजात बेटे की हत्या

12 દિવસના પુત્રને પિતાએ ઉતાર્યો મોતને ઘાટ

આ સમાચાર સાંભળીને નવાઈ લાગી હશેને કે હજી સુધી દીકરા માટે દીકરીની હત્યા અનેક કરતા આવ્યા છે ત્યારે દીકરી માટે કોઈએ પોતાના નવજાત દીકરાની હત્યા કરી નાખી. ઘટના મધ્યપ્રદેશના બૈતુલની છે જ્યાં એક પિતાએ પોતાના 12 દિવસ પહેલા જન્મેલા દીકરાની હત્યા કરી નાખી છે. પિતાએ 12 દિવસ પહેલા જન્મેલા દીકરાને એટલા માટે મોતને ઘાટ ઉતાર્યો કારણ કે ઈચ્છતા હતા કે તેમનું ત્રીજુ સંતાન દીકરી થાય. પહેલેથી બે દીકરા તેમના હતા. મળતી માહિતી અનુસાર હત્યા કરનાર પિતાની ધરપકડ કરવામાં આવી છે. નશાની હાલતમાં પોતાના નવજાત સંતાનનું ગળું દબાવી દીધું અને તેને મારી દીધો. 


નશાની હાલતમાં બાળકનું ગળું દબાવ્યું 

મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારની છે. બૈતુલ કોરવાલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા બજ્જરવાડા ગામમાં આવી ક્રૂર ઘટના બની છે. નશાની હાલતમાં આવેલા પિતાએ પોતાના બાળકને મોતને ઘાટ ઉતાર્યો. જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. પોલીસને મૃતકની માતાએ જણાવ્યું કે દારૂના નશામાં આવેલા તેના પતિ અનિલે તેની સાથે મારપીટ કરી અને પછી તેની પાસેથી બાળકને છીનવી લીધો. રુચિકા ડરને કારણે ત્યાંથી ભાગી ગઈ. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે