પાકિસ્તાનના ડુપ્લિકેટ મિસ્ટર બીનને લઇ ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિએ કહ્યું- આગલી વખતે અસલી મોકલજો


  • Published By :
  • Published Date : 2022-10-28 11:42:25

ગુરુવારે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને આંચકો લાગ્યો હતો. પર્થ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં ઝિમ્બાબ્વે સામે એક રનથી પરાજય થયો હતો. આ હાર બાદ પાકિસ્તાન પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો છે. પોતાની તમામ મેચો જીતવા ઉપરાંત સેમિફાઇનલમાં જવા માટે તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. ઝિમ્બાબ્વેની જીત બાદ મિસ્ટર બીન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ મિસ્ટર બીન અસલી બ્રિટનની નહીં, પરંતુ પાકિસ્તાનની નકલી હતી.


Next time, send real Mr Bean': Zimbabwe president takes jibe at Pakistan  after defeat


સોશિયલ મીડિયા પર ચાહકોએ ડુપ્લિકેટ મિસ્ટર બીન પર પાકિસ્તાનને ટ્રોલ કર્યું, ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન નાંગાગ્વા પણ તેમાં જોડાયા. તેણે ટ્વિટર પર લખ્યું, “ઝિમ્બાબ્વે માટે કેટલી જીત! ટીમને અભિનંદન. આગલી વખતે અસલી મિસ્ટર બીન મોકલજો." એમર્સન નાંગાગ્વાના ટ્વીટને રીટ્વીટ કરીને, ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ પાકિસ્તાનની મજા માણી. તેણે લખ્યું, "રાષ્ટ્રપતિજી પણ રમ્યા. પાડોશીની દુખતી રગ."



મેચ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પ્રેક્ટિસ સેશનની તસવીરો શેર કરી હતી. ઝિમ્બાબ્વેના યુઝર Ngugi Chasuraએ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. તેણે લખ્યું, ઝિમ્બાબ્વેના નાગરિક તરીકે અમે તમને ક્યારેય માફ નહીં કરીએ. એકવાર તમે અસલી મિસ્ટર બીનને બદલે નકલી પાકિસ્તાની બીન બતાવ્યું. અમે આવતીકાલે મેદાન પર આ મામલાની તપાસ કરીશું. આવતીકાલે વરસાદ તમને બચાવે એવી પ્રાર્થના.



મિસ્ટર બીન કોણ છે?


લોકોને હસાવવા માટે બ્રિટનના રોવાન એટકિન્સન મિસ્ટર બીનનું પાત્ર ભજવે છે. 2016માં હરારેમાં એક ઈવેન્ટ દરમિયાન પાકિસ્તાને એક કલાકારને નકલી મિસ્ટર બીન બનાવવા માટે મોકલ્યો હતો. તેનું નામ આસિફ મુહમ્મદ છે. તે પાકિસ્તાનમાં મિસ્ટર બીનની ભૂમિકા ભજવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ઝિમ્બાબ્વેના ચાહકો તે ઇવેન્ટ દરમિયાન 'છેતરપિંડી'નો બદલો લેવા માટે 2016 થી રાહ જોઈ રહ્યા હતા 


PAK vs ZIM Viral Tweet Mr Bean


મેચમાં શું થયું?

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ પાકિસ્તાન સામે 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ આઠ વિકેટે 129 રન જ બનાવી શકી હતી અને એક રનના નજીકના અંતરથી મેચ હારી ગઈ હતી.ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. તેમના સિવાય ક્રેગ ઈરવિન અને બ્રાડ ઈવાન્સે 19-19 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાદાબ ખાને ત્રણ અને મોહમ્મદ વસીમ જુનિયરે ચાર વિકેટ ઝડપી હતી. તે જ સમયે, શાન મસૂદે બેટિંગમાં પાકિસ્તાન તરફથી 44 રન બનાવ્યા હતા. મોહમ્મદ નવાઝે 22 અને શાદાબ ખાને 17 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ ત્રણ અને બ્રાડ ઈવાન્સે બે વિકેટ લીધી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.